ETV Bharat / bharat

PM Modi 'બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ'ને કરશે સંબોધિત

author img

By

Published : Dec 11, 2021, 4:19 PM IST

Updated : Dec 12, 2021, 8:46 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિજ્ઞાન ભવનમાં (Commencement of insurance program at Vigyan Bhavan) બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને (PM MODI TO ADDRESS BANK DEPOSIT INSURANCE PROGRAMME) સંબોધશે. કેન્દ્ર સરકારે એક મોટા સુધારા અંતર્ગત બેન્ક જમા વીમા કવર (Deposit insurance covers)ને એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધું છે. જમા વીમા અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે.

PM Modi જમા વીમા કાર્યક્રમને કરશે સંબોધિત
PM Modi જમા વીમા કાર્યક્રમને કરશે સંબોધિત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે
  • કેન્દ્ર સરકારે બેન્ક જમા વીમા કવરને એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું
  • જમા વીમા અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે વિજ્ઞાન ભવનમાં (PM MODI TO ADDRESS BANK DEPOSIT INSURANCE PROGRAMME) 'બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ' (Bank deposit insurance programme)ને સંબોધિત કરશે.

જમા વીમા કવરની રકમ વધારાઈ

વડાપ્રધાન કાર્યાલયે (PMO) શનિવારે આ અંગે જણાવ્યું હતું કે, જમા વીમા (deposit insurance) અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે. આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાઓને પણ આવરી લે છે. આ મોટા સુધારા અંતર્ગત સરકારે બેન્ક જમા વીમા કવરને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધું છે.

આ પણ વાંચો- Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો

સંરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા સુધી પહોંચી

જમા વીમાની મર્યાદા પ્રતિ જમાકર્તા પ્રતિ બેન્ક 5 લાખ રૂપિયા સુધી વધાર્યા પછી ગયા નાણાકીય વર્ષના અંત સુધી સંપૂર્ણ રીતે સંરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા સુધી પહોંચી ગઈ છે. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કથી અનેકગણું છે.

આ પણ વાંચો- New Arrival in India: જાન્યુઆરીમાં રજૂ કરવામા આવી શકે છે 5G ટેસ્ટ પ્લેટફોર્મ, ટેલિકોમ સચિવનું નિવેદન

16 શહેરી સહકારી બેન્કોના જમાકર્તાઓને જાહેર કરાયો હપ્તો

જમા વીમા અને દેવા ગેરન્ટી કોર્પોરેશને વચગાળાની ભરપાઈનો પહેલો હપ્તો હાલમાં જ જાહેર કર્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેન્કોના જમાકર્તાઓને જાહેર કરવામાં આવી છે. આ શહેરી સહકારી બેન્કો પર રિઝર્વ બેન્કે અંકુશ લગાવ્યા છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 1 લાખ જમાકર્તાઓના વૈકલ્પિક બેન્ક ખાતાઓમાં 1,300 કરોડ રૂપિયાથી વધુની ભરપાઈ કરવામાં આવી છે.

Last Updated : Dec 12, 2021, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.