ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ બેઠકમાં રસીકરણ અને કોરોના પર ચર્ચા કરી

author img

By

Published : May 15, 2021, 1:01 PM IST

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ​​દેશમાં કોરોના મહામારીનેે લગતી પરિસ્થિતિ અને રસીકરણને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

  • વડાપ્રધાન કોરોના સંક્રમણના કેસો પ્રત્યે ગંભીર
  • કેન્દ્ર દ્વારા આ સંકટને પહોંચી વળવા રણનીતિ તૈયાર કરવામાં આવી
  • ભારતીય તબીબી સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો પણ બેઠકમાં હાજર રહ્યા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો પ્રત્યે ગંભીર છે. કેન્દ્ર દ્વારા આ સંકટને પહોંચી વળવા તમામ સંભવિત પગલા લેવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 9.5 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો આપ્યો

વડાપ્રધાને રસીકરણની નવીનતમ સ્થિતિને લઈને બેઠક યોજી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોના અને કોરોનાના રસીકરણની નવીનતમ સ્થિતિને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન પણ હાજર હતા. આ સિવાય વડાપ્રધાન કાર્યાલય, આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ તેમજ ઈદની પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.