ETV Bharat / bharat

Rahul Gandhi on BJP: કેરળમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને બીજેપી પર કર્યા પ્રહાર

author img

By

Published : Mar 21, 2023, 10:44 AM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં જનસભાને સંબોધિત કરતા કેન્દ્રની ભાજપ સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, ભારતમાં સંસદ, ન્યાયતંત્ર, સ્વતંત્ર મીડિયા, ચૂંટણી પંચ અને લોકશાહીના પાયાના પથ્થર, નોકરશાહી જેવી દરેક લોકતાંત્રિક સંસ્થા પર હુમલા થઈ રહ્યા છે.

Rahul Gandhi on BJP: કેરળમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને બીજેપી પર કર્યા પ્રહાર
Rahul Gandhi on BJP: કેરળમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને બીજેપી પર કર્યા પ્રહાર

વાયનાડ: સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને નરેન્દ્ર મોદી લોકશાહી અને ધર્મનિરપેક્ષ મૂલ્યો પર હુમલો કરીને ભારત પર હુમલો કરી રહ્યા છે. તેઓ તેમના વાયનાડ સંસદીય ક્ષેત્રના મુક્કમ ખાતે UDF જાહેર સભાનું ઉદ્ઘાટન કરતી વખતે અને 'કૈથાંગ પ્રોજેક્ટ' હેઠળ બાંધવામાં આવેલા ઘરોની ચાવીઓ સોંપતી વખતે બોલી રહ્યા હતા.

આ પણ વાંચો: Mehul Choksi News: ઈન્ટરપોલે મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસની યાદીમાંથી હટાવાયું

રાહુલે શું કહ્યું: રાહુલે કહ્યું કે, ભારતમાં સંસદ, ન્યાયતંત્ર, સ્વતંત્ર મીડિયા, ચૂંટણી પંચ અને લોકશાહીના પાયાના પથ્થર, નોકરશાહી જેવી દરેક લોકતાંત્રિક સંસ્થા પર હુમલા થઈ રહ્યા છે. ભાજપ, આરએસએસ અને નરેન્દ્ર મોદીને લાગે છે કે તેઓ ભારત છે. તેઓ માને છે કે, ભારત એટલે તેઓ પોતે છે. વડાપ્રધાન માત્ર ભારતના નાગરિક છે. સમગ્ર ભારતમાં નહીં, નરેન્દ્ર મોદી ગમે તેટલા સપના જુએ કે ગમે તેટલો ગુસ્સો કરે, આ દેશ તે નથી.

હું સત્ય માટે ઉભો રહીશ: ભારત ન તો RSS છે કે ન તો ભાજપ. એવું ન વિચારો કે આરએસએસ અને ભાજપની ટીકા કરવી એ ભારતની ટીકા કરે છે. હું આ કહેતો રહીશ ભલે ગમે તે થાય. નરેન્દ્ર મોદી, ભાજપ અને પોલીસથી ઘણા લોકો ડરે છે, પણ હું એવો નથી. સમસ્યા એ છે કે, તેઓ સમજી શકતા નથી કે શા માટે હું તેમનાથી ડરતો નથી. તેઓ ઘણા લોકોને ડરાવી શકે છે, તેમને આતંકવાદી ગણાવી શકે છે અને તેમના પર દબાણ લાવી શકે છે. પરંતુ તેઓ મારી સાથે આવું નહીં કરે. કારણ કે હું સત્યમાં માનું છું અને સત્ય માટે લડું છું. ભલે તેઓ મને ગમે તેટલી ઇજા પહોંચાડે, પોલીસ મારા ઘરે કેટલીવાર આવે, હું સત્ય માટે ઉભો રહીશ અને લડીશ.

આ પણ વાંચો: Khalistan News: સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોના હુમલા પર અમેરિકાએ આપ્યું આ મોટું નિવેદન

મહિલાઓની સુરક્ષાને લઈને નિવેદન: RSS, BJP અને PM ભારત અને લોકતાંત્રિક સંસ્થાઓના ખ્યાલ પર પ્રહારો કરી રહ્યા છે. તેણે કહ્યું, 'હું આ વાત વારંવાર કહેતો રહીશ.' રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, મહિલાઓનું યૌન ઉત્પીડન હજુ પણ થઈ રહ્યું છે. તેમના નિવેદનને લઈને દિલ્હી પોલીસ તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરવા પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.