ETV Bharat / bharat

SC on Raghav Chadha Plea : રાઘવ ચડ્ઢાના સસ્પેન્શન સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 9:24 PM IST

આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચડ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સસ્પેન્શનના વિરુદ્ધ રાઘવ ચડ્ઢાએ સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્શનને પડકારતી અરજી કરી હતી. આ અરજી પર હાલ સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પહેલા રાજ્યસભા સચિવાલયને નોટિસ જાહેર કરવામાં આવે.

SC on Raghav Chadha Plea
SC on Raghav Chadha Plea

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચડ્ઢાના રાજ્યસભામાંથી સસ્પેન્શનને પડકારતી અરજી પર નોટિસ જાહેર કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની જજ જે.બી. પારડીવાલા અને જજ મનોજ મિશ્રાની ખંડપીઠે એટર્ની જનરલ આર. વેંકટરામાણીને આ કેસમાં કોર્ટને મદદ કરવા અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સૌપ્રથમ પ્રતિવાદી રાજ્યસભા સચિવાલયને નોટિસ જાહેર કરો અને તેને 30 ઓક્ટોબર, 2023 સુધીમાં પરત કરો.

રાઘવ ચડ્ઢાની અરજી : વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી અને એડવોકેટ શાદાન ફરાસતે સુપ્રીમ કોર્ટ સમક્ષ ચઢ્ઢાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુનાવણી દરમિયાન રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી કે, છેલ્લા 75 વર્ષમાં તેમને 11 એવા કિસ્સાઓ મળ્યા છે કે જેમાં રસ ન ધરાવતા સભ્યોના નામ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમાંના કોઈપણ કેસમાં આવું કરવામાં આવ્યું ન હતું અને તેમના નામ હટાવી દેવામાં આવ્યા હતા. રાકેશ દ્વિવેદીએ અન્ય કિસ્સાઓનું વિગતવાર વર્ણન કર્યું જેમાં રાજ્યસભાના સભ્યોએ રસ ન ધરાવતા સાંસદોના નામ ઉમેર્યા હતા અને તેમના નામ પાછળથી ઠરાવોમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રાઘવ ચડ્ઢાનું સસ્પેન્શન : શાદાન ફરાસતે રજૂઆત કરી હતી કે જો સત્તા માત્ર સત્ર માટે હોય તો તે તેનાથી આગળ વધી શકે નહીં અને અંતર્ગત સત્તાઓને સત્રની બહાર લંબાવી શકાય નહીં. રાઘવ ચડ્ઢાને 11 ઓગસ્ટના રોજ નિયમોના ઘોર ઉલ્લંઘન, ગેરવર્તણૂક, બેફામ વલણ અને અપમાનજનક વર્તન બદલ સંસદના ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામેની કાર્યવાહી ચાર સાંસદો દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલી ફરિયાદોના જવાબમાં કરવામાં આવી છે. આ ચાર સાંસદમાં સસ્મિત પાત્રા, એસ. ફાંગનોન કોન્યાક, એમ. થંબીદુરઈ અને નરહરી અમીન હતા.

શું હતો મામલો ? આ સાંસદોએ તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ સામેલ કરવાનો આરોપ મૂક્યો હતો અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાઘવ ચડ્ઢા દ્વારા ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023 નો અભ્યાસ કરવા માટે પસંદગી સમિતિની રચનાની માંગણી કરતા પ્રસ્તાવમાં તેમના નામ ઉમેરવામાં આવ્યા હતા.

  1. Delhi liquor policy case : CBI-EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, 'આપ'ને આરોપી બનાવવાનું વિચારી રહ્યાં છીએ
  2. Wrestler Sexual Harrasement Case: બ્રિજભૂષણ સિંહે કોર્ટમાં આપી હાજરી, આગામી સુનાવણી 19 ઓક્ટોબરે થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.