PM Modi In Gorakhpur: વડાપ્રધાને સમાજવાદી પાર્ટીને માર્યો ટોણો, કહ્યું- લાલ ટોપીવાળા ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ

author img

By

Published : Dec 7, 2021, 5:52 PM IST

PM Modi In Gorakhpur: સમાજવાદી પાર્ટીને માર્યો ટોણો, કહ્યું- લાલ ટોપીવાળા ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ

ગોરખપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi In Gorakhpur)એ ફર્ટિલાઇઝર ફેક્ટરી, AIIMS અને ICMRના પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન (pm modi inaugurates regional medical research center) કર્યું. જનસભાને સંબોધિત કરતા PM મોદીએ સપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

  • ડબલ એન્જિનવાળી સરકારે વિકાસનું કામ કોરોનામાં પણ અટકવા ન દીધું
  • લાલ ટોપીવાળાઓને લાલ બત્તીથી મતલબ રહ્યો છે
  • 7 વર્ષમાં 16 નવી AIIMS બનાવવા પર કામ ચાલી રહ્યું છે

ગોરખપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગોરખપુર (PM Modi In Gorakhpur)માં AIIMS (aiims gorakhpur inauguration), ફર્ટિલાઇઝર ફેક્ટરી, ICMRનું ઉદ્ઘાટન (pm modi inaugurates regional medical research center) કર્યું. આ દરમિયાન જનસભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, 2017 પહેલાની સરકારોએ AIIMS ગોરખપુર માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ઘણું દબાણ થવાના કારણે તેમણે અનિચ્છાએ AIIMS માટે જમીન આપી. આ લોકો ક્યારેય નહીં સમજે કે કોરોનાના સંકટ સમયે પણ ડબલ એન્જિનવાળી સરકારે (double engine government) વિકાસનું કામ અટકવા દીધું નથી. આ લોકોએ લોહિયા અને જયપ્રકાશ નારાયણના સંસ્કાર ક્યારનાય છોડી દીધા છે. આજે આખું ઉત્તરપ્રદેશ જાણે છે કે લાલ ટોપીવાળા (samajwadi party in uttar pradesh)નો લાલ બત્તી સાથે જ મતલબ રહ્યો છે. આતંકવાદીઓ પર દયા બતાવવા માટે, તેમને જેલમાંથી બહાર કાઢવા માટે લાલ ટોપીવાળા ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ છે. એટલે કે ખતરાની ઘંટડી છે.

PM મોદીએ ભોજપુરીમાં લોકોને શુભેચ્છા પાઠવી

પ્રોજેક્ટના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ભોજપુરીમાં લોકોને શુભેચ્છા પાઠવી (modi greeted people in Bhojpuri) હતી. વડાપ્રધાને મોટી સંખ્યામાં પહોંચેલા લોકોનો આભાર માન્યો હતો. જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 5 વર્ષ પહેલા તેઓ અહીં AIIMS અને ખાતરની ફેક્ટરીનો શિલાન્યાસ (foundation stone of aiims and fertilizer factory) કરવા આવ્યા હતા. આજે તમે મને આ બંનેનું એકસાથે લોકાર્પણ કરવાનું સૌભાગ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે, ICMRના પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટરને પણ આજે તેનું નવું બિલ્ડિંગ મળ્યું છે.

ગરીબ-શોષિત-વંચિતની ચિંતા કરનારી સરકાર હોય તો મહેનત કરે છે

PM મોદીએ કહ્યું કે, જ્યારે ડબલ એન્જિનની સરકાર હોય છે, તો ઝડપથી કામ પણ થાય છે. જ્યારે સારી નિયતથી કામ થાય છે તો સમસ્યાઓ પણ રોડું નથી બની શકતી. જ્યારે ગરીબ-શોષિત-વંચિતની ચિંતા કરનારી સરકાર હોય છે તો તે મહેનત પણ કરે છે, પરિણામ પણ લાવીને બતાવે છે. PM મોદીએ કહ્યું કે, તેમની સરકારે યુરિયાનો ખોટો ઉપયોગ રોક્યો, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ કર્યું. કરોડો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ (soil health card in up) આપ્યા જેથી ખબર પડી શકે કે, ખેતરને કયા પ્રકારના ખાતરની જરૂર છે. યુરિયાના ઉત્પાદનને વધારવા પર ભાર આપ્યો. બંધ પડેલા ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરીથી ખોલવા પર તાકાત લગાવી.

પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો

PM મોદીએ કહ્યું કે, ફર્ટિલાઇઝર પ્લાન્ટના શિલાન્યાસ (foundation stone of the fertilizer plant)ના સમયે તેમણે કહ્યું હતું કે, આ કારખાનાના કારણે ગોરખપુર આ આખા ક્ષેત્રમાં વિકાસની ધરી બનીને ઉભરશે. આજે તેઓ આને સત્ય થતાં જોઇ રહ્યા છે. આ કારખાનું રાજ્યના અનેક ખેડૂતોને પૂરતું યુરિયા તો આપશે જ, આનાથી પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો પ્રાપ્ત થશે. ગોરખપુર ફર્ટિલાઇઝર કારખાનાની ઘણી મોટી ભૂમિકા દેશને યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં થશે.

શેરડીના ખેડૂતો માટે અભૂતપૂર્વ કામ

દેશના જુદા જુદા ભાગોમાં 5 ખાતર પ્લાન્ટ શરૂ થયા બાદ દેશને 60 લાખ ટન વધારાનું યુરિયા મળશે. એટલે કે ભારતે હજારો કરોડ રૂપિયા વિદેશમાં નહીં મોકલવા પડે, ભારતના પૈસા ભારતમાં જ ખર્ચાશે. વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર આવી તે પહેલા UPમાંથી માત્ર 20 કરોડ લિટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને મોકલવામાં આવતું હતું. આજે ઉત્તર પ્રદેશના ખેડૂતો લગભગ 100 કરોડ લિટર ઇથેનોલ તેલ કંપનીઓને મોકલી રહ્યા છે. યોગી સરકારે ગયા વર્ષોમાં શેરડીના ખેડૂતો માટે અભૂતપૂર્વ કામ કર્યું છે. શેરડીના ખેડૂતો માટે લાભકારી ભાવ તાજેતરમાં વધારીને 350 સુધી વધારવામાં આવ્યો છે. પહેલાની 2 સરકારોએ 10 વર્ષમાં જેટલી ચુકવણી શેરડીના ખેડૂતોને કરી હતી, લગભગ એટલી ચુકવણી યોગીજીની સરકારે સાડા 4 વર્ષમાં કરી છે.

મગજના તાવના લગભગ 90 ટકા કેસ ઓછા થયા

વડાપ્રધાને કહ્યું કે, ગોરખપુર AIIMS અને ICMR રિસર્ચ સેન્ટર (gorakhpur aiims and icmr research center) બનવાથી હવે ઇન્સેફેલાઇટિસથી મુક્તિના અભિયાનને વધારે મજબૂતી મળશે. આનાથી બીજી સંક્રામક બીમારીઓ, મહામારીઓની વચ્ચે તેના બચાવમાં પણ UPને મદદ મળશે. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે તેમણે AIIMSનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારે કહ્યું હતું કે, મગજના તાવથી આ ક્ષેત્રને રાહત આપવા માટે સંપૂર્ણ મહેનત કરશે. અમારી સરકારે મગજના તાવને ફેલાવતા કારણોને દૂર કરવા પર પણ કામ કર્યું અને આનો ઉપચાર પણ કર્યો. આજે ગોરખપુર અને વસ્તી ડિવિઝનના 7 જિલ્લામાં મગજના તાવના લગભગ 90 ટકા કેસ ઓછા થઈ ગયા છે.

16 નવી AIIMS બનાવવા પર કામ ચાલી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી બાદથી આ સદીની શરૂઆત સુધી દેશમાં ફક્ત 1 AIIMS હતી. તેમણે કહ્યું કે, અટલજીએ વધુ 6 AIIMS માટે મંજૂરી આપી હતી. છેલ્લા 7 વર્ષોમાં 16 નવી AIIMS બનાવવા પર દેશભરમાં કામ ચાલી રહ્યું છે. અમારું લક્ષ્ય એ છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ જરૂર હોય.

આ પણ વાંચો: PM Modi To Visits Gorakhpur : વડાપ્રધાન 9600 કરોડથી વધુની યોજનાઓની આપશે ભેટ, AIIMSનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો: Farmers death during kisan andolan : સરકાર પાસે નથી એટલે કોંગ્રેસ ખેડૂતોના મોતનો આંકડો આપે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.