ETV Bharat / bharat

Pm Modi Gujarat Visits Live Update: જામનગરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું - "ભારતને જવાબદારી સોંપવા બદલ WHO નો આભાર"

author img

By

Published : Apr 19, 2022, 9:02 AM IST

Updated : Apr 19, 2022, 6:01 PM IST

બનાસકાંઠા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
બનાસકાંઠા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

17:31 April 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ

GCTM ગુજરાતનું ઔષધિનું મુખ્ય મથક બનશે

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHOના વડાનો આભાર માન્યો

વિશ્વમાં આરોગ્યના ક્ષેત્રમાં મોટી ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ તેનું ગૌરવ છે.

ભારતને મોટી જવાબદારી સોંપવા માટે WHOનો આભાર.

અમે તમારી અપેક્ષાઓને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દં કુમાર જુગનાથ સાથે માટે ત્રણ દાયકા જૂના સંબધો છે.

વર્ષ 2024માં આ આર્યુવૈદ સેન્ટર શરૂ થઈ જશે

ટ્રેડિશન મેડિસિનના યુગનો પ્રારંભ થશે.

જામનગરનો આર્યુવૈદ સાથેનો જૂનો નાતો રહ્યો છે.

માનવતાની સેવા કરવા માટેની આ બહુ મોટી જવાબદારી છે.

વેલનેસ એ જ આપણો ગોલ હોવો જોઈએ.

આ કેન્દ્ર જામનગરને વૈશ્વિક ફલક પર લઈ જશે.

સેંકડો વર્ષોના અનુભવ પછી આર્યુવૈદ તૈયાર થયું છે.

કોઈપણ રોગની દવા બેલેન્સ્ડ ડાયેટમાં છે

કોવિડ 19 વખતે આયુષ અને આર્યુવૈદનો ઉપયોગ કરાયો છે.

ગ્લોબલ સેન્ટર માટે મોદીએ પાંચ લક્ષ્ય આપ્યા.

ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટાબેઈઝ બનાવાશે, જે આર્યુવૈદમાં ઉપયોગી થશે.

ભારતને જવાબદારી સોપવામાં બદલ WHOનો આભાર વડાપ્રધાન

તણાવ દુર કરવા ભારતની પરંપરા કામ આવી

WHO વિશ્વાસ પર ભારત ખરું સાબીત થશે

આર્યુવૈદમાં અમૃત કળશનું ખૂબ મહત્વ છે.

આરોગ્ય ક્ષેત્ર માટે GCTM વૈશ્વિક હબ બનશેઃ પીએમ મોદી

ડિપ્રેશન દૂર કરવામાં પણ પરંપરાગત દવાઓ ઉપયોગી થાય છે.

પરંપરાગત દવાઓનું જ્ઞાન આગળની પેઢી સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ થવા જોઈએ.

ભારતની પરંપરાગત દવાઓ વિદેશીઓને પણ પ્રભાવી લાગી છે.

17:09 April 19

WHOના ડાયરેક્ટર ગુજરાતીમાં બોલ્યા

WHOના ડાયરેક્ટર ગુજરાતીમાં પૂછ્યું કેમ છો બધા મજામાં, ગુજરાતમાં આવીને ખુબ મજા આવી.

WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ કોઈ સંયોગ નથી; મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવાઓ વિશે સારી રીતે શીખવ્યું અને હું તેમનો ખૂબ આભારી છું. હું પણ 'બોલીવુડ' ફિલ્મો જોઈને મોટો થયો છું : WHO DG

આ ખરેખર વૈશ્વિક પ્રોજેક્ટ છે.

આનો અર્થ એ છે કે ભારત વિશ્વમાં જશે અને આખું વિશ્વ ભારતમાં આવશે,"

GCTM ગુજરાતનું ઔષધિનું મુખ્ય મથક બનશે

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન કરશે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHOના વડાનો આભાર માન્યો

વિશ્વમાં આરોગ્યના ક્ષેત્રમાં મોટી ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ તેનું ગૌરવ છે.

ભારતને મોટી જવાબદારી સોંપવા માટે WHOનો આભાર.

અમે તમારી અપેક્ષાઓને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ.

14:43 April 19

એરફોર્સના હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર

એરફોર્સના હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર
એરફોર્સના હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે. તેઓ એરફોર્સના હેલિકોપ્ટરમાં જામનગર પહોંચ્યા છે. કેન્દ્રિય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, સાંસદ પૂનમબેન માડમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તો આ અવસરે સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનને મળવા દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પહોંચ્યા હતા.

11:46 April 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના કર્યા વખાણ

11:19 April 19

બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન

  • Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના વરદ્‌ હસ્તે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન. https://t.co/fpwZyq1yIz

    — BJP Gujarat (@BJP4Gujarat) April 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

09:04 April 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીની 2016 મુલાકાતની યાદ તાજા કરી

  • I am delighted to be visiting @banasdairy1969 yet again. I had last visited the Dairy in 2016. That time a series of products of the Dairy were launched. I had also visited the Dairy in 2013. Here are glimpses from both programmes. pic.twitter.com/J8xlTPHT6e

    — Narendra Modi (@narendramodi) April 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદી આજે બનાસકાંઠા, જામનગરનો પ્રવાસ કરશે

PM મોદી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ કરશે

બનાસકાંઠાના દિયોદરમાં બનાસડેરીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

સવારે 9.40 વાગ્યે બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

બનાસકાંઠા બાદ PM મોદી જામનગરનો પ્રવાસ કરશે

08:28 April 19

બનાસકાંઠા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 તારીખથી 20 એપ્રિલ સુધી પોતાના વતન ગુજરાતમાં આવ્યા છે(Modi on a three-day visit to Gujarat). આ ત્રણ દિવસની મુલાકાતને ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે ખાસ ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારની મુલાકાત લેશે અને વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ તેમજ વિવિધ જગ્યાઓના ઉદ્ધાટન(Modi will inaugurate in Gujarat) કાર્યક્રમમાં હાજરી આપશે.

Last Updated :Apr 19, 2022, 6:01 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.