Parliament winter session 2021: રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, પૂછ્યું- કઈ વાતની માફી?

author img

By

Published : Nov 30, 2021, 4:59 PM IST

રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, પૂછ્યું- કઈ વાતની માફી?
રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, પૂછ્યું- કઈ વાતની માફી? ()

રાહુલ ગાંધીએ રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શન પર (rahul gandhi on suspension of rajya sabha MPs) સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સાંસદોને શા માટે માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા રાજ્યસભામાં સાંસદોનું સસ્પેન્શન (suspension of mp in rajya sabha) રદ કરવાની માંગને ફગાવી દેવામાં આવી હતી.

  • રાહુલે ટ્વીટ કરીને કહ્યું- સાંસદોએ માફી ન માંગવી જોઇએ
  • ચોમાસુ સત્રમાં અશોભનીય વર્તન કરવાના કારણે 12 સાંસદો સસ્પેન્ડ
  • શિયાળુ સત્રમાં સામેલ નહીં થઈ શકે સસ્પેન્ડ થયેલા સાંસદો

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન (rajya sabha mp suspended from parliament) પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે એક ટ્વીટ કરીને પછ્યું (rahul gandhi on suspension of rajya sabha MPs) કે, સાંસદોએ કઈ વાતની માફી માંગવી જોઇએ? રાહુલ ગાંધીએ લખ્યું કે, શું સાંસદોએ સંસદમાં જનતાનો અવાજ ઉઠાવવા માટે માફી માંગવી જોઇએ? રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ (rahul gandhi tweets)માં આ પ્રશ્નનો જવાબ પણ આપ્યો. તેમણે લખ્યું કે, સાંસદોએ માફી બિલકુલ ન માંગવી જોઇએ.

ગત ચોમાસુ સત્રમાં અનેકવાર સંસદની મર્યાદા કલંકિત થઈ

ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર (parliament monsoon session 2021)માં અશોભનીય વર્તન કરવા બદલ 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર (parliament winter session 2021)માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સાંસદોનું અશોભનીય વર્તન (indecent behavior of mps in parliament of india) ભૂતકાળમાં પણ ઘણી વખત સામે આવ્યું છે. ગત ચોમાસુ સત્ર દરમિયાન, એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે સંસદની મર્યાદાને કલંકિત કરવામાં આવી. અધ્યક્ષ નાયડુ પોતે અનેક પ્રસંગોએ ઉશ્કેરાયેલા જોવા મળ્યા હતા.

નિર્મલા સીતારમણે સંસદમાં હોબાળાને 'હિંસક પ્રદર્શન' ગણાવ્યું

રાજ્યસભાની કાર્યવાહીના 11માં દિવસે સરકારનો વિરોધ કરી રહેલા રાજ્યસભાના આંદોલનકારી સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં ઘૂસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેના પર અધ્યક્ષ વેંકૈયા નાયડુ (venkaiah naidu chairman of rajya sabha) ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, કોઈપણ સભ્ય અધ્યક્ષને કાર્યવાહીના સંચાલન અંગે સૂચના આપી શકે નહીં. વિક્ષેપ પર નારાજગી વ્યક્ત કરતા અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, હોબાળો મચાવનારા સભ્યોએ કહ્યું કે તેમને અહીં હંગામો કરવા મોકલવામાં આવ્યા નથી. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળાને 'હિંસક પ્રદર્શન' ગણાવતા કહ્યું કે, ગૃહમાં ખલેલ પહોંચાડવાના વલણની નિંદા થવી જોઈએ.

હાથમાં પ્લેકાર્ડ સાથે વેલમાં ઘૂસ્યા હતા TMC સાંસદો

ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્ર દરમિયાન 4 ઓગષ્ટના રોજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદો (trinamool congress mps) જેઓ રાજ્યસભાની વેલમાં પ્લેકાર્ડ સાથે પ્રવેશ્યા હતા તેમને કાર્યવાહીમાં ભાગ લેવાથી બહાર નીકાળી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : ક્રિપ્ટોકરન્સી અંગે નાણાપ્રધાનનું રાજ્યસભામાં નિવેદન

આ પણ વાંચો: Parliament winter session 2021: રાજ્યસભામાંથી 12 સાંસદો સસ્પેન્ડ, હોબાળો કરવો ભારે પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.