ETV Bharat / bharat

દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ

author img

By

Published : Nov 6, 2021, 6:33 AM IST

Updated : Nov 6, 2021, 6:50 AM IST

Tribal of Odisha
Tribal of Odisha

ભારત પોતાની આઝાદીના 75 વર્ષ (75 years of independence)ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અનેક એવા શહીદો પણ છે જેમણે દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપ્યો હતો, પરંતુ ઇતિહાસમાંથી તેમના નામ ગાયબ છે. આજે પણ આવા શહીદોના પરિવાર (Family of Martyrs) અત્યંત સામાન્ય રીતે જીવે છે એટલું જ નહીં, ઘણાને પાસે રહેવા માટે ઘર પણ નથી. ત્યારે આજે વાંચો આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનારા ઓરિસ્સા (Odisha)ના આદિવાસી વીરલાઓ વિશે.

  • આઝાદીની લડાઈમાં ઓરિસ્સાના આદિવાસીઓનું મહત્વનું યોગદાન
  • કોરાપુટ જિલ્લાના આદિવાસી લોકોએ અંગ્રેજો સામે આપી હતી લડત
  • ભારત છોડો ચળવળમાં કોરાપુટનો નોંધપાત્ર ફાળો

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી (75 years of independence) કરી રહ્યો છે, ત્યારે આઝાદીની લડતમાં ઓરિસ્સા (Odisha)ના હજારો આદિવાસીઓ (Tribes)નું યોગદાન સ્વીકારવા યોગ્ય છે. 1942માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ બ્રિટિશ સરકાર (British Government)ના 200 વર્ષના શાસનનો અંત લાવવા માટે 'ભારત છોડો ચળવળ'નું એલાન કર્યું હતું. ઓરિસ્સાના અવિભાજિત કોરાપુટ જિલ્લાના આદિવાસી લોકોએ અંગ્રેજો સામે તેમની લડાઈ ચાલું રાખી. શહીદ લક્ષ્મણ નાયકની આગેવાની હેઠળ મથિલી પોલીસ સ્ટેશન પરનો હુમલો, ગુનુપુર નજીક આદિવાસી બળવો અને પાપડાહાંડીમાં થુરી નદીના કિનારે સેંકડો આદિવાસીઓનું બલિદાન અંગ્રેજોને સખત સંદેશ હતો. "1942માં ભારત છોડો ચળવળમાં કોરાપુટનો ફાળો એટલો નોંધપાત્ર હતો કે તે અપ્રતિમ છે"

દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો

દેશ માટે શહીદ થનારા અનેક લોકોના નામ ઇતિહાસમાંથી ગાયબ

સેંકડો આદિવાસીઓના પ્રયત્નો અને બલિદાનને કારણે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ શક્ય બન્યો હોવા છતાં, જેલમાં ગયેલા અથવા અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવેલા માત્ર થોડાક જ લોકોને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો. શહીદ લક્ષ્મણ નાયકને દરેક વ્યક્તિ જાણે છે, જ્યારે અન્ય લોકોના નામ ઈતિહાસના પાનામાંથી ગાયબ થઈ ગયા છે.

ગુમનામ શહીદો સાથે અન્યાય, શહીદોના પરિવારને પણ કોઇ ઓળખતું નથી

"શહીદ લક્ષ્મણ નાયક વિશે દરેક જણ જાણતા હતા, પરંતુ મથિલીના લોકો પણ એ જણાવી શકશે નહીં કે બ્રિટિશ પોલીસ દ્વારા મથિલી ગોળીબારમાં અન્ય કયા લોકો માર્યા ગયા હતા. આ કોઇએ ધ્યાને ન લીધા હોય તેવા અજાણ્યા શહીદો સાથે મોટો અન્યાય છે. આ વર્ષે જ્યારે આપણે 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના શહીદોના પરિવારના સભ્યોને ઓળખ મળવી જોઈએ."

3 પેઢીઓ બાદ પણ શહીદના પરિવાર પાસે રહેવા માટે ઘર નથી

કમનસીબે લક્ષ્મણ નાયક જેવા સ્વાતંત્ર્ય સેનાનીને પણ સરકાર દ્વારા ભાગ્યે જ યાદ કરવામાં આવે છે. લક્ષ્મણ નાયકની જન્મ અને પુણ્યતિથિ પર અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો શહીદના જન્મસ્થળ તેંતુલીગુમ્મામાં શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ દુર્ભાગ્ય રીતે આ શહીદ અને તેના ગામને આખું વર્ષ ભૂલી જવામાં આવે છે. તેમના પરિવારના સભ્યો પ્રત્યે સરકારની ઉદાસીનતા ચોંકાવનારી છે. શહીદના પરિવારના સભ્યો હજુ પણ તેમને ઓળખ મળે તેની રાહ જોઈ રહ્યા છે. 3 પેઢીઓ પછી પણ સરકાર શહીદના પરિવાર માટે રહેઠાણની વ્યવસ્થા કરી શકી નથી." "લક્ષ્મણ નાયક વિશે દરેક જણ સારું બોલે છે, પરંતુ લક્ષ્મણ નાયકના પરિવાર માટે કંઈ જ કરવામાં આવ્યું નથી. સરકાર ધ્યાન આપતી નથી. અમને હજુ સુધી ઘર પણ આપવામાં આવ્યું નથી."

ગ્રામ વિકાસ વિભાગે એક મેગા બ્રિજનું બાંધકામ શરૂ કર્યું

જિલ્લા વહીવટીતંત્રનો દાવો છે કે, તેણે શહીદની ભૂમિ તેંતુલિગુમ્મા અને તેના પર્યાવરણ અને બોઈપારીગુડા બ્લોક હેઠળના તમામ દૂરના વિસ્તારોના વિકાસ માટે કામ શરૂ કર્યું છે. "તેંતુલિગુમ્મા, શહીદ લક્ષ્મણ નાયકનું ગામ, આ અમારા માટે એક મહત્વપૂર્ણ પંચાયત છે. ગયા વર્ષે ગ્રામ વિકાસ વિભાગે કોલબ પર એક મેગા બ્રિજનું બાંધકામ શરૂ કર્યું હતું. અમારું લક્ષ્ય બોઈપારીગુડા બ્લોકથી ગામને સેવાઓ આપવાનું છે."

આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ: 'કુમાઉ કેસરી' જેમણે પહાડી લોકોને કુલી-બેગર પ્રથામાંથી અપાવી મુક્તિ

આ પણ વાંચો: 75 Years of Independence: એ યુવાન જેણે કાશ્મીરના નાજૂક સમયને સાચવવા જીવનનું બલિદાન આપ્યું

Last Updated :Nov 6, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.