ETV Bharat / bharat

Amritpal gunman NSA: અમૃતપાલના ગનર પર લગાવાયો NSA, ડિબ્રુગઢ જેલમાં મોકલાયો

author img

By

Published : Mar 27, 2023, 7:14 PM IST

પંજાબના પ્રખ્યાત અમૃતપાલ સિંહ કેસમાં તેનો એક ગનર્સ પકડાયો છે. તેની સામે NSA લગાવવામાં આવ્યો છે. ગનરને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

NSA IMPOSED ON AMRITPAL GUNMAN VIRINDER SINGH
NSA IMPOSED ON AMRITPAL GUNMAN VIRINDER SINGH

ચંદીગઢ: પંજાબ પોલીસ દ્વારા અમૃતપાલ સિંહ વિરુદ્ધ તપાસ અભિયાન ચાલુ છે. પોલીસ અમૃતપાલ અને તેના સાગરિતોની શોધમાં દરોડા પાડી રહી છે. પોલીસે અમૃતપાલ સિંહના નજીકના ગનમેન વીરેન્દ્રસિંહ જોહલની ધરપકડ કરી છે, જેને NSA હેઠળ ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યો છે. વીરેન્દ્રસિંહ હંમેશા પડછાયાની જેમ અમૃતપાલ સિંહ સાથે હતા.

આ પણ વાંચો: Amritpal Case: અમૃતપાલ સિંહની શોધમાં નેપાળ પહોંચી પંજાબ પોલીસ

કેન્દ્રીય એજન્સીની મદદ: અમૃતપાલની ધરપકડ કરવા પોલીસ નેપાળ પહોંચી ગઈ છે. પંજાબ પોલીસની આ કાર્યવાહીમાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સી પણ મદદ કરી રહી છે. પંજાબ પોલીસ ત્યાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિંગના ઈનપુટ્સ પર કામ કરી રહી છે. આ કેસમાં અમૃતપાલના થાઈલેન્ડ કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તેના એક-એક વાયરને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ ઘણી વખત થાઈલેન્ડ જઈ ચૂક્યો છે.

અમૃતપાલનું થાઈલેન્ડ કનેક્શન: તેના થાઈલેન્ડ જવા પાછળ અનેક તર્કવિતર્કો આપવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે અમૃતપાલનો ફાયનાન્સર દલજીત કલસી છે. તેનું થાઈલેન્ડ સાથે પણ જોડાણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કલસી છેલ્લા 13 વર્ષમાં 18 વખત થાઈલેન્ડ જઈ ચુક્યા છે. ખાસ વાત એ છે કે અમૃતપાલની એક મહિલા મિત્ર ત્યાં છે. તેની મદદથી તે ત્યાં સરળતાથી રહી શકે છે. તેની સ્ત્રી મિત્ર તેને છુપાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Amritpal Singh Case : ફરાર અલગતાવાદી અમૃતપાલ સિંહને આશ્રય આપવા બદલ પટિયાલામાં મહિલાની ધરપકડ

ખાલિસ્તાની ઈરાદા: પોલીસનું કહેવું છે કે અમૃતપાલ પોતાને પંજાબનો વડા ગણાવીને સમાજની સેવા કરવા માંગતો ન હતો. તે ફક્ત પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની લોકપ્રિયતાનો લાભ લેવા માંગતો હતો જેણે વારિસ પંજાબ સંગઠન શરૂ કર્યું હતું અને તેની આડમાં પંજાબમાં ખાલિસ્તાનની માંગને ઉજાગર કરવા માંગતો હતો. દીપ સિદ્ધુના ભાઈ એડવોકેટ મનદીપ સિદ્ધુએ ક્યારેય વારિસ પંજાબ સંસ્થાના દસ્તાવેજો અમૃતપાલ સિંહને આપ્યા નથી, બલ્કે તેઓ દીપ સિદ્ધુના નામનો ફાયદો ઉઠાવવા માંગતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.