ETV Bharat / bharat

SC On Corona Gujarat : કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારોને વળતર અંગે સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

author img

By

Published : Jan 20, 2022, 10:00 AM IST

કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર (Compensation to the families of those who died of corona in Gujarat) આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બુધવારે (Supreme Court asks Gujarat Government) સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી (Supreme Court slams Gujarat government) કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેની અરજી નામંજૂર કરો છો તેમને કારણ આપો છો કે, નહીં. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારી આંકડા મુજબ નોંધાયેલા મૃતકોની સંખ્યા કરતા વળતર માટે વધુ અરજીઓ આવી છે. એટલે ગુજરાત સરકાર (Gujarat government filed a reply in the Supreme Court) આ મામલે ઘેરાઈ છે.

Supreme Court on Gujarat Government: કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારને વળતર આપવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
Supreme Court on Gujarat Government: કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારને વળતર આપવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદઃ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને (Compensation to the families of those who died of corona in Gujarat) વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી (Supreme Court slams Gujarat government) કાઢી હતી. રાજ્ય સરકારોની નબળી કામગીરી અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત (Supreme Court angry over state governments' performance) કરી હતી. આ કેસની વર્ચ્ચૂઅલ સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ગુજરાત સરકારને આડેહાથ (Supreme Court slams Gujarat government) લીધી હતી.

આ પણ વાંચો- Lakhimpur violence case : કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના સંબંધીને મળ્યા જામીન

વેબસાઈટ પર 4,000 અરજી ફગાવી તેનું કારણ કેમ નથી આપતાઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારના વકીલને પૂછ્યું હતું કે, તમે વેબસાઈટ પર 4,000 અરજી ફગાવી છે. તેની પાછળનું કારણ આપ્યું છે કે નહીં. તેનું કારણ કેમ નથી આપતા. તેના જવાબમાં ગુજરાત સરકારના વકીલે ટેકનિકલ ખામીનું બહાનું કાઢ્યું (Gujarat government filed a reply in the Supreme Court) હતું. તો હવે આ મામલે વધુ સુનાવણી 4 ફેબ્રુઆરીએ થશે.

આ પણ વાંચો- UP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ સમાજવાદી પક્ષના ઉમેદવારની નોંધણી રદ કરવાની અરજી પર સુનાવણી માટે સંમત

રાજ્ય સરકારે કોર્ટમાં સ્વીકાર્યું કે, મોત થયા તેના કરતા અરજીઓ વધુ આવી છે

સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું (Gujarat government filed a reply in the Supreme Court) છે કે, કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સરકારી ચોપડે જેટલી નોંધાઈ છે. તેનાથી ઘણી વધારે અરજીઓ વળતર માટે આવી છે. અત્યાર સુધીમાં 91,810 લોકોએ વળતર મેળવવા અરજી કરી છે, જેમાંથી 5,561 અરજી રદ કરવામાં આવી છે. જોકે, આ અંગેની માહિતી કોર્ટને આપવામાં આવશે. તો અત્યાર સુધી 59,885 અરજદારોને વળતર (Compensation to the families of those who died of corona in Gujarat) ચૂકવવામાં આવ્યું છે. એક તરફ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 10,000 જેટલી છે. તેવામાં આટલા બધાને વળતર ચૂકવણી સરકાર સામે પ્રશ્નો ઊભા કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.