ETV Bharat / bharat

જાણો, યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસક્રમો કેવી રીતે થશે પૂર્ણ?

author img

By

Published : Mar 2, 2022, 8:47 PM IST

જાણો, યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસક્રમો કેવી રીતે થશે પૂર્ણ?
જાણો, યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસક્રમો કેવી રીતે થશે પૂર્ણ?

યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓની વાપસી(return of indian students) માટે અભિયાન ચલાવી રહેલા કેન્દ્રીય પ્રધાને વી.કે સિંહે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર(Good news for students) આપ્યા છે. હાલમાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમના અધૂરા અભ્યાસક્રમો કેવી રીતે પૂર્ણ કરવા અને તેમની ડિગ્રી કેવી રીતે મેળવવી તે અંગે ચિંતિત છે. જનરલ વી.કે સિંહે આ મુદ્દે સારા સમાચાર આપ્યા છે.

ન્યુઝ ડેસ્ક : યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ(return of indian students) માટે સારા સમાચાર છે કે, તેમનો અધૂરો રહેલો અભ્યાસક્રમ હવે પોલેન્ડમાં થઇ શકશે પૂરો. ભારતીય વિદ્યાર્થીઓની વાપસી અભિયાનનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય રાજ્ય પ્રધાન વી.કે સિંહે વિદ્યાર્થીઓને કહ્યું કે મને તમને જણાવતા આનંદ થાય છે કે પોલિશ યુનિવર્સિટીએ(Polish University) યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તેમના દરવાજા ખોલશે જેથી તેઓ તેમનો અભ્યાસ ત્યા પૂર્ણ કરી શકે.

  • Poland and India share centuries of friendship and cordial relations which have brought our people together.

    I am happy to share with you that Polish universities will be opening their doors to our students from Ukraine so that they can finish their studies.

    Jai Hind! pic.twitter.com/7BNAmPJJtW

    — General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જનરલ વી.કે સિંહે આપી પ્રતિક્રીયા

વિદ્યાર્થીઓ સમક્ષ કઈ મુશ્કેલીઓ છે અને કેવા વિકલ્પો છે, જે તેમને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મદદ કરશે. વી.કે સિંહે કહ્યું કે, જો તમારો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો તમે પોલેન્ડમાં જે લોકોને મળ્યા તેમણે કહ્યું કે તેઓ યુક્રેનમાં રહેતા તમામ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી લેશે. તેમણે કહ્યું કે પોલેન્ડ અને ભારતની સદીઓથી મિત્રતા અને સૌહાર્દપૂર્ણ સંબંધો છે, જે આપણા લોકોને એક સાથે લાવ્યા છે. રાજ્યપ્રધાન નાગરિક ઉડ્ડયન જનરલ (નિવૃત્ત) વી.કે સિંહે પોલેન્ડના રેજજોમાં હોટેલ પ્રેઝિડેન્કીમાં 600 ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને આ માહિતી આપી હતી.

અભ્યાસક્રમ વિશે મૂંઝવણની સ્થિતિ

યુક્રેનમાં MBBS કોર્સ છ વર્ષનો છે અને તે ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોની સરખામણીમાં તદ્દન પોસાય તેવો છે. આ જ કારણ છે કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં નેશનલ મેડિકલ કમિશન હેઠળ એવા કોઈ ધોરણો અને નિયમો નથી કે જેઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા અને જેઓ શૈક્ષણિક સત્રની મધ્યમાં ભારતીય મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે તેમને ભારત પાછા ફરવું પડ્યું હતું.

આ પણ એક વિકલ્પ હોઈ શકે છે

નિષ્ણાતોના મતે, ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી અધૂરા અભ્યાસક્રમો છોડીને ભારત પહોંચે છે, તેમની પાસે બે વિકલ્પ છે. પહેલું એ છે કે તેઓએ તે જ સંસ્થા કે યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ અથવા થોડા મહિનાઓ સુધી ઓનલાઈન અભ્યાસ કરીને અભ્યાસક્રમ પૂર્ણ કરવો જોઈએ. અન્ય વિકલ્પ તેમને પડોશી દેશો અને અન્ય યુનિવર્સિટીઓમાં સ્થાનાંતરિત કરવાનો અને અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો છે. જનરલ વી.કે સિંહનું નિવેદન આ બીજા વિકલ્પ પર આધારિત હોઈ શકે છે કારણ કે પોલેન્ડ યુક્રેનનો પાડોશી દેશ છે અને ફી પણ લગભગ સમાન છે.

54 મહિનાનો MBBS કોર્સ જરૂરી છે

ભારતમાં તબીબી શિક્ષણ માટેના નિયમનકાર, નેશનલ મેડિકલ કમિશન, આદેશ આપે છે કે વિદેશી તબીબી વિદ્યાર્થીઓએ એ જ વિદેશી સંસ્થામાં ઓછામાં ઓછા 54 મહિનાનો MBBS કોર્સ અને એક વર્ષનો ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી આવશ્યક છે. ત્યારબાદ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા લેવામાં આવતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) પાસ કરવી વિદેશમાંથી MBBS સ્નાતકો માટે લાઇસન્સ મેળવવા અને દેશમાં મેડિકલની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે.

સરકાર રાહત આપી શકે છે

આવા અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર આ બાબતે સહાનુભૂતિપૂર્વક તપાસ કરશે, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દે તમામ હિતધારકો સાથે ચર્ચા કરવા ટૂંક સમયમાં એક બેઠક યોજાય તેવી શક્યતા છે. યુક્રેન સરકારના આંકડા અને અંદાજ મુજબ યુક્રેનમાં 18,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. આમાંથી લગભગ 80-90 ટકા એમબીબીએસ વિદ્યાર્થીઓ છે જે પૂર્વ યુરોપીયન રાષ્ટ્રની લગભગ 10 સંસ્થાઓમાં અભ્યાસ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.