ETV Bharat / bharat

Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ પર એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશેઃ સોનોવાલ

author img

By

Published : Jan 13, 2022, 11:42 AM IST

Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ પર એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશેઃ સોનોવાલ
Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ પર એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશેઃ સોનોવાલ

મકરસંક્રાંતિ(Makar Sankranti 2022) પર વૈશ્વિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં એક કરોડથી વધુ લોકો હાજરી આપી શકે છે. આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલના જણાવ્યા અનુસાર, આ અંદાજ રજીસ્ટ્રેશનના આંકડાઓને(Surya Namaskar on Makar Sankranti) જોતા લગાવવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે 14 જાન્યુઆરીએ એકસાથે સૂર્ય નમસ્કાર કરશે. આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલે બુધવારે કહ્યું કે આયુષ મંત્રાલયે મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે 75 લાખ લોકોનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, પરંતુ રજીસ્ટ્રેશનને જોતા આશા છે કે એક કરોડથી વધુ લોકો સામેલ થશે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે

આયુષ મંત્રાલય વૈશ્વિક સ્તરે 75 લાખ લોકો માટે વૈશ્વિક સૂર્ય નમસ્કાર(Surya Namaskar on Makar Sankranti) કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે નોંધણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન મકરસંક્રાંતિના અવસર પર કરવામાં આવ્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

સૂર્ય નમસ્કાર પોષણ આપે છે

આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે(AYUSH Minister Sarbananda Sonowale) કહ્યું કે કોવિડ-19ના સમયે મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કારનું પ્રદર્શન વધુ સુસંગત છે. તેમણે કહ્યું કે તે સાબિત હકીકત છે કે સૂર્ય નમસ્કાર જીવનશક્તિ અને રોગપ્રતિકારક(Sun Salutations for the Immune System) શક્તિ બનાવે છે. તે કોરોના વાયરસને દૂર રાખવામાં સક્ષમ છે. સૂર્ય નમસ્કાર સૂર્યના કિરણ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તે તમામ જીવોને પોષણ આપે છે.

પરંપરા ગીત વારસામાં મકરસંક્રાંતિનું રેખાંકિત

આયુષ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સૂર્ય નમસ્કારના સામૂહિક પ્રદર્શનનો હેતુ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગનો સંદેશ આપવાનો છે. આ પ્રસંગ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં મકરસંક્રાંતિના(Makar Sankranti 2022) મહત્વને રેખાંકિત કરશે. તમને જણાવી દઈએ કે સૂર્ય નમસ્કાર શરીર અને મનના સમન્વય સાથે 12 સ્ટેપમાં કરવામાં આવતા આઠ આસનોનું એક જૂથ છે. તે મોટે ભાગે સવારે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Uttarayan 2022 Gujarat: ભુજમાં પતંગ અને ફીરકીએ જમાવ્યું આકર્ષણ, વેપારીઓને વેપાર વધવાની આશા

આ પણ વાંચોઃ આભમાં અવસર અને આંખમાં જ અંબર, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિની આપી શુભકામનાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.