ETV Bharat / bharat

Postage stamps on Ram Mandir : પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ડાક ટિકિટ બહાર પાડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 2:42 PM IST

Etv Bharat
Etv Bharat

અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નજીક છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામ પર આધારિત પોસ્ટલ સ્ટેમ્પની બુકલેટ બહાર પાડી હતી.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે તેમણે વિશ્વભરમાં ભગવાન રામને સમર્પિત સ્ટેમ્પ્સનું પુસ્તક બહાર પાડ્યું હતું. સ્ટેમ્પમાં રામ મંદિર, ચૌપાઈ 'મંગલ ભવન અમંગલ હારિ', સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પો દર્શાવવામાં આવ્યા છે.

Postage stamps on Ram Mandir
Postage stamps on Ram Mandir

કુલ 6 ટિકિટ રીલીઝ કરી : વડાપ્રધાને કુલ 6 ટિકિટ જારી કરી છે. છ સ્મારક સ્ટેમ્પ્સમાં અયોધ્યાના રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીની છબીઓ શામેલ છે જે ભગવાન રામની દંતકથા સાથે સંકળાયેલા દેવતાઓ અને પ્રતીકો છે. આ સ્ટેમ્પ્સમાં સમાવિષ્ટ છબીઓ પાંચ ભૌતિક તત્વો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ 'પંચભૂત' તરીકે ઓળખાય છે. આ વિવિધ રચનાઓ દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી પંચમહાભૂતોની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે.

  • Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and Sculptures in… pic.twitter.com/ISBKLFORG4

    — ANI (@ANI) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બુકલેટમાં આ પ્રકારની માહિતી મળશે : આ સાથે તેમાં સૂર્યના કિરણો સાથેની ચોપાઈ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવાનો આમાંથી ઘણું શીખશે. પીએમ મોદીએ જાહેર કરેલી બુકલેટમાં 48 પેજ છે. આમાં 20 દેશોના સ્ટેમ્પ સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોમાં મુખ્યત્વે એન્ટિગુઆ, બાર્બુડા, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ફિજી, જીબ્રાલ્ટર, ગુયાના, ગ્રેનાડા, ઇન્ડોનેશિયા, નેપાળ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, શ્રીલંકા, થાઇલેન્ડ અને અમેરિકાનો સમાવેશ થાય છે.

  • There are 6 stamps which include: Ram Temple, Lord Ganesh, Lord Hanuman, Jatayu, Kevatraj and Ma Shabri.

    Gold leaf of sun rays and Chaupai lend a majestic icon to this miniature sheet. The five physical elements i.e. sky, air, fire, earth and water, known as 'Panchabhutas’ are… pic.twitter.com/R21IK8nyGx

    — ANI (@ANI) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાને સંદેશ જારી કર્યો : આ દરમિયાન પીએમ મોદીએ એક સંદેશ પણ જારી કર્યો છે. તેમણે કહ્યું કે, 'આજે શ્રી રામ મંદિરને સમર્પિત 6 સ્મારક ટિકિટ જારી કરવામાં આવી છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં ભગવાન શ્રી રામ સાથે સંબંધિત ટિકિટ જારી કરવામાં આવી છે. આ અંગે એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. આ સ્ટેમ્પ બુક વિવિધ સમાજોને શ્રી રામની આંતરરાષ્ટ્રીય અપીલ દર્શાવવાનો પ્રયાસ છે.

  1. Ram Mandir: 'ડિલિવરીની ડિમાન્ડ', ગર્ભવતી મહિલાઓએ 22 જાન્યુઆરીએ કરી ડિલિવરીની માંગ
  2. રામ મંદિરની લેટેસ્ટ તસવીરો જુઓ, બનો પવિત્ર ક્ષણના સાક્ષી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.