ETV Bharat / bharat

મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત

author img

By

Published : Jul 26, 2021, 1:57 PM IST

મહારાષ્ટ્રમાં વરસાદ જીવલેણ બની ગયો છે. વરસાદને કારણે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં કહેર ફેલાયો છે. ઘણા ગામો અને શહેરો વરસાદમાં ડૂબી ગયા છે અને જીવન મુશ્કેલ બની ગયું છે. ત્રણેય સૈન્ય અને આપત્તિ રાહત ટીમો બચાવ કામગીરી માટે રોકાયેલા છે.

flood in maharaમહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોતshtra
flood in maharaમહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોતshtra

  • મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તરાજી
  • મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરથી પીડિત લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત
  • વરસાદને કારણે વિનાશ સર્જાયો

મુંબઇ: મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરથી પીડિત લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે અને સરકાર પણ પ્રયાસ કરી રહી છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અસરગ્રસ્ત ગામની મુલાકાત પણ ગયા હતા સાતારા જવાની તૈયારી પણ કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ એવી છે કે, ભારેલા પાણી ઉતરવામાં મહીનાઓ લાગી શકે છે.

મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત
મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે અને લગભગ 100 લોકો ગુમ છે. રાહત અને પુનર્વાસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 2,30,000 લોકોને સ્થળાંતર કરાયા છે. કુલ 3,248 પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે અને 50 લોકો ઘાયલ થયા છે. લગભગ 875 ગામોને પૂરની અસર થઈ છે. આ આંકડો સત્તાવાર છે પરંતુ વરસાદને કારણે વિનાશ સર્જાયો છે,

મુખ્યપ્રધાન હવાઈ સર્વે કરી રહ્યા છે

સીએમ ઉદ્ધવ ઠાકરે સોમવારના રોજ પૂરગ્રસ્ત સાતારા, સાંગલી અને કોલ્હાપુરનો હવાઈ સર્વે કરી શકે છે. આ પહેલા રવિવારે તેઓ કોંકણ ક્ષેત્રના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂનની ​​મુલાકાતે ગયા હતા, જે ભારે પૂરથી પ્રભાવિત હતા. તે દરમિયાન લોકોએ મુખ્યપ્રધઆન પાસે પોતી વ્યક્ત કર્યું હતું.

મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત
મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત

રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓને સરકારે રૂપિયા 2 કરોડની કટોકટી આર્થિક સહાય પૂરી પાડી છે. નિવેદનમાં જણાવાયું છે કે, વરસાદથી પ્રભાવિત સાતારા, સાંગલી, પુના, કોલ્હાપુર, થાણે અને સિંધુદુર્ગને પણ પ્રત્યેક 50 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે.

સેનાની મદદ લેવામાં આવી રહી છે

મહારાષ્ટ્રના સાંગલીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેના બચાવ કામગીરી ચલાવી રહી છે. NDRF રાહત વાલવા વિસ્તારમાં બચાવ કાર્યમાં લાગી છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે પરંતુ ઘણા લોકો હજૂ પણ મદદની રાહ જોઈ રહ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવી રહ્યા છે.

ભારતીય સેનાએ સેન્ટ્રલ વોર રૂમ બનાવ્યો છે, જેથી રાહત અને બચાવ કાર્ય એરફોર્સ અને નૌકાદળના સમન્વયમાં થઈ શકે. તેનું નામ ઓપરેશન વર્ષા -21 રાખવામાં આવ્યું છે. ત્રણેય દળો સ્થાનિક વહીવટ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે.

સાંગલીમાં બેકાબૂ પરિસ્થિતિ

સાંગલી શહેરના માર્ગો પર બોટ ચલાવવામાં આવી રહી છે, જેના પર એક સમયે વાહનો દોડતા હતા. જરૂરી વસ્તુ લેવા માટે લોકોને કમર સુધી પાણીમાં ડૂબીને જવું પડે છે. સાંગલીમાં ભારે વરસાદ બાદ શહેરનો મોટો ભાગમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા છે.

ભારે વરસાદ પછી, કૃષ્ણ નદી, જેને સાંગલીની જીવનરેખા કહેવામાં આવે છે, તે નદીનું જળસ્તર વધી ગયું છે. જેના કારણે ગામડાઓ અને શહેરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે એક માળના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. NDRFની ટીમ પાણીની વચ્ચે ફસાયેલા હજારો લોકોને સહાય પૂરી પાડવામાં રોકાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.