ETV Bharat / bharat

ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી 7 ના મૃત્યું

author img

By

Published : Aug 2, 2022, 2:36 PM IST

Updated : Aug 2, 2022, 3:11 PM IST

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના કોલકા ગામમાં આવેલા ગોવિંદ સાગર તળાવમાં પંજાબના 7 યુવકોના ડૂબી જવાથી મૃત્યું થયા (Youth Drowned In River) છે. આ અકસ્માત બાદ પંજાબના બનુરમાં શોકનો માહોલ છવાયો (Youth Died From Punjab) છે.

ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી સાત યુવકોના  મૃત્યુ
ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી સાત યુવકોના મૃત્યુ

મોહાલીઃ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના કોલકા ગામમાં આવેલા ગોવિંદ સાગર તળાવમાં પંજાબના 7 યુવકોના ડૂબી જવાથી મૃત્યું થયા (Youth Drowned In River) છે. શ્રાવણ મહીનામાં બનુર શહેરથી માતા નૈના દેવીના દર્શન કરવા ગયા હતા. કહેવાય છે કે એક યુવક ન્હાવા માટે તળાવમાં કૂદી પડ્યો અને ડૂબવા લાગ્યો, તેને બચાવવા માટે અન્ય 6 યુવકો પણ તળાવમાં કૂદી પડ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહને કારણે તેઓ પોતાની જાતને સંભાળી શક્યા ન હતા અને બધા ડૂબી ગયા હતા. આ અકસ્માત બાદ પંજાબના બનુરમાં શોકનો માહોલ છવાયો (Youth Died From Punjab) છે.

ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી સાત યુવકોના  મૃત્યુ
ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી સાત યુવકોના મૃત્યુ

આ પણ વાંચોઃ દિકરીઓ બની શ્વાનના આતંકનો ભોગ, નાશભાગમાં કૂવામાં પડતા એકનું મોત

પંજાબના મોહાલી જિલ્લાના રહેવાસીઃ ગોવિંદ સાગર તળાવમાં ડૂબી ગયેલા તમામ યુવકો પંજાબના મોહાલી જિલ્લાના બનુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતકોમાં રમણ, પવન, અરુણ, લવ, લખવીર, વિશાલ અને શિવનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા (youth drowned in lake) છે. પોસ્ટમોર્ટમ બાદ આજે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનો દૈનિક મજૂરી કામ કરે છે.

માતા નૈના દેવીના દર્શને ગયા હતાઃ સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું કે, આ લોકો બનુર શહેરથી માતા નૈના દેવીના દર્શન કરવા ગયા હતા. ભારે ભીડને કારણે યુવાનોએ વિચાર્યું કે, તેઓ પહેલા બાબા બાલકનાથ મંદિર જશે અને પાછા ફરતી વખતે તેઓ માતા નૈના દેવીના દર્શન કરશે. પરંતુ, રસ્તામાં તે ગોવિંદ સાગર તળાવ પાસે પહોંચ્યા અને ત્યાં ન્હાવા માટે રોકાયા હતા.

આ પણ વાંચોઃ નવસારીમાં વરસાદે એકનો ભોગ લીધો, બીજા માળેથી પટકાતા ડૂબી જતા મૃત્યું

નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુંઃ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંહ માન, અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને કોંગ્રેસના રાજા વારિંગ અને કેપ્ટન અમરિંદર સિંહે આ ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે પણ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે.

વહીવટીતંત્રએ આપી હતી સૂચનાઃ બાબા ગરીબનાથ મંદિરના દર્શન કરવા માટે પંજાબના લોકો મોટી સંખ્યામાં આવે છે. તે ગોવિંદ સાગર તળાવની મધ્યમાં આવેલું છે. જિલ્લામાં વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા લોકોને નાળાઓ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં લોકો નદી નાળા પાસે જવાનું ટાળતા નથી.

Last Updated : Aug 2, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.