ETV Bharat / bharat

PM Modi addressed Gurparab Celebrations 2021: ગુરુ નાનક દેવે ભારતને સુરક્ષિત રાખવાનો માર્ગ મોકળો કર્યો

author img

By

Published : Dec 25, 2021, 2:08 PM IST

PM Modi addressed Gurparab Celebrations 2021: ગુરુ નાનક દેવે ભારતને સુરક્ષિત રાખવાનો માર્ગ મોકળો કર્યો
PM Modi addressed Gurparab Celebrations 2021: ગુરુ નાનક દેવે ભારતને સુરક્ષિત રાખવાનો માર્ગ મોકળો કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુનાનક દેવજીના ગુરુપર્વ સમારોહને (PM Modi addressed Gurparab Celebrations 2021) વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યો હતો.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છમાં લખપત સાહિબ ગુરુદ્વારામાં (PM Address at Lakhpat Sahib Gurdwara) ગુરુપરબની ઉજવણીમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન પ્રથમ શીખ ગુરુનાનક દેવની 552મી જન્મજયંતિ (552nd Birth Anniversary of Sikh Guru Nanak Dev) નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સંબોધન કર્યું હતું.

દિલ્હીના ગુરુદ્વારા બંગલા સાહબ લોકો માટે પ્રેરણા છેઃ PM

તે દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, ગુરુનાનક દેવજી અને તેમના પછી અમારા અલગ અલગ ગુરુઓએ ભારતની ચેતનાઓને તો પ્રજવ્વલિત રાખી જ છે. ભારતને પણ સુરક્ષિત રાખવાનો માર્ગ બનાવ્યો છે. આ રીતે ગુરુ અરજન દેવજીએ સમગ્ર દેશના સંતોના સદવિચારોને એક સૂત્રમાં બાંધ્યા અને સમગ્ર દેશને પણ એકતાના સૂત્રોમાં જોડી દીધા હતા. દિલ્હીના ગુરુદ્વારા બંગલા સાહબમાં તેમણે દુઃખી લોકોને રોગ નિવારણ કરી માનવતાનો જે રસ્તો બતાવ્યો હતો. તે આજે પણ દરેક શિખ અને દરેક ભારતવાસીઓ માટે પ્રેરણા (PM Address at Lakhpat Sahib Gurdwara) છે. કોરોનાના કપરા કાળમાં અમારા ગુરુદ્વારાઓએ જે રીતે સેવાની જવાબદારી ઉઠાવી હતી. તે ગુરુ સાહબની કૃપા અને તેમના આદર્શોનું જ પ્રતીક છે.

આ પણ વાંચો- CHRISTMAS EVE CELEBRATION AT BELUR MATH: જાણો રામકૃષ્ણ મિશનના મઠોમાં શા માટે ઉજવવામાં આવે છે નાતાલ

આપણા ગુરુઓના યોગદાનના કારણે રાષ્ટ્ર સુરક્ષિત છેઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આપણા ગુરુઓનું યોગદાન માત્ર સમાજ અને આધ્યાત્મિકતા સુધી મર્યાદિત નથી. તેના બદલે આપણું રાષ્ટ્ર, રાષ્ટ્રનું ચિંતન, રાષ્ટ્રની શ્રદ્ધા અને અખંડિતતા આજે સુરક્ષિત છે. તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન તપસ્યા છે. જે રીતે ગુરુ તેગ બહાદુરજી હંમેશા માનવતા પ્રત્યેના તેમના વિચારો માટે મક્કમ રહ્યા છે. તે જ રીતે તેઓ આપણને ભારતના આત્માનું દર્શન આપે છે. દેશે જે રીતે તેમને 'હિંદ કી ચાદર'નું બિરુદ આપ્યું, તે દર્શાવે છે કે, દરેક ભારતીયનો શીખ પરંપરા પ્રત્યે લગાવ છે.

ગુરુ ગોવિંદસિંહ સાહિબનું જીવન બલિદાનનું જીવંત ઉદાહરણઃ PM

તેમણે કહ્યું, ગુરુ તેગ બહાદુરની વીરતા અને ઔરંગઝેબ સામે તેમનું બલિદાન આપણને શીખવે છે કે, દેશ કેવી રીતે આતંક અને ધાર્મિક કટ્ટરતા સામે લડે છે. તેવી જ રીતે દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ સાહિબનું જીવન (PM Modi on Guru Govindsinh Sahib) પણ દરેક પગલા પર દ્રઢતા અને બલિદાનનું જીવંત ઉદાહરણ છે. અંગ્રેજોના શાસનમાં પણ આપણા શીખ ભાઈબહેનોએ જે બહાદુરી સાથે દેશની આઝાદી માટે લડ્યા, આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ, જલિયાવાલા બાગની તે ભૂમિ આજે પણ તે બલિદાનોની સાક્ષી છે.

આ પણ વાંચો- Tribute to Atal Bihari Vajpayee 2021: રાષ્ટ્રપતિ કોવિંદ, PM Modi સહિતના મહાનુભાવોએ અર્પણ કરી પુષ્પાંજલિ

વર્ષ 2001ના ભૂકંપ પછી મને ગુરુની કૃપાથી આ પવિત્ર સ્થાનની સેવા કરવાનો લહાવો મળ્યો હતો: PM

તેમણે કહ્યું, ગુરુદ્વારા લખપત સાહિબ સમયની (PM Address at Lakhpat Sahib Gurdwara) દરેક હિલચાલનું સાક્ષી રહ્યું છે. આજે જ્યારે હું આ પવિત્ર સ્થળ સાથે જોડાઈ રહ્યો છું, ત્યારે મને યાદ આવે છે કે, લખપત સાહેબે ભૂતકાળમાં કેવી રીતે તોફાનો જોયા છે. વર્ષ 2001ના ભૂકંપ પછી મને ગુરુની કૃપાથી આ પવિત્ર સ્થાનની સેવા કરવાનો લહાવો મળ્યો હતો. ત્યારે મને યાદ છે કે, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા કારીગરોએ આ સ્થળની અસલ ભવ્યતા જાળવી રાખી હતી.

વર્ષ 2019માં કરતારપુર સાહિબ કોરિડોરનું કામ અમારી સરકારે પૂર્ણ કર્યુંઃ PM

તેમણે કહ્યું હતું કે, ગુરુ નાનક દેવજીનો સંદેશ સમગ્ર વિશ્વમાં નવી ઉર્જા સાથે પહોંચે તે માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કરતારપુર સાહિબ કોરિડોર (PM on Kartarpur Sahib Corridor) જેની દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી. વર્ષ 2019માં અમારી સરકારે તેનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. તાજેતરમાં અમે અફઘાનિસ્તાનથી આદરણીય ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપોને ભારતમાં લાવવામાં સફળ થયા છીએ. ગુરુની કૃપાનો આનાથી મોટો અનુભવ કયો હોઈ શકે?

ખાલસા પંથની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ગુરુસિખ મોહકમસિંહજી ગુજરાતના હતાઃ PM

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જ્યારે હું થોડા મહિના પહેલા અમેરિકા ગયો હતો ત્યારે અમેરિકાએ ત્યાં ભારતને 150થી વધુ ઐતિહાસિક વસ્તુઓ પરત કરી હતી. પેશકબ્જ અથવા નાની તલવાર પણ છે, જેના પર ફારસી ભાષામાં ગુરુ હરગોવિંદજીનું નામ લખેલું છે. એટલે કે, આપણી પોતાની સરકારને પણ તેને પરત લાવવાનું સૌભાગ્ય મળ્યું. ગુજરાત માટે હંમેશા ગૌરવની વાત રહી છે કે, ચોથા ગુરસિખ, ભાઈ મોહકમ સિંહજી, ગુજરાતના હતા, જેમણે ખાલસા પંથની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દેવભૂમિ દ્વારકામાં તેમની યાદમાં ગુરુદ્વારા બેટ દ્વારકા ભાઈ મોહકમ સિંહનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દરેક ગરીબની સેવા, દરેક વંચિતને પ્રાથમિકતા એ આજે દેશની નીતિઃ PM

તેમણે કહ્યું હતું કે, આજે દેશ સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના મંત્ર પર આગળ વધી રહ્યો છે. આ મંત્રથી આજે દેશ દરેકના પ્રયાસોને પોતાની તાકાત બનાવી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી, આખો દેશ એકસાથે સપના જોઈ રહ્યો છે, તેમની સિદ્ધિ માટે એકસાથે પ્રયત્નશીલ છે. આજે દેશનો મંત્ર છે- એક ભારત, શ્રેષ્ઠ ભારત. આજે દેશનું લક્ષ્ય છે- નવા સક્ષમ ભારતનું પુનરુત્થાન. આજે દેશની નીતિ છે - દરેક ગરીબની સેવા, દરેક વંચિતને પ્રાથમિકતા.

વર્ષ 2001ના ભૂકંપથી ગુરુદ્વારાને થયું હતું નુકસાનઃ PM

આપને જણાવી દઈએ કે, દર વર્ષ 23થી 25 ડિસેમ્બર સુધી ગુજરાતના શિખ લખપત સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીનો (PM Address at Lakhpat Sahib Gurdwara) ગુરુ પરબ ઉજવવામાં આવે છે. ગુરુનાનક દેવ લખપત ગુરુદ્વારા સાહિબમાં રોકાયા હતા. ગુરુદ્વારા લખપત સાહિબમાં તેમની કેટલીક વસ્તુઓ રાખવામાં આવી છે, જેમાં ખડાઉ, પાલકી અને પાંડુલિપિઓ સામેલ છે. કેટલીક પાંડુલિપિઓ ગુરુમુખી લિપિમાં છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપથી આ ગુરુદ્વારાને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પછીથી આ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.