ETV Bharat / bharat

મુંબઈ ડ્રગ્સ કેસ : વાનખેડેની બહેને નવાબ મલિકને મંદબુદ્ધિનાં ગણાવ્યાં અને કહ્યું, "માનસિક ચેકઅપ કરાવો"

author img

By

Published : Nov 2, 2021, 3:44 PM IST

મુંબઈ ડ્રગ્સ કેસ : વાનખેડેની બહેને નવાબ મલિકને મંદબુદ્ધિનાં ગણાવ્યાં અને કહ્યું, માનસિક ચેકઅપ કરાવો
મુંબઈ ડ્રગ્સ કેસ : વાનખેડેની બહેને નવાબ મલિકને મંદબુદ્ધિનાં ગણાવ્યાં અને કહ્યું, માનસિક ચેકઅપ કરાવો

મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે(Mumbai NCB Zonal Director Sameer Wankhede) એ પણ મહારાષ્ટ્ર સરકારનાં પ્રધાન નવાબ મલિક(Government of Maharashtra Minister Nawab Malik)ને પોતાનાં પર લગાવેલ આરોપનો વળતો જવાબ આપ્યો(Responded to the accusation) હતો. અને સમીર વાનખેડે એ કહ્યું કે તેને ફસાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • મલિકે વાનખેડે પર 70 લાખનો શર્ટ અને 50 લાખની ઘડિયાળ પહેરવાનો લગાવ્યો આરોપ
  • યાસ્મીન એ કહ્યું કે, મલિક મંદબુદ્ધિ વ્યક્તિ છે, તેને માનસિક ચેકઅપ કરાવવું જોઇએ
  • વાનખેડે એ કહ્યું કે તેને ફસાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

મુંબઈ : NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડે(Yasmin Wankhede, sister of NCB zonal officer Sameer Wankhede) એ મહારાષ્ટ્રનાં પ્રધાન નવાબ મલિક પર આકરા પ્રહારો કર્યા(Maharashtra Minister Nawab Malik slammed) છે. યાસ્મિને નવાબ મલિકને મંદબુદ્ધિ પણ કહ્યાં છે. નવાબ મલિકે સમીર વાનખેડે પર 70 લાખની કિંમતનો શર્ટ અને 50 લાખની ઘડિયાળ પહેરવાનો આરોપ લગાવ્યો હતો. આનાં પર સમીર વાનખેડે અને તેની બહેન યાસ્મીન બંનેએ આરોપનો વળતો જવાબ પણ આપ્યો છે.

યાસ્મીને નવાબને મંદબુદ્ધિનાં કહ્યાં

નવાબ મલિકના આરોપો પર યાસ્મીન વાનખેડેએ કહ્યું કે, તે એક મંદબુદ્ધિ વ્યક્તિ છે, માનસિક સ્થિતિનું ચેકઅપ કરાવવું જોઇએ. તેઓ રોજ અમારા પર આરોપ લગાવી રહ્યા છે અને અમારે શું સાંભળતાં રહેવું. તેના ભાઇ પાસે જે ધડીયાલ છે તે તેની માતાએ ભેટમાં આપેલી છે અને તેનો ભાઈ શોપિંગ માટે આખા વર્ષ દરમિયાન પૈસા ભેગા કરે છે અને વર્ષમાં એકવાર શોપિંગ કરીને આખું વર્ષ ચલાવે છે. તેમજ મલિકનો જમાઈ ક્યારેય જૈગુઆર પાસે ઊભો હોય છે, તો તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યાં અને ત્રણ-ચાર કરોડનાં વાહનો લઈને ફરે છે.

મલિકનાં આરોપો પર સમીર વાનખેડેનો જવાબ

મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પણ મહારાષ્ટ્ર સરકારનાં પ્રધાન નવાબ મલિકનાં આરોપોનો વળતો જવાબ આપતાં કહ્યું કો, તેને ફસાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ સલમાન નામનાં વેપારીએ મારી બહેનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે NDPS કેસ લેતી નથી, તેથી તેણે તેને પરત મોકલી દીધો હતી. સલમાને વચેટિયાઓ દ્વારા અમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તે જેલમાં છે.

વોટ્સએપ ચેટ શેર કરીને ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે

સમીર વાનખેડે એ કહ્યું કે, વોટ્સએપ ચેટ શેર કરીને ખોટાં આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમને ફસાવવાનો પ્રયાસ કરનાર વચેટિયાએ આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસને ખોટી ફરિયાદ કરી હતી. તેમાંથી કશું નીકળ્યું નહીં. તે પછી મારા પરિવારને ફસાવવા માટે સલમાન જેવાં પેડલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. મને અને મારા પરિવારને ફસાવવાનાં તમામ પ્રયાસો ચાલુ છે અને તેની પાછળ ડ્રગ માફિયાનો હાથ છે.

આ પણ વાંંચો : મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતમાં સૌથી ભારે PSC બોક્સ ગર્ડરનું કામ થયું શરૂ

આ પણ વાંંચો : વડોદરામાં આજે પણ જીવંત છે માટીમાંથી ફટાકડા બનાવવાની 400 વર્ષ જૂની પદ્ધતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.