ETV Bharat / bharat

જજની સામે હાથ જોડીને પપ્પુ યાદવની વિનંતી- "ગંભીર ઓપરેશન થયું છે, જેલમાં નહિ હોસ્પિટલમાં મોકલો"

author img

By

Published : May 12, 2021, 10:39 AM IST

મેધપુરના પૂર્વ સાંસદ પપ્પુ યાદવ
મેધપુરના પૂર્વ સાંસદ પપ્પુ યાદવ

બિહારના મેધપુરના પૂર્વ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ મધેપુરાના કુમારાખંડ પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 9/89 નોંધવામાં આવ્યો હતો. જેના આધારે કોર્ટે વોરંટ બહાર પાડ્યુંં છે. પપ્પુ યાદવની આજે મંગળવારે સવારે પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. યાદવને 14 દિવસ માટે કસ્ટડીમાં મધેપુરા કોર્ટે વિરપુર જેલમાં મોકલ્યો છે. ઇન્ચાર્જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરી હતી.

  • જાપના વડા પપ્પુ યાદવને 32 વર્ષ જૂના કેસમાં કસ્ટડીમાં મોકલ્યા
  • પૂર્વ સાંસદને ન્યાયિક કસ્ટડીમાં વિરપુર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો
  • વહીવટી તંત્ર યાદવને વિરપુર જેલમાં મોકલવાની તૈયારી કરી રહ્યું

મધેપુરા (બિહાર) : પૂર્વ સાંસદ સાથે જાપના વડા પપ્પુ યાદવને 32 વર્ષ જૂના કેસમાં માધેપુરા કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. ઇન્ચાર્જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણી કરતાં પૂર્વ સાંસદને ન્યાયિક કસ્ટડીમાં વિરપુર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. વહીવટી તંત્ર યાદવને વિરપુર જેલમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

યાદવને લઇ જઇ રહેલા પોલીસ કાફલાને સમર્થકોએ ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો
આ પહેલામંગળવારે ધરપકડ પછી પોલીસ ટીમ પપ્પુ યાદવને પટનાથી મધેપુરા જવા રવાના થઈ હતી. પરંતુ યાદવના સમર્થકોએ હાજીપુરના નેશનલ હાઇવે પર પપ્પુ યાદવને લઈ જતા પોલીસ કાફલાને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની પોલીસ સાથે નાનો ઝઘડો પણ થયો હતો.

આ પણ વાંચો : લાલુ પ્રસાદ યાદવની આજે RJDના 140 ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ

બૈરીકેડિંગ લગાવીને પોલીસ કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો
હાજીપુરના નેશનલ હાઇવે પર પપ્પુ યાદવને લઈ જતા પોલીસના કાફલાને સમર્થકોએ બૈરીકેડિંગ લગાવીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. યાદવના કેટલાક સમર્થકો પોલીસના વાહનો આગળ પડ્યા અને ઘણા પોલીસની ગાડી ઉપર ચઢી ગયા હતા. ઘણા પ્રયત્નો પછી પોલીસ કાફલો પપ્પુ યાદવને લઇને આગળ વધ્યો હતો. પપ્પુ યાદવની ધરપકડને લઈને તેમના સમર્થકો બધે વિરોધ કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પપ્પુ યાદવે તબિયત લથડતી હોવાનું જણાવી જેલ ન મોકલવા વિનંતી કરી

પપ્પુ યાદવે જણાવ્યું હતુ કે, બિહારના ઘણા ખાનગી મેડિકલ માફિયાઓ અને ઘણા પ્રધાનોએ દબાણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટની સુનાવણી દરમિયાન પપ્પુ યાદવે તેમની તબિયત લથડતી હોવાનું જણાવી જેલ ન મોકલવા વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે તેને સુપૌલની વીરપુર જેલમાં 14 દિવસની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ કેસ નોંધાયો ન હતો તો 32 વર્ષ જૂના કેસમાં મારી એક ષડયંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કોરોના કાળમાં ધરપકડ માટેની કોઈ જોગવાઈ નથી. આ કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ મારી સાથે આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : લાલુની જામીનને CBIએ હાઈકોર્ટમાં અટકાવી, કહ્યું- 14 વર્ષની કેદ છે, પછી જામીન કેવી રીતે?

શૈલેન્દ્ર યાદવે યાદવની સામે અપહરણનો કેસ દાખલ કર્યો હતો

મધેપુરાના મુરલીગંજ પોલીસ સ્ટેશનની ઘટના નંબર 9/89 અંતર્ગત મધ્ય ચોક ખાતે રહેતા શૈલેન્દ્ર યાદવે તેની સામે અપહરણનો કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં પપ્પુ ફરાર છે. ત્યાં સુધી તેણે જામીન લીધી ન હતી.

કાર્યકરો રસ્તા પર સુઇ ગયા અને પપ્પુ યાદવના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા

બિહારમાં માધેપુરાના પૂર્વ સાંસદ પપ્પુ યાદવની ધરપકડને લઈને કકળાટ ફેલાયેલો છે. પપ્પૂ યાદવની ધરપકડ કરી મધેપુરા લઇ જઇ રહેલી પોલીસના કાફલાને દરભંગા સદર પોલીસ સ્ટેશન વિસ્તારના એન. એચ. - 57 પર જાપના કાર્યકરોએ અટકાવ્યો હતો. આ સમય દરમિયાન જાપના કાર્યકરો રસ્તા પર સુઇ ગયા અને પપ્પુ યાદવના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સાથે મુખ્યપ્રધાન નીતીશ કુમાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે સમયે લોકોને શેરીમાંથી દૂર કરવા પોલીસને સખત મહેનત કરવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.