ETV Bharat / bharat

Aryan Khan Drugs Case: NCBએ સ્વીકારી ભૂલ, સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી

author img

By

Published : May 27, 2022, 5:55 PM IST

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan Given Clean Chit By NCB) વિરુદ્ધ કોઈ પુરાવા ન મળવાને કારણે NCBએ તેને ક્લીનચીટ આપી દીધી છે. NCB વડાએ સ્વીકાર્યું છે કે, તપાસ ટીમ દ્વારા ભૂલો થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, હવે સમીર વાનખેડે પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે.

Aryan Khan Drugs Case: NCBએ સ્વીકારી ભૂલ, સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી
Aryan Khan Drugs Case: NCBએ સ્વીકારી ભૂલ, સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી

નવી દિલ્હીઃ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ (Aryan Khan Drugs Case) મળી છે. આર્યનની ધરપકડ કરનાર અધિકારી સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો સરકારે વાનખેડે પર કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો સમીર વાનખેડે સામે કાર્યવાહી થઈ શકે છે.

  • It's learnt that Govt has asked Competent Authority to take appropriate action against ex-NCB official Sameer Wankhede for his shoddy investigation into Aryan Khan drugs haul case. Govt has already taken action in the case of Sameer Wankhede's fake caste certificate case: Sources pic.twitter.com/cLoqoZwlTT

    — ANI (@ANI) May 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: લદ્દાખમાં આર્મીના વાહનને નડ્યો અકસ્માત: સેનાના 7 જવાનો થયા શહિદ

સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી : NCB ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાને પણ કહ્યું કે, પુરાવાના આધારે 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને અપૂરતા પુરાવાને કારણે 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તરે કેટલીક ભૂલો થઈ હતી, જેના કારણે મામલો SIT દ્વારા ઉઠાવવો પડ્યો હતો. કોઈ પણ સંજોગોમાં ચાર્જશીટ એ એક પ્રકારનું છેલ્લું સ્ટોપ છે, પરંતુ જો કેટલાક નવા પુરાવા મળે તો કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકાય છે. પ્રધાને એમ પણ કહ્યું કે, પ્રથમ તપાસ ટીમે ભૂલો કરી હતી. નકલી પ્રમાણપત્ર કેસમાં સમીર વાનખેડે સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • सबूतों के आधार पर 14 लोगों के खिलाफ चार्जशीट दाखिल की गई है और 6 लोगों के खिलाफ पर्याप्त सबूत नहीं मिलने पर उनके खिलाफ चार्जशीट दाखिल नहीं की गई है: क्रूज ड्रग्स मामले में NCB के महानिदेशक एस. एन. प्रधान, दिल्ली pic.twitter.com/mW7oNt0cUN

    — ANI_HindiNews (@AHindinews) May 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું: રેતીની સમાધિએ લેખિકાને અપાવ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.