ETV Bharat / bharat

વિકાસને ગતિ આપશે કોચ્ચિ-મંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન, વડાપ્રધાન મોદી

author img

By

Published : Jan 5, 2021, 1:03 PM IST

વડાપ્રધાન મોદીએ કોચ્ચિ-મંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પાઈપ લાઈન બંન્ને રાજ્યોમાં લાખો લોકો માટે ઈઝ ઓફ લિવિંગ વધારશે. તેમજ આ પાઈપ લાઈન બંન્ને રાજ્યોના ગરીબ, મધ્યમ વર્ગ અને ઔદ્યગિક ખર્ચો ઓછો કરશે.ત્રીજું આ પાઈપ લાઈન શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રબ્યૂશન સિસ્ટમનું માધ્યમ બનશે. ચૌથું શહેરોમાં સીએનજી આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકસિત કરવાનું માધ્યમ બનશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

  • પરિયોજનાની કુલ કિંમત અંદાજે 3000 કરોડ રુપિયા
  • 2014 સુધીમાં આપણા દેશમાં માત્ર 25 લાખ પીએનજી કનેક્શન
  • બંન્ને રાજ્યોના વિકાસને ગતિ આપવા માટે ખુબ મોટી ભુમિકા

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોચ્ચિ-મંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ કાર્યક્રમ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કાર્ય છે.

આ ત્તકે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાનની સાથે-સાથે કર્ણાટક તેમજ કેરળના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોચ્ચિ-મંગલરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન

કુલ 450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જેની પરિવહન ક્ષમતા 12 મિલિયન મેટ્રિક ક્યૂબિક મીટર પ્રતિદિન છે. આ કોચ્ચિ (કેરળ) સ્થિત તરલીકૃત પ્રાકૃતિક ગેસ (એલએનજી)ના પુનર્ગાસીકરણ ટર્મિનલથી અર્નાકુલમ , ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાંથી થઈ મંગલુરુ (દક્ષિણ કન્નડ જિલ્લા, કર્ણાટક) સુધી પ્રાકૃતિક ગેસ લઈ જશે.

આ પરિયોજનાની કુલ કિંમત અંદાજે 3000 કરોડ રુપિયા હતી. એન્જિનિયરિંગના હિસાબે આ પાઈપલાઈન એક પડકાર હતી કારણ કે, આ પાઈપલાઈન તેમના માર્ગમાં 100થી વધુ સ્થાનો પર પાણી પાર કરવું જરુરી હતી. આ પડકાર કાર્ય ક્ષૈતિજ દિશાત્મક ડ્રિલિંગ વિધિના નામે એક વિશેષ ટેકનીકલ દ્વારા પુર્ણ કરવામાં આવી છે.

આ પાઈપલાઈનની સહાયતાથી સામાન્ય લોકો ઘરોમાં પાઈપ પ્રાકૃતિક ગેસ (પીએનજી) અને પરિવહન ક્ષેત્ર સંપીડિત પ્રાકૃતિક ગેસ (સીએનજી)ના રુપમાં પર્યાવરણને અનુકુળ અને સસ્તું ઈધણ પુરુ પાડશે.

આ પાઈપ લાઈન તેમના માર્ગમાં આવનાર જિલ્લાની વાણિજન્ય અને ઔધગિક એકમોને પણ પ્રાકૃતિક ગેસ પુરુ પાડશે. સ્વચ્છ ઈધણના વપરાશથી વાયુ પ્રદુષણ પર અંકુશ લાવતા વાયુની ગુણવતામાં સુધારો કરવાની મદદ મળશે.

આ પાઈપ લાઈનના નિર્માણ દરમિયાન 12 લાખ લોકોએ માનવ દિવસનો રોજગાર સર્જન થયું છે. પાઈપ લાઈન શરુ થયા બાદ પણ રોજગાર અને સ્વરોજગારને એક નવું ઈકોસિસ્ટમ કેરળ અને કર્ણાટકમાં ખુબ જ ઝડપથી વિકસિત થશે.

2014 સુધીમાં આપણા દેશમાં માત્ર 25 લાખ પીએનજી કનેક્શન હતા. આજે દેશમાં 72 લાખથી વધુ ઘરોમાં રસોઈ માટે પાઈપ મારફતે ગેસ પહોંચી રહ્યો છે. કોચી-મૈંગલુરુ પાઈપ લાઈનથી 21 લાખ નવા લોકો પીએનજી સેવાનો લાભ લઈ શકશે.લાંબા સમય સુધી ભારતમાં એલપીજી કવરેજની સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ. વર્ષ 2014 સુધી 14 કરોડ એલપીજી કનેક્શન દેશમાં હતુ. તો છેલ્લા 6 વર્ષોમાં આટલા જ કનેક્શન ફરી આપવામાં આવશે.

ઉજ્જવલા યોજના જેવી સ્કીમથી દેશમાં 8 કરોડ થી વધુ પરિવારોના ઘરોમાં રસોઈ ગેસ તો પહોંચી છે. સાથે આ પહેલા એલપીજીથી જોડાયેલા ઈન્ફાસ્ટ્રક્ચર પણ દેશમાં મજબુત થયું છે.ઈલેક્ટ્રિક મોબિલિટી સાથે જોડાયેલા સેક્ટરોમાં પણ ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરેક દેશવાસીઓને સસ્તું, પર્યાપ્ત અને પ્રદુષણ રહિત ઈંધણ મળે આ સાથે અમારી સરકાર પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પાઈપ લાઈન બંન્ને રાજ્યોમાં લાખો લોકો માટે ઈર્ઝ ઓફ લિવિંગ વધારશે. તેમજ આ પાઈપ લાઈન બંન્ને રાજ્યોના ગરીબ, મધ્યમ વર્ગ અને ઔદ્યગિક ખર્ચો ઓછો કરશે.ત્રીજું આ પાઈપ લાઈન શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રબ્યૂશન સિસ્ટમનું માધ્યમ બનશે. ચૌથું શહેરોમાં સીએનજી આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકસિત કરવાનું માધ્યમ બનશે.

પાંચમું આ મેંગ્લોર કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઉર્જા આપશે. ઓછો ખર્ચ મદદ કરશે. છઠ્ઠો આ પાઈપ લાઈન મેંગ્લોર રિફાઈનરી અને પેટ્રો કેમિકલને ઉર્જા આપશે. સ્વચ્છ ઈંધણ આપશે.સાતમો ફાયદો આ બંન્ને રાજ્યોમાં પ્રદુષણ ઓછું કરશે. આઠમું પ્રદુષણ ઓછું કરતા તેની સીધી અસર પર્યાવરણ પર પડશે.9મું પર્યાવરણ સારું થવાથી લોકોનું સ્વાસ્થય પણ સારું રહેશે. 10મું જ્યારે પ્રદુષણ ઓછું હશે. શહેરોમાં ગેસ આધારિત સેવા થશે. તો ટૂરિઝમને પણ નવો વેગ મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોચી -મંગલુરુ પાઈપ લાઈન આ વાત ખુબ મોટું ઉદાહરણ છે કે, વિકાસની પ્રાથમિકતા જોઈ સૌ સાથે મળી કામ કરે, તો કોઈ પણ લક્ષ્ય અધરું નથી.

આ પ્રોજેક્ટમાં કેટલીક મુશ્કેલીઓ આવી પરંતુ આપણા શ્રામિકો, એન્જિન્યર , ખેડૂતો અને રાજ્ય સરકારોના સહયોગથી કામ પૂર્ણ થયું છે. કહેવાથી તો આ માત્ર પાઈપ લાઈન છે પરંતુ બંન્ને રાજ્યોના વિકાસને ગતિ આપવા માટે ખુબ મોટી ભુમિકા રજુ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.