Supreme Courtમાં લખીમપુર ખીરી મામલાની થઈ સુનાવણી, શુક્રવારે ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદેશ

author img

By

Published : Oct 7, 2021, 2:15 PM IST

Updated : Oct 7, 2021, 3:40 PM IST

Supreme Courtમાં લખીમપુર ખીરી મામલાની થઈ સુનાવણી, શુક્રવારે ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદેશ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો (Lakhimpur Kheri Violence) મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આજે (ગુરુવારે) મહત્ત્વની સુનાવણી થઈ હતી. આમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

  • ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો (Lakhimpur Kheri Violence) મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
  • સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) શુક્રવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ
  • રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIRની જાણકારી, કોની ધરપકડ કરવામાં આવી, તપાસ પંચ અંગે માગી માહિતી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો (Lakhimpur Kheri Violence) મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આજે (ગુરુવારે) મહત્ત્વની સુનાવણી થઈ હતી. આમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIRની જાણકારી, કોની ધરપકડ કરવામાં આવી, તપાસ પંચ વગેરે અંગે બધુ જણાવવું પડશે. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, મૃત ખેડૂત લવપ્રિત સિંહની માતાની સારવાર માટે શક્ય તમામ મદદ કરવામાં આવે. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યો હતો. ત્યારથી તેઓ બીમાર છે.

હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં બનાવાશે તપાસ ટીમ

કોર્ટમાં ઉત્તરપ્રદેશ સરકાર તરફથી રજૂ થયેલા ગરિમા પ્રસાદે કહ્યું હતું કે, સરકારે FIR નોંધી લીધી છે. આ ઉપરાંત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં તપાસ ટીમ બનાવવામાં આવી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, હાઈકોર્ટમાં આ મામલા અંગે કેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની તહેસીલ અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરો. આ ઉપરાંત કેટલી FIR, કેટલા લોકોની ધરપકડ, કેટલા આરોપી એ તમામ જણાવવાનું પણ કહ્યું છે.

આ પણ વાંચો- lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા

લખીમપુર કાંડમાં 8 લોકોના થયા હતા મોત

આપને જણાવી દઈએ કે, લખીમપુર કાંડમાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા. આમાં 2 ભાજપના કાર્યકર્તા, એક ડ્રાઈવર અને એક પત્રકાર પણ સામેલ હતા, પરંતુ આ દુર્ઘટનાના ચોથા દિવસ એટલે કે આજ દિન સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી. આ ઘટનામાં ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સામે FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે, તેમણે જ ગાડીથી ખેડૂતોને કચડ્યા હતા.

આ પણ વાંચો- રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે

સુપ્રીમ કોર્ટે ગેરસમજ પણ કરી દૂર

તો ઉત્તરપ્રદેશ સરકારે મૃતકના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે જ મૃતક ખેડૂતોના પરિવારથી કોઈ એક સભ્યને સરકારી નોકરીનું વચન આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક ગેરસમજ પણ દૂર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, 2 વકીલે કોર્ટને લખીમપુર મામલા માટે લખ્યું હતું. આની પર કોર્ટે મામલાને જનહિત અરજી અંતર્ગત રજિસ્ટર્ડ કરવા કહ્યું હતું, પરંતુ ગેરસમજમાં આને આત્મજ્ઞાન અંતર્ગત રજિસ્ટર્ડ કરવામાં આવી હતી.

Last Updated :Oct 7, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.