ETV Bharat / bharat

Politics On Education In Gujarat: મનીષ સિસોદીયાએ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, દિલ્હીની શાળાઓની મુલાકાતે આવવા આપ્યું આમંત્રણ

author img

By

Published : Apr 13, 2022, 4:20 PM IST

મનીષ સિસોદીયાએ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, દિલ્હીની શાળાઓની મુલાકાતે આવવા આપ્યું આમંત્રણ
મનીષ સિસોદીયાએ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, દિલ્હીની શાળાઓની મુલાકાતે આવવા આપ્યું આમંત્રણ

મનીષ સિસોદીયાએ ગુજરાતના મુખ્યપ્રધાનને લખેલો પત્ર હાલમાં ચર્ચમાં છે. પત્ર દ્વારા તેમણે જીતુ વાઘાણી અને ગુજરાતના શિક્ષણ અધિકારીઓને દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતે (Politics On Education In Gujarat) આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે.

અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર (Manish Sisodia's Letter To Gujarat CM) લખીને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યના શિક્ષણ અધિકારીઓને દિલ્હીની સરકારી શાળાઓ (Government Schools In Delhi)ની મુલાકાત (Politics On Education In Gujarat) લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ મુદ્દે જ્યારે જીતુ વાઘાણીને પૂછવામાં આવ્યું તો તેમણે મનીષ સિસોદીયાના પત્રના જવાબમાં ફક્ત "થેંક્યું' તેવો જવાબ આપ્યો હતો.

બાળકોને સારું શિક્ષણ મળવું જોઇએ- મનીષ સિસોદીયાએ પત્રમાં લખ્યું છે કે, 'રાજકીય લડાઈઓ અને સ્પર્ધા પોતાની જગ્યાએ છે, પરંતુ મને લાગે છે કે દેશના એક-એક બાળકને પાયાની શિક્ષણ સુવિધાઓ (Basic education facilities In Gujarat) ઉપલબ્ધ કરાવવી અને સારું શિક્ષણ (quality of education in gujarat) ઉપલબ્ધ કરાવવું આપણા બધા રાજકીય પક્ષોની જવાબદારી છે.'

  • गुजरात के माननीय मुख्यमंत्री और शिक्षामंत्री जी को “केजरीवाल मॉडल ऑफ़ गवर्नन्स” के तहत आधुनिक भारत की नींव रख रहे दिल्ली के सरकारी स्कूल देखने के लिए आमंत्रित करने हेतु मैंने पत्र लिखा है. pic.twitter.com/SLunKtxD2k

    — Manish Sisodia (@msisodia) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મને ખુશી છે કે BJPના સાંસદોએ દિલ્હીની સ્કૂલોની મુલાકાત કરી- વધુમાં તેમણે લખ્યું છે કે, 'મને ખુશી છે કે જે દિવસે હું ગુજરાતની સ્કૂલોની મુલાકાતે (Manish Sisodia Gujarat Visit) હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ દિલ્હીની સરકારી સ્કૂલો (BJP MPs In Delhi Schools)માં પણ આખો દિવસ મુલાકાત કરી અને સમસ્યાઓ શોધવાનો પ્રયત્ન કર્યો. મને ગર્વ છે કે સંપૂર્ણ પ્રયત્ન કરવા છતાં તેમને દિલ્હી સરકારની એકપણ સ્કૂલ (Manish Sisodia in Bhavnagar Schools) એવી ન મળી જ્યાં કરોળિયાના જાળા લાગ્યા હોય, જ્યાં બાળકોને બેસવા માટે ડેસ્ક ના હોય, ભણાવવા માટેની બાકીની સુવિધાઓ ન હોય. મજબૂરીમાં એ સાંસદોએ એ રૂમની તસવીરો ટ્વીટ કરવી પડી જ્યાં કોઈ ટોયલેટ તૂટેલું પડ્યું હોય અથવા ક્યાંક વ્હાઇટ વોશ જૂનું થઈ ગયું હતું અથવા ક્યાંક ડેટિંગ પેન્ટિંગ ચાલી રહી હતી.'

આ પણ વાંચો: Manish Sisodia Gujarat Visit: ગુજરાતનો વિકાસ જોવા ઉત્સુક: મનીષ સિસોદિયા

દિલ્હીના સરકારી સ્કૂલોના મોડલ વિશે જાણવા ઇચ્છશો- મનીષ સિસોદીયાએ પત્રમાં આગળ લખ્યું છે કે, 'હું ઘણાં આદર અને સન્માન સાથે તમને અને તમારા શિક્ષણ પ્રધાન (Education Minister Of Gujarat) માનનીય જીતુ ભાઈ વાઘાણીજીને તથા તમારા શિક્ષણ વિભાગના અધિકારીઓને દિલ્હીની સરકારી સ્કૂલોને જોવા માટે, અમારા અધ્યાપકો સાથે અને બાળકો સાથે વાત કરવા માટે આમંત્રિત કરું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, રાજકીય મતભેદોને નજરઅંદાજ કરીને તમે ગુજરાતના બાળકોના હિતમાં એ જરૂર જાણવા-સમજવા ઇચ્છશો કે દિલ્હીની સરકારી સ્કૂલોનું મોડલ (delhi government school model) કેટલીક સરકારી સ્કૂલો બનાવવાની જગ્યાએ દરેક સ્કૂલ સારી બનાવવામાં કેવી રીતે સફળ થયું.'

આ પણ વાંચો: Survey By Bhavnagar Municipal Corporation: સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી

ભાવનગરની સ્કૂલોની મુલાકાતે આવ્યા હતા સિસોદીયા- ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગર (Manish Sisodia Bhavnagar Visit)માં આવેલી સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. મનીષ સિસોદીયાની આ મુલાકાતમાં ભાવનગરની શાળાઓની સ્થિતિની પોલ ખુલી ગઈ હતી. તો બીજી તરફ દિલ્હીમાં પણ ભાજપના નેતાઓએ આપ સરકારની સરકારી શાળાઓની મુલાકાત લઇને શાળાની વાસ્તવિક સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો હવે મનીષ સિસોદીયાએ પત્ર લખીને દિલ્હીની સ્કૂલો જોવા આવવા માટે જીતુ વાઘાણી અને રાજ્ય સરકારના શિક્ષા વિભાગના અધિકારીઓને આપેલા ખુલ્લા આમંત્રણથી રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.