ETV Bharat / bharat

થાણે: અંબરનાથમાં કાર-રિક્ષા અકસ્માતમાં ચારના મોત

author img

By

Published : Sep 13, 2021, 12:53 PM IST

accident
થાણે: અંબરનાથમાં કાર-રિક્ષા અકસ્માતમાં ચારના મોત

મહારાષ્ટ્રના થાણેમાં એક કાર અને રિક્ષાની સામસામે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોનાં મૃત્યુ થયા છે.

થાણે: એક કાર અને રિક્ષા સામસામે ટકરાતા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોનાં મૃત્યુ થયા છે. આ અકસ્માત રવિવારે રાત્રે અંબરનાથ તાલુકાના પાલેગાંવના ન્યૂ એમઆઈડીસી રોડ પર થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાને સંપૂર્ણ નુકસાન થયું હતું.મૃતકોની ઓળખ વર્ષા વાલેચા (ઉંમર 51), આરતી વાલેચા (ઉંમર 41), રાજ વેલેચા (ઉંમર 12) અને ખેડૂત વિઠ્ઠલ શિંદે, રિક્ષાચાલક તરીકે થઈ છે.

એક ઝડપી કાર રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં, ઉલ્હાસનગરના રહેવાસી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જેઓ રિક્ષામાં સવાર હતા. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ

કારના ચાલકની પોલીસે ધરપકડ કરી છે અને શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ શિવાજીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઉલ્હાસનગરની સરકારી સેન્ટ્રલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. શિવાજી નગર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.