ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કઈ જગ્યાએ ઉજવશે યોગ દિવસ, જાણો

author img

By

Published : May 31, 2022, 10:11 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 21 જૂને મૈસુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણીમાં ભાગ લેશે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ (Karnataka Chief Minister Basavaraj Bomai) આ અંગે માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કઈ જગ્યાએ ઉજવશે યોગ દિવસ, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કઈ જગ્યાએ ઉજવશે યોગ દિવસ, જાણો

બેંગલુરુ: કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ (Karnataka Chief Minister Basavaraj Bomai) સોમવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 21 જૂને મૈસુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણીમાં ભાગ લેશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોમાઈએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ સંદર્ભે તેમની સાથે વીડિયો કોન્ફરન્સ કરી અને કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો: આ 8 રાજ્યોને ટૂંક જ સમયમાં ગરમીમાંથી મળશે છૂટકારો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન : વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં બોમાઈએ કહ્યું કે, 'તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મોટા પાયે આયોજન કરવા માટે મૈસુર પેલેસ સંકુલમાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે અને હું તમારા (વડાપ્રધાન)ના આગમનની રાહ જોઈ રહ્યો છું. નિવેદન અનુસાર, વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પી રવિકુમાર, અધિક મુખ્ય સચિવ વંદિતા શર્મા, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ એન મંજુનાથ પ્રસાદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: ખરાબ હવામાનને કારણે દુર્ઘટનામાં થયું તારા એરનું પ્લેન ક્રેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.