ETV Bharat / bharat

Raghav Chadha: AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો, કોર્ટનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 7:04 AM IST

AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પટિયાલા હાઉસ કોર્ટે સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં પ્રથમ વખત બનેલ સાંસદને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે, જ્યારે રાજ્યસભા સચિવાલય દ્વારા તેમને ભૂલથી બંગલો ફાળવવામાં આવ્યો હતો.

AAP Rajya Sabha MP Raghav Chadha to vacate Type 7 bungalow
AAP Rajya Sabha MP Raghav Chadha to vacate Type 7 bungalow

નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઇપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયનો બંગલો ખાલી કરવાની નોટિસને યથાવત રાખી છે. આ ઉપરાંત, કોર્ટે તેનો વચગાળાનો આદેશ પણ પાછો ખેંચી લીધો છે જેમાં રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા આદેશ: અગાઉ રાજ્યસભા સચિવાલયે રાઘવ ચઢ્ઢાને ટાઈપ-7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે રાજ્યસભા સચિવાલયના આદેશ પર રાઘવ ચઢ્ઢાએ આ બંગલો ખાલી કરવો પડશે. રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે એકવાર બંગલો ફાળવવામાં આવ્યા બાદ તેઓ છ વર્ષ સુધી સાંસદ રહેશે અને ત્યાં સુધી તેમને બંગલો ખાલી કરવા માટે કહી શકાય નહીં.

ભૂલથી ફાળવાયો હતો બંગલો: હકીકતમાં રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીના પંજાબમાંથી પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને પંડારા રોડ પર ટાઇપ-7 બંગલો ભૂલથી ફાળવ્યો હતો. જ્યારે, નિયમ મુજબ, પ્રથમ વખત સાંસદ બનેલા વ્યક્તિને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે. પરંતુ રાજ્યસભા સચિવાલયને તેની ભૂલનો અહેસાસ થતાં જ તેણે ચઢ્ઢાને બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો.

  1. Yashodhara Raje Scindia Retirement : યશોધરા રાજે સિંધિયાએ તેમના વિધાનસભા મતવિસ્તારને કહ્યું 'ગુડબાય', યશોધરાની નિવૃત્તિથી ભાજપની રાજનીતિ બદલાશે ?
  2. Newsclick Issue: દિલ્હી હાઈ કોર્ટે પોલીસને ઝાટકી, આરોપીના વકીલની વાત કેમ ન સાંભળી?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.