ETV Bharat / bharat

PM Modi ગુજરાતમાં યોજાનારા Investor Summitને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે

author img

By

Published : Aug 12, 2021, 9:22 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતમાં યોજાનારા રોકાણકારોના સંમેલન (Investor Summit)ને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. આ સંમેલન વાહન જંક નીતિ (Vehicle junk policy) અંતર્ગત વાહનને જંકમાં બદલવાના પાયાના ઢાંચાની સ્થાપના માટે રોકાણ આમંત્રિત કરવા માટે યોજવામાં આવી રહ્યું છે.

PM Modi ગુજરાતમાં યોજાનારા Investor Summitને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે
PM Modi ગુજરાતમાં યોજાનારા Investor Summitને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતમાં યોજાનારા રોકાણકારોના સંમેલન (Investor Summit)માં લેશે ભાગ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ (Video Conference)ના માધ્યમથી હાજરી આપશે
  • વાહન જંક નીતિ (Vehicle junk policy) અંતર્ગત વાહનને જંકમાં બદલવાના પાયાના ઢાંચાની સ્થાપના માટે રોકાણ આમંત્રિત કરવા આ સંમેલન યોજાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે ગુજરાતમાં યોજાનારા રોકાણકારોના સંમેલન (Investor Summit)ને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) બુધવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ (Voluntary vehicle modernization program) અથવા વાહન જંક નીતિ (Vehicle junk policy) અંતર્ગત વાહનને જંકમાં બદલવાના પાયાના ઢાંચાની સ્થાપના માટે રોકાણ આમંત્રિત કરવાથી લઈને રોકાણકાર શિખર સંમેલન (Investor Summit)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- PM Modi addresses G-7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ-વન હેલ્થનો મંત્ર આપ્યો

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાત સરકાર સાથે મળી સંમેલનનું કર્યું આયોજન

આમાં એક સંકલિત જંક કેન્દ્ર (Integrated Junk Center)ના વિકાસ માટે અલંગમાં 'શિપ બ્રેકિંગ' (Ship breaking) ઉદ્યોગની સાથે તાલમેલ પર પણ ભાર આપવામાં આવશે. સંમેલનનું આયોજન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) અને ગુજરાત સરકાર (Government of Gujarat) કરી રહી છે. ગાંધીનગરમાં યોજાનારા આ સંમેલનમાં સંભાવિત રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાતો ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોના સંબંધિત પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- સાધુઓની ધર્મનીતિ : ધર્મસત્તા સ્થાપવા 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં સંત સંમેલન

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી પણ સંમેલનમાં આપશે હાજરી

આ અંગે આપવામાં આવેલા નિવેદન અનુસાર, આ પ્રસંગે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી (Union Minister for Road Transport and Highways Nitin Gadkari) તથા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Gujarat Chief Minister Vijay Rupani) પણ ઉપસ્થિત રહેશે. વાહન જંક નીતિ (Vehicle junk policy)નો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ અને સુરક્ષિત રીતે અયોગ્ય અને પ્રદૂષણ ફેલાવનારા વાહનોને તબક્કાવાર રીતે ઉપયોગથી હટાવવા માટે પાયાની સુવિધા ઉભી કરવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.