ETV Bharat / bharat

મણિપુરમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13ના મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 6:12 PM IST

મણિપુરના તેંગનોપલ જિલ્લામાં સોમવારે આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

Etv Bharat
Etv Bharat

ઇંફાલ : મણિપુરમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળ્યા છે. આ ઘટના મ્યાનમારની સરહદે આવેલા તેંગનોપલ જિલ્લામાં બની હતી.

બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી : અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે બપોરે લીથુ ગામમાં બની હતી. તેંગનોપલ જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'મ્યાંમાર જઈ રહેલા આતંકવાદીઓના જૂથ પર આ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવતા આતંકવાદીઓના બીજા જૂથે હુમલો કર્યો હતો.'

13 લોકોના મોત નિપજ્યા હતા : અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા દળોને અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે. માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ થઈ નથી પરંતુ એવું લાગે છે કે તેઓ સ્થાનિક ન હતા. તેંગનોપલ જિલ્લો તેની સરહદ મ્યાનમાર સાથે વહેંચે છે.

  1. દેશ પર ફરી મંડરાયો કોરોનાનો ખતરો, 59 કેસ નોંધાયા, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 4.50 કરોડને વટાવી ગઈ
  2. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો, બન્ને પક્ષ વચ્ચે મારામારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.