ETV Bharat / bharat

Maharashtra Politics: પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ પ્રફુલ પટેલ-સુનિલ તટકરે સાથે અજિતે બનાવી નવી ટીમ

author img

By

Published : Jul 3, 2023, 6:35 PM IST

સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીમાંથી હટાવવાની જાહેરાત કર્યા પછી અજિત પવાર જૂથે આજે એક મોટો નિર્ણય લીધો અને સુનિલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ અને અનિલ પાટીલને મુખ્ય દંડક તરીકે ચૂંટ્યા હતા.

Etv Bharat
Etv Bharat

મુંબઈઃ અજિત પવારના બળવા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. NCP પ્રમુખ શરદ પવારે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીમાંથી હાંકી કાઢવાની જાહેરાત કર્યા બાદ પ્રફુલ પટેલે કહ્યું કે હું કાર્યકારી પ્રમુખ છું. મેં નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે પક્ષ કે ચૂંટણી પંચ કોઈપણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લઈ શકે નહીં. આ કામ માત્ર વિધાનસભાના સ્પીકર જ કરી શકે છે.

  • #WATCH राष्ट्रवादी कांग्रेस पार्टी का राष्ट्रीय कार्यकारी अध्यक्ष होने के नाते मैंने महाराष्ट्र( प्रदेश अध्यक्ष) की ज़िम्मेदारी सुनील तटकरे को देने का फैसला किया है....अनिल भाईदास पाटिल को हमने फिर से महाराष्ट्र विधानसभा में NCP का मुख्य सचेतक नियुक्त किया है: NCP नेता प्रफुल्ल… pic.twitter.com/UCMvqVOjg6

    — ANI_HindiNews (@AHindinews) July 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવા પદાધિકારીઓની નિમણુક: NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અજિત પવારને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમે અમારા નિર્ણય વિશે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને જાણ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે અમે તેમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને તેમના આશીર્વાદ આપે કારણ કે તેઓ અમારા ગુરુ છે. અમે અજિત પવારના નેતૃત્વમાં સરકારમાં જોડાયા હતા. અમે NCP તરીકે કેટલાક નિર્ણયો લીધા છે, જેના વિશે અમે મહારાષ્ટ્રના લોકોને જણાવવા માંગીએ છીએ. અમે પાર્ટી માટે મોટા નિર્ણયો લીધા છે. સત્તાવાર રીતે, NCPએ મને કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. હું કાર્યકારી પ્રમુખ પહેલા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયો હતો.

  • #WATCH हमारी उनको(शरद पवार) हाथ जोड़कर विनती है कि पार्टी के बहुसंख्यक वरिष्ठ नेताओं और कार्यकर्ताओं की इच्छा का वे आदर करें। उनका आशीर्वाद हम पर और पार्टी पर हमेशा बना रहे: NCP नेता प्रफुल्ल पटेल#MaharashtraPolitics pic.twitter.com/7yCOGC1afj

    — ANI_HindiNews (@AHindinews) July 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હકાલપટ્ટી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સોમવારે તેના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને લોકસભાના સભ્ય સુનીલ તટકરેને "પાર્ટી વિરોધી" પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા હતા. બંનેએ બળવામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ટેકો આપ્યો હતો. અજિત પવાર એકનાથ શિંદે-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જોડાયા પછી પવારે આ પગલું ભર્યું હતું. અજિત પવારની સાથે તટકરેની પુત્રી અદિતિ સહિત અન્ય આઠ ધારાસભ્યોએ પણ રવિવારે મંત્રી તરીકે શપથ લીધા હતા.

શરદ પવારે ટ્વીટ કર્યું: હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને આદેશ આપું છું કે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે NCP પાર્ટીના સભ્યોના રજિસ્ટરમાંથી હટાવ્યા તેમણે રાજ્યસભાના સભ્ય પટેલને પણ ટેગ કર્યા. જેમને ગયા મહિને જ NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પવારે પોતાના ટ્વીટમાં તટકરેને પણ ટેગ કર્યા છે.

  1. Maharashtra Politics: અજિત પવારે શિંદેને હટાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા, 'સામના'માં દાવો
  2. Maharashtra Political Crisis: અજિત પવાર સહિત 9 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ, NCPએ કરી અરજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.