ETV Bharat / bharat

અભિનેતા શર્મન જોશીએ હરિદ્વારમાં પિતાની અસ્થિનું કર્યું વિસર્જન

author img

By

Published : Feb 3, 2021, 10:22 PM IST

બોલિવૂડ એક્ટર શર્મન જોશી બુધવારે હરિદ્વાર પહોંચ્યાં હતા. તેમણે તેમના પિતા અરવિંદ જોશીની અસ્થિઓનું વિધિ વિધાન સાથે બ્રહ્મકુંડમાં વિસર્જન કર્યું હતું.

અભિનેતા શર્મન જોશીએ હરિદ્વારમાં પિતાની અસ્થિનું કર્યું વિસર્જન
અભિનેતા શર્મન જોશીએ હરિદ્વારમાં પિતાની અસ્થિનું કર્યું વિસર્જન

  • અભિનેતા શર્મન જોશીએ તેમના પિતાની અસ્થિનું વિસર્જન કર્યું
  • ગંગામાં બ્રહ્માકુંડમાં અસ્થિનું વિસર્જન કર્યું
  • અરવિંદ જોશીનું 29 જાન્યુઆરીએ અવસાન થયું હતું

હરિદ્વારઃ બોલીવુડના જાણીતા અભિનેતા શર્મન જોશી બુધવારે પરિવાર સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. તેમણે ગંગામાં બ્રહ્માકુંડ ખાતે તેમના પિતાની અસ્થિનું વિસર્જન કર્યું હતું. તેમના પિતા અરવિંદ જોશીનું 29 જાન્યુઆરીએ અવસાન થયું હતું.

શર્મન જોશીની સાથે તેમની પત્ની અને સબંધીઓ પણ આવ્યાં

અસ્થિ વિસર્જન કરાવનારા પુરોહિત નીતિન કૌશિકે જણાવ્યું હતું કે, અભિનેતા શર્મન જોશી તેમના પિતાની અસ્થિઓનું વિસર્જન કરવા માટે હરિદ્વાર આવ્યાં હતા. જોશીની સાથે તેમની પત્ની અને સબંધીઓ આવ્યાં હતા. તેમણે તેમના પિતા અરવિંદ જોશીની અસ્થિઓનું વિધિ વિધાન સાથે વિસર્જન કર્યું હતું.

અરવિંદ જોશી ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક હતા

શર્મન જોશીના પિતા અરવિંદ જોશી ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક હતા. 29 જાન્યુઆરીએ તેમનું મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.