ETV Bharat / bharat

Navjot Sidhu resigned : પંજાબમાં આપના 'માન'થી કોંગ્રેસનું 'સિદ્ધુ' રાજીનામું

author img

By

Published : Mar 16, 2022, 10:04 AM IST

Updated : Mar 16, 2022, 12:04 PM IST

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખના રાજીનામાં માંગ્યા હતા. આથી, હાલ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ દ્વારા પાર્ટી અધ્યક્ષને રાજીનામું (Navjot Sidhu resigned) સોપવામાં આવ્યું છે.

Navjot Sidhu resigned
Navjot Sidhu resigned

ન્યૂઝ ડેસ્ક : પાંચ રાજ્યોમાં વિધાનસભામાં હાર બાદ કોંગ્રેસ (Congress after defeat in assembly in five states) સુપ્રીમો સોનિયા ગાંધી એક્શન મોડમાં (Sonia Gandhi asked PCC Presidents resignations) આવી ગયા હતા. તેમણે મંગળવારના રોજ પાંચ રાજ્યોના કોંગ્રેસ અધ્યક્ષો પાસેથી રાજીનામા માંગ્યા હતા. જેને લઈને આજે બુધવારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતાનું રાજીનામું સોપ્યું (Navjot Sidhu resigned) છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરના પીસીસી પ્રમુખોને પીસીસીના પુનઃગઠનને સરળ બનાવવા માટે તેમના રાજીનામા આપવા જણાવ્યું છે.

Navjot Sidhu resigned
Navjot Sidhu resigned

આ પણ વાંચો: 5 state congress chief resignations: સોનિયા ગાંધી એક્શન મોડમાં, પાંચ પ્રદેશ પ્રમુખો પાસેથી માંગ્યું રાજીનામું

એકમોના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi in action mode) ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમોના પ્રમુખોને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ રાજીનામું આપવા (5 state congress chief resignations) કહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે ટ્વિટ કર્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમોના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે, જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃરચના કરી શકાય.' રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ પદ પર ચાલુ રહે અને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લે.

પ્રિયંકાએ યુપી વિધાનસભામાં કોંગ્રેસના પ્રદર્શનની સમીક્ષા કરી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે ચૂંટણી પ્રચાર સાથે સંબંધિત વરિષ્ઠ નેતાઓ સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનની સમીક્ષા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રહેલી ખામીઓ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 4 વિધાનસભાની જીતે ભાજપ માટે સરળ બનાવ્યો રસ્તો, પરંતુ..

ઘણા વરિષ્ઠ નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો: પ્રિયંકા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય કુમાર લલ્લુ, વરિષ્ઠ નેતાઓ પ્રમોદ તિવારી, રાજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, આરાધના મિશ્રા 'મોના' અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર જ ઘટી છે. લલ્લુ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો.

Last Updated :Mar 16, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.