ETV Bharat / bharat

સંકુચિત રાજકારણે આપણી ખેલ સંસ્થાઓને સડાવી નાખી

author img

By

Published : Jan 18, 2021, 7:03 PM IST

વર્ષો વિતતાં ગયાં તેમ, આપણા રમત સંગઠનો અને સંઘોએ કુખ્યાતિ પ્રાપ્ત કરી છે કારણકે રાજકારણ અને ભ્રષ્ટ વ્યવહારોએ તેમને ઘેરી લીધા છે અને તેના કારણે લાયકાતવિહીન વ્યક્તિઓને રમવાની તક મળે છે. ગત વર્ષે જૂનમાં, કેન્દ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન માટે ૫૪ રમત સંસ્થાઓની માન્યતા નિરસ્ત કરી દીધી. પરંતુ તેને પછીથી પોતાના નિર્ણયને પાછો ખેંચવો પડ્યો.
sports associations
sports associations

ન્યૂઝ ડેસ્ક: વર્ષો વિતતાં ગયાં તેમ, આપણા રમત સંગઠનો અને સંઘોએ કુખ્યાતિ પ્રાપ્ત કરી છે કારણકે રાજકારણ અને ભ્રષ્ટ વ્યવહારોએ તેમને ઘેરી લીધા છે અને તેના કારણે લાયકાતવિહીન વ્યક્તિઓને રમવાની તક મળે છે. ગત વર્ષે જૂનમાં, કેન્દ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન માટે 54 રમત સંસ્થાઓની માન્યતા નિરસ્ત કરી દીધી. પરંતુ તેને પછીથી પોતાના નિર્ણયને પાછો ખેંચવો પડ્યો.

કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં ૧૪ રમત સંસ્થાઓના સંચાલન વિભાગોની ચૂંટણી યોજવા કહ્યું હતું જેમાં કોઈ ચૂક ન થવી જોઈએ. આ નિર્દેશ પછી સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું છે?

ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનની અવધિ વધારવા પર સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ સીધો પ્રશ્ન મૂક્યો- અવધિ પૂરી થઈ ગયા પછી પણ તમે ચૂંટણી કેમ યોજી રહ્યા નથી? જોકે આ પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો.

બૉક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની સામાન્ય સભાની બેઠક ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાવાની હતી. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળાના કારણે તેને વિલંબિત કરવામાં આવી. ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ) બે જૂથોમાં ઊભી રીતે વહેંચાઈ ગઈ છે. ચૌહાણ છાવણીએ વિરોધી જૂથ દ્વરા દાખલ કરેલ નામાંકનને પડકાર્યું છે. ફેડરેશનમાં જે ઑનલાઇન મતદાન થવાનું છે તેના પર પણ તેણે શંકા વ્યક્ત કરીછે. છેવટે એઆઈસીએફના મહત્ત્વના હોદ્દાઓ ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમની વ્યક્તિઓને મળ્યા, આ રાજ્યો ચેસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય નથી. ઑલ ઇન્ડિયા ગૉલ્ફ એસોસિએશનની ચૂંટણીમાં પણ વિવાદ જાગ્યો હતો જેમાં એવો આક્ષેપ થયો છે કે એક રાજ્યમાં રહેતા વ્યક્તિઓએ બીજા કોઈ રાજ્યમાંથી ઉમેદવારી કરી છે. ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન અને નેશનલ સ્પૉર્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા રમતની સંસ્થાઓમાં સરકારી કર્મચારીઓની ચૂંટણીને લગતા નવા નિયમો પર ક્રોધિત છે. સાડા ચાર વર્ષ જૂની યોગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ નવી સંસ્થા નેશનલ યોગાસન ક્રીડા ફેડરેશનને સત્તાવાર દરજ્જો અપાયો તે મુદ્દે ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર આપ્યો છે. રમત વિકાસ મોરચે પ્રવર્તી રહેલી કરુણાજનક સ્થિતનાં આ બધાં ઉદાહરણ છે.

સુરીનામ અને બુરુંડી જેવા નાના દેશો પણ ઑલિમ્પિકમાં ઝળહળતો દેખાવ કરે છે ત્યારે ભારતનો દેખાવ ખૂબ જ ખરાબ રહે છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં રમતનાં પૂરતાં મેદાન નથી અને રમત શિક્ષકોની પણ અછત છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. દુર્ભાગ્યે તેમનાં માતાપિતાનો સહકાર મેળવતા આવડતવાળાં અને પ્રયોજકો તરફથી ભંડોળ પણ મેળવતાં બાળકોને યોગ્ય પ્રશિક્ષકો નથી મળતા અને તેમની રમત કુશળતાને સુધારવા માટે મૂળભૂત સુવિધા પણ નથી હોતી. જુનિયર સ્તરે પોતાની પ્રતિભા પૂરવાર કરી હોય પરંતુ રમત ગમતના સંઘો અને સંગઠનોમાં પ્રવર્તતા સંકુચિત અને હલકા રાજકારણના કારણે તમામ આશા ગુમાવ્યા પછી તેઓ આગળ વધી શકતા નથી.

ચેસની રમતમાં ચમત્કાર ગણાતો નિહાલ સરીન વર્ષ ૨૦૧૪માં ૧૦ વર્ષ હેઠળનો (અંડર ૧૦) વિજેતા બન્યો હતો. તેને ૧૪ વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનું શીર્ષક પણ મળ્યું હતું અને સાઇના નેહવાલ, પી. વી. સિંધુ તથા સાનિયા મિર્ઝા જેવાં રત્નોએ સાબિત કર્યું છે કે ભારતમાં રમત પ્રતિભાની કોઈ ખોટ નથી. જોકે જમીન સ્તરે કાચી પ્રતિભાઓ જે આગળ જતાં રમતની દુનિયામાં કોહિનૂર બની શકે તેમ હોઈ શકે, તેમને ઓળખવામાં ચૂક થાય છે.

ચીનથી માંડીને ઑસ્ટ્રેલિયા, યુકેથી લઈ કેન્યા અને જમૈકા જેવા દેશો કુદરતી પ્રતિભાને ઓળખી કાઢે છે અને તેમને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે જેથી તેમના રાષ્ટ્રીય ગૌરવો રમતના મંચો પર ઝળકી ઊઠે. તેનાથી વિરુદ્ધ ભારતમાં અસંખ્ય સંઘો અને સંગઠનો દેશમાં આયોજિત રમત વિકાસના ઉદ્દેશ્યમાં અડચણો ઊભી કરી રહ્યા છે.

એ વાત સાચી છે કે એકાગ્રતા, નિશ્ચયાત્મકતા અને લડવાની ભાવના વિકસાવતી રમતોને ઉત્તેજન આપવાની જવાબદારી રમતના સંઘો અને સંગઠનોને આપવી જોઈએ જેથી પ્રતિભાવાન વ્યક્તિઓ પૈકી રત્નો પસંદ થાય અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને ગૌરવ અપાવે. રમત સંસ્થાઓને તેમના કામકાજમાં વધુ પારદર્શક બનાવે તેવા સુધારા અને તેમના સંચાલન વિભાગોમાં માત્ર લાયક વ્યક્તિઓ ચૂંટાય તેવા સુધારા દ્વારા જ રમત સંસ્થાઓને લાગેલો સડો દૂર કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.