ETV Bharat / bharat

રાજનાથ સિંહે લદાખમાં BROનાં 63 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

author img

By

Published : Jun 28, 2021, 12:20 PM IST

પ્રોજેક્ટ
રાજનાથ સિંહે લદાખમાં BROનાં 63 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

રાજનાથ સિંહે (Rajnath Singh) લદ્દાખમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Roads Organization) દ્વારા બનાવવામાં આવેલા 63 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા બનાવવામાં આવ્યા છે.

  • રાજનાથ સિંહ લદાખના 3 દિવસીય પ્રવાસે
  • 63 માળખાગત પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
  • સરહદ પર સૈનિકોની કામગીરી કરી સમીક્ષા

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે(Defense Minister Rajnath Singh) આજે લદ્દાખ પ્રવાસના બીજા દિવસે લદ્દાખમાં 63 માળખાકિય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Roads Organization) દ્વારા બનાવવામાં આવ્યા છે.

63 પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે (BRO) દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ દેશના વિકાસની ગતિમાં વધારો કરવા જઈ રહ્યા છે. આજે(28 જૂન) 63 પુલો અને રસ્તાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો રાષ્ટ્રમાં રસ્તાઓ, રાજમાર્ગો અને પુલો બનાવવામાં નહીં આવે તો કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. તેથી જ હું કહું છું કે BROએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આંતકવાદી ઘટનામાં ઘટાડો

સંરક્ષણ પ્રધાને કહ્યું કે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ આતંકવાદની ઘટનાઓ ઓછી થઈ છે. અહીં રોકાણો લાવવા અને માળખાગત સુવિધામાં સુધારો લાવવા કેન્દ્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને સેના દ્વારા આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવે છે. આનાથી સૈન્ય અને સુરક્ષા જવાનોની સંવેદનશીલતાનું મોટું ઉદાહરણ હોઈ શકે નહીં.

આ પણ વાંચો : LAC વિવાદ પર બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું- એપ્રિલ 2020 બાદના તમામ બાંધકામો તોડવામાં આવશે

લદાખમાં રાજકીય પ્રક્રિયા શરૂ થાય

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં રાજકીય પ્રક્રિયા શરૂ થાય. આ માટે તેમણે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો સાથે વાત કરી છે. ટૂંક સમયમાં લદાખની જનતા સાથે પણ કરશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાને ગાલવાન ખીણાનો પણ ઉલ્લેખ કર્યો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આપણી સેનામાં બહાદુરી અને સંયમ છે. જ્યાં સંયમ રાખવાની જરૂર હોય ત્યાં સૈન્ય સંયમનો ઉપયોગ કરે છે.

સૈન્ય સજ્જતાની તપાસ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદાખની ત્રણ દિવસીય મુલાકાતે છે. સંરક્ષણ પ્રધાને રવિવારે અગાઉ કહ્યું હતું કે ભારતીય સૈનિકો અને દેશ પ્રત્યે પૂર્વ સૈનિકોનું સમર્પણ એક અનુકરણીય ઉદાહરણ છે. લદાખની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા બાદ તરત જ તેમણે આ વાત કહી હતી. સિંહની મુલાકાતનો ઉદ્દેશ ચીન સાથેના લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદ વચ્ચે આ ક્ષેત્રમાં ભારતની સૈન્ય સજ્જતાની તપાસ લેવાનો છે.

નરવાને પણ સાથે

અધિકારીઓએ કહ્યું કે લેહમાં સંરક્ષણ પ્રધાને લેહ, કારગિલ અને લદ્દાખ સ્વાયત્ત હિલ વિકાસ પરિષદના ચૂંટાયેલા વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. સંરક્ષણ પ્રધાન સાથે આર્મી ચીફ જનરલ એમએમ નરવાને પણ હતા, આ દરમિયાન સિંહે સશસ્ત્ર સૈન્યના ભૂતપૂર્વ સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના કલ્યાણ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર સાથે પણ વાતચીત કરી હતી.

વાટાઘાટોના આગલો રાઉન્ડ

શુક્રવારે બોર્ડર અફેર્સ (ડબ્લ્યુએમસીસી) પર પરામર્શ અને સંકલન માટેના કાર્યકારી મિકેનિઝમની બેઠકમાં, ચાઇના અને ભારત સંઘર્ષના અન્ય સ્થળોએથી સૈનિકોના સંપૂર્ણ પાછા ખેંચવાના ઉદ્દેશને પહોંચી વળવા ટૂંક સમયમાં સૈન્ય વાટાઘાટોના આગામી રાઉન્ડ યોજવા સંમત થયા છે. ભારતે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ગત વર્ષે પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચીનની મોટી સંખ્યામાં સૈનિકોની એકત્રીકરણ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની બાજુમાં સ્થિરતામાં ફેરફાર કરવાના એકપક્ષીય પ્રયાસો આ ક્ષેત્રમાં ચાલી રહેલા લશ્કરી અવરોધ માટે જવાબદાર છે.અને આ પગલાં ભારત-ચીન દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન પણ છે.

આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : 21મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ગત વર્ષથી વિવાદ

ચીને કહ્યું હતું કે સરહદ વિસ્તારમાં ચીનની સૈન્ય તૈનાત ભારતના અતિક્રમણ અથવા ધમકીને રોકવા માટે છે અને આ વિસ્તારમાં ચીનની સૈન્ય તૈનાત એક સામાન્ય રક્ષણાત્મક વ્યવસ્થા છે. નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનાની શરૂઆતથી પૂર્વી લદ્દાખમાં સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ છે. જો કે, બંને પક્ષોએ ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવની ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી સૈન્ય અને રાજદ્વારી વાતચીત પછી સૈન્ય પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તે સમજી શકાય છે કે કેટલાક વિસ્તારોમાં હજી પણ સૈનિકોની પાછી ખેંચી લેવાની અંતરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.