ETV Bharat / bharat

Saryu Nahar National Project in Balrampur : PM Modi એ બલરામપુરમાં 9,800 કરોડથી વધુ ખર્ચના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

author img

By

Published : Dec 11, 2021, 3:50 PM IST

પીએમ મોદીએ યુપીના બલરામપુરમાં સરયુ નહેર પ્રોજેક્ટનું ઉદઘાટન (PM Modi inaugurates Saryu Nahar National Project) કર્યું. પાંચ નદીઓ - ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને એકબીજા સાથે જોડવાનો (Saryu Nahar National Project in Balrampur) સમાવેશ થાય છે. જેથી પ્રદેશના જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય. ખેડૂતોના કલ્યાણ માટે વડાપ્રધાનના વિઝન અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવા માટેની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ (Saryu Nahar National Project in Balrampur) પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રિત કર્યું," પીએમઓએ (PMO) આમ જણાવ્યું હતું.

Saryu Nahar National Project in Balrampur : PM Modi એ બલરામપુરમાં 9,800 કરોડથી વધુ ખર્ચેના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
Saryu Nahar National Project in Balrampur : PM Modi એ બલરામપુરમાં 9,800 કરોડથી વધુ ખર્ચેના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
  • 9,800 કરોડથી વધુના ખર્ચે નિર્માણ
  • છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4,600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી

બલરામપુર (ઉત્તર પ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં (PM Modi to visit UP ) સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (PM Modi inaugurates Saryu Nahar National Project) કર્યું. આ પ્રોજેક્ટ રૂ. 9,800 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યો છે, જેમાંથી છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4,600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી હતી.

પ્રોજેક્ટ પર કામ 1978માં શરૂ કરવામાં આવ્યું હતું

સરયુ નહેર પ્રોજેક્ટમાં પાંચ નદીઓ - ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને એકબીજા સાથે જોડવાનો સમાવેશ ((Saryu Nahar National Project in Balrampur) ) થાય છે. જેથી પ્રદેશના જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય. PMO અનુસાર પ્રોજેક્ટ પર કામ 1978માં શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ નાણાકીય સહાયની સાતત્યતા, આંતરવિભાગીય સંકલન અને પર્યાપ્ત દેખરેખના અભાવને કારણે તેમાં વિલંબ થયો અને લગભગ 40 વર્ષ પછી પણ તે પૂર્ણ થયું ન હતું" ખેડૂત માટે વડાપ્રધાનનું વિઝન, કલ્યાણ અને સશક્તિકરણ, અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રિત કર્યું," PMOએ જણાવ્યું. પરિણામે 2016માં, પ્રોજેક્ટને સમય-મર્યાદામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (Irrigation water in agriculture in Uttar Pradesh) હેઠળ લાવવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

"આ પ્રયાસમાં, (PM Modi inaugurates Saryu Nahar National Project ) નવી નહેરો બાંધવા અને પ્રોજેક્ટમાં નિર્ણાયક કમીઓ દૂર કરવા માટે તેમજ અગાઉના જમીન સંપાદન સંબંધિત પેન્ડિંગ દાવાને ઉકેલવા માટે નવા જમીન સંપાદન માટે નવીન ઉકેલો મળી આવ્યા હતાં. પ્રોજેક્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર ચાર વર્ષમાં પૂરો થશે, એમ પીએમઓએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનની સિંચાઈ માટે ખાતરીપૂર્વકનું પાણી પણ પ્રદાન કરશે અને 6200 થી વધુ ગામોના લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર, ગોરખપુર અને મહારાજગંજ - પૂર્વીય ઉત્તર પ્રદેશના નવ જિલ્લાઓને પણ ફાયદો થશે

પાક ઉત્પાદન વધશે

પીએમઓએ (PM Modi inaugurates Saryu Nahar National Project ) એમ પણ કહ્યું હતું કે, આ ક્ષેત્રના ખેડૂતો, જેઓ પ્રોજેક્ટમાં અસાધારણ વિલંબથી સૌથી વધુ પીડિત હતાં, તેઓને હવે અપગ્રેડ કરેલ સિંચાઈ ક્ષમતાથી ઘણો ફાયદો થશે અને હવે તેઓ મોટાપાયે પાક ઉગાડી શકશે અને કૃષિને મહત્તમ કરી શકશે.

આ પણ વાંચોઃ Government of India System: ભારતમાં સિસ્ટમના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ: નીતિન ગડકરી

આ પણ વાંચોઃ Summit For Democracy 2021: PM મોદીએ કહ્યું- ભારત લોકશાહીનો અનુભવ શેર કરવા તૈયાર, બાઇડેનની પહેલની કરી પ્રશંસા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.