કિવ: યુક્રેન અને રશિયા (Russia Ukraine War) વચ્ચેના યુદ્ધનો આજે 42મો દિવસ (Russia Ukraine War 42th Day) છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) સંયુક્ત રાષ્ટ્રના સૌથી શક્તિશાળી એકમને રશિયાના આક્રમણને રોકવા માટે હાકલ કરી છે, જેમાં મૃતદેહના ઢગલાનું સંક્ષિપ્ત વિડિયો ફૂટેજ દર્શાવવામાં આવ્યું છે.
USએ રશિયામાં નવા રોકાણ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી : ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને (UNSC) જણાવ્યું હતું કે, યુદ્ધ અપરાધો માટે રશિયન સૈન્યને તાત્કાલિક ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. અહીં અમેરિકાએ રશિયામાં નવા રોકાણ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. રશિયન સૈન્ય ફરીથી સંગઠિત થઈ રહ્યું છે અને ડોનબાસ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. 'ટુ પ્લસ ટૂ' મંત્રણા પહેલા, વિદેશ પ્રધાન એસ જયશંકરે US સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાત કરી હતી. વાતચીતમાં યુક્રેનની તાજેતરની ઘટનાઓ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનની શેરીઓમાં મળતા મૃતદેહોને કારણે રશિયાને વૈશ્વિક આક્રોશનો કરવો પડી રહ્યો છે સામનો
યુક્રેનની શેરીઓમાં મૃતદેહો મળ્યા બાદ રશિયાની વૈશ્વિક નિંદા : માહિતી અનુસાર કિવની આસપાસના શહેરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે, જે તાજેતરના દિવસોમાં રશિયન સેના પાસેથી મેળવવામાં આવ્યા છે. રાજધાનીના ઉત્તરપશ્ચિમ, બુકામાં એસોસિએટેડ પ્રેસના પત્રકારોએ 21 મૃતદેહો જોયા હતા. મૃતકોમાં 9 લોકોના જૂથનો સમાવેશ થાય છે જેઓ કપડામાં નાગરિકો હોવાનું જણાયું હતું અને નજીકથી ગોળી ચલાવવામાં આવી હતી. ઓછામાં ઓછા 2 તેમના હાથ તેમની પીઠ પાછળ બાંધેલા હતા. સમગ્ર વિશ્વમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે.
ભારતે UN સુરક્ષા પરિષદમાં સખત નિંદા કરી : ઝેલેન્સકીએ યુક્રેન યુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભયાનક દુર્ઘટના ગણાવી હતી.યુદ્ધની વચ્ચે ઝેલેન્સકીએ UNSCમાં રશિયન સૈનિકો પર બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી અસંસ્કારી અત્યાચારનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, તેઓ ઇસ્લામિક સ્ટેટ જૂથ જેવા આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. રશિયન સૈનિકોએ યુક્રેનિયન નાગરિકોના હાથ-પગ કાપી નાખ્યા, તેમના ગળા કાપી નાખ્યા. બાળકોની સામે મહિલાઓ પર બળાત્કાર, હત્યા કરવામાં આવી. તેમની જીભ ખેંચાઈ હતી, કારણ કે આક્રમણકારોએ તેમની પાસેથી જે સાંભળવું હતું તે સાંભળ્યું ન હતું. ઝેલેન્સકીએ તેને બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી. બીજી તરફ યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની જાનહાનિના સમાચારને "અત્યંત વિચલિત" ગણાવીને ભારતે UN સુરક્ષા પરિષદમાં આ કૃત્યની સખત નિંદા કરી હતી.
કૂટનીતિ જ એકમાત્ર વિકલ્પ : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે, બૂચામાં નાગરિકોની જાનહાનિના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. ભારત બૂચા હત્યાઓની નિંદા કરે છે અને સ્વતંત્ર તપાસની માંગને સમર્થન આપે છે. યુક્રેન સંઘર્ષ પર તિરુમૂર્તિએ કહ્યું કે, ભારત હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને દુશ્મનાવટનો અંત લાવવાના તેના આહ્વાનને પુનરાવર્તિત કરે છે. જ્યારે નિર્દોષ લોકોના જીવ જોખમમાં હોય ત્યારે માત્ર કૂટનીતિ જ એકમાત્ર વિકલ્પ રહે છે.
અમેરિકા રશિયામાં નવા રોકાણો પર પ્રતિબંધો લાદશે : અમેરિકા યુક્રેનમાં રશિયાના યુદ્ધ અપરાધોના જવાબમાં યુરોપિયન યુનિયન (EU) અને ગ્રુપ-7 (G7) દેશોના સહયોગમાં બુધવારથી રશિયામાં નવા રોકાણો પર પ્રતિબંધો લાદશે. સહિતના વધુ કડક નિયંત્રણો લાદશે એક અમેરિકન અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ આ અંગેની જાહેરાત પહેલા પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: 42 સાંસદોએ કર્યો સ્વતંત્ર બેઠકનો દાવો, શ્રીલંકાના શાસક પોદુજાના પેરામુનાએ બહુમતી ગુમાવી
રશિયન ડોનબાસ પર હુમલો કરવાની કરી રહ્યું છે તૈયારી : યુક્રેનિયન આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે, રશિયા તેના દળોને ફરીથી ગોઠવી રહ્યું છે અને ડોનબાસ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જનરલ સ્ટાફના ફેસબુક પેજ પર પ્રકાશિત થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, અમારો ધ્યેય ડોનેટ્સક અને લુહાન્સ્ક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો છે. ફેસબુક પોસ્ટ મુજબ, રશિયન સૈન્ય ડોનેટ્સક અને લુહાન્સ્ક તેમજ પોપાસ્ના અને રુબિઝ્ને જેવા શહેરો પર નિયંત્રણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વધુમાં, રશિયન દળો મેરીયુપોલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.