ETV Bharat / bharat

પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે

author img

By

Published : Nov 8, 2021, 12:59 PM IST

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ(Gurmeet Ram Rahim Singh)ની 2015ના અપમાન કેસમાં પંજાબ પોલીસની વિશેષ તપાસ ટીમ(Special Investigation Team) દ્વારા પૂછપરછ કરવામાં આવશે. આથી સોમવારે SIT હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં પહોંચી છે.

પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે
પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે

  • SIT ગુરમીત રામ રહીમની આજે પૂછપરછ કરશે
  • બળાત્કાર કરવા બદલ 2017માં સજા ફટકારવામાં આવી હતી
  • ચાર સભ્યોની તપાસ ટીમ સવારે રાજપુરાથી સુનારિયા જેલ જવા રવાના

ચંડીગઢ: પંજાબ પોલીસની એક વિશેષ તપાસ ટીમ (Special Investigation Team) 2015 ના બળાત્કાર કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ(Gurmeet Ram Rahim Singh)ની પૂછપરછ કરવા માટે સોમવારે હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં પહોંચી છે.ગુરમીત રામ રહીમ સિંહને તેના બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 2017માં સજા ફટકારવામાં આવી ત્યારથી તે સુનારિયા જેલ(Sunaria Jail)માં બંધ છે. આ ઉપરાંત શીખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની 'બીર' (પ્રતિ)ની ચોરીના કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું.

રાજપુરાથી સુનારિયા જેલ જવા રવાના થઈ SIT

અધિકારીઓએ જણાવ્યું કે ઇન્સ્પેક્ટર જનરલ એસપીએસ પરમારની આગેવાનીમાં ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમ સવારે રાજપુરાથી સુનારિયા જેલ જવા રવાના થઈ હતી. ટીમના અન્ય સભ્યોમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક એમએસ ભુલ્લર, નાયબ પોલીસ અધિક્ષક લખવીર સિંહ તેમજ ઈન્સ્પેક્ટર દલબીર સિંહનો સમાવેશ થાય છે. રોહતક જતા પહેલા પરમારે કહ્યું કે આ તપાસની પ્રક્રિયા છે, જેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. આ ઉપરાત તે તેના પર આધાર રાખે છે કે શું તે સહકાર આપે છે કે નહીં, તેના જવાબો યોગ્ય છે કે કેમ.

આ પણ વાંચોઃ 19 વર્ષ જૂના રણજીત મર્ડર કેસમાં મોટો ચુકાદો, રામ રહીમ સહિત 5 આરોપી દોષી જાહેર

આ પણ વાંચોઃ આફ્રિકામાં તેલનું ટેન્કર ફાટ્યુ , 92 લોકોએ ગુમાવ્યો જીવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.