સીતારમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરતા ઉગ્ર વિરોધ

author img

By

Published : Mar 14, 2022, 4:10 PM IST

Updated : Mar 14, 2022, 4:17 PM IST

સીતારમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરતા ઉગ્ર વિરોધ

સંસદના બજેટ સત્ર (Lok Sabha Budget Session)નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. પ્રથમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટે બજેટ (Jammu Kashmir Budget) પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સિવાય પ્રશ્નકાળ દરમિયાન સરકાર તરફથી વધતી બેરોજગારી, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિત અનેક બાબતો પર સવાલો પૂછવામાં આવ્યા હતા.

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર (Lok Sabha Budget Session)નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. બજેટરી દરખાસ્તો માટે સંસદની મંજૂરી લેવી અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે બજેટ (Jammu Kashmir Budget 2022) રજૂ કરવું એ સરકારના એજન્ડામાં ટોચ પર છે. આ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો. લંચ બાદ ગૃહમાં આ અંગે ચર્ચા શરૂ થઈ હતી.

કોંગ્રેસ અને અન્ય સાંસદોનો વાંધો પાયાવિહોણો: એનકે પ્રેમચંદ્રન અને મનીષ તિવારીએ નાણાકીય વર્ષ 2021-22 માટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે અનુદાનની માંગ પર ચર્ચા શરૂ થયા પછી ફરી એકવાર વાંધો ઉઠાવ્યો. જો કે, નિર્મલા સીતારમણે કહ્યું કે, આ પહેલા પણ યુપીએના કાર્યકાળ દરમિયાન બન્યું છે. કોંગ્રેસ અને અન્ય સાંસદોનો વાંધો પાયાવિહોણો છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ કહ્યું કે, બંધારણની કલમ 357 હેઠળ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર અંગે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા (Jammu Kashmir Assembly) ભંગ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંસદ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના હિતમાં નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: Rajya Sabha Budget Session: રાજ્યસભામાં ગૂંજ્યો ગુજરાતના પ્રદૂષણનો પ્રશ્ન, ઉઠી આ માંગ

નાણાપ્રધાન દ્વારા પ્રસ્તાવ: અગાઉ, નાણાપ્રધાન દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા બાદ કેરળની કોલ્લમ સીટથી ચૂંટાયેલા સાંસદ મનીષ તિવારી, આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રન અને ટીએમસી સાંસદોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું કે, કોંગ્રેસ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ સરકાર દ્વારા કોઈ બજેટરી દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં જોગવાઈઓ કે આર્થિક નિર્ણયો પર ચર્ચા કેવી રીતે થઈ શકે.

આ પણ વાંચો: માનવતા શર્મસાર: કૂતરાના મોઢામાં નવજાત બાળકનું માથું મળ્યું

સ્પીકરની સત્તા પર સવાલ: જો કે, સંક્ષિપ્ત વાંધાઓ સાંભળ્યા પછી, અધ્યક્ષ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું, "આ પ્રસ્તાવ સ્પીકરના વતી ગૃહના કાર્યસૂચિમાં સૂચિબદ્ધ છે." આવી સ્થિતિમાં સ્પીકરની સત્તા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. સંસદીય કાર્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, આ પ્રસ્તાવ પર ચર્ચા માટે બપોર પછીનો સમય નક્કી કરવામાં આવ્યો છે, તેથી વિપક્ષનો વાંધો પાયાવિહોણો છે. આ પછી ધ્વનિ મત દ્વારા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો.

Last Updated :Mar 14, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.