ETV Bharat / bharat

Delhi Liquor Case: સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ, 21 માર્ચે જામીન પર સુનાવણી

author img

By

Published : Mar 20, 2023, 7:02 PM IST

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાનની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. સીબીઆઈ અને ઈડી બંનેએ સિસોદિયા પર પોતાનો સકંજો કસ્યો છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેની જામીનની સુનાવણી થવાની હતી. પરંતુ તેને જામીન મળી શક્યા ન હતા અને જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી. જો કે તેના જામીનની સુનાવણી 21 માર્ચે હાથ ધરાશે.

Etv BharatDelhi Liquor Scam: સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ, 21 માર્ચે જામીન પર સુનાવણી
Etv BharatDelhi Liquor Scam: સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ, 21 માર્ચે જામીન પર સુનાવણી

નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. જો કે તેમની જામીન અરજી પર 21 માર્ચે સુનાવણી થશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયા હાલમાં ED રિમાન્ડ પર છે. તે જ સમયે, મનીષ સિસોદિયા 5 દિવસ માટે EDના રિમાન્ડ પર છે. તે 17 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાના હતો. ઇડીએ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • Delhi Excise Policy case | Delhi's Rouse Avenue Court extends judicial custody of AAP leader and former Delhi Deputy CM Manish Sisodia by 14 days, in the CBI case

    He is presently on ED remand till March 22. pic.twitter.com/13QsnYdwVg

    — ANI (@ANI) March 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Andhra Pradesh Assembly: આંધ્રપ્રદેશ વિધાનસભામાં YSR કોંગ્રેસ અને TDP ધારાસભ્યો આવ્યા સામ-સામે

26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ: સીબીઆઈએ લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સીબીઆઈની માંગ પર રાઉઝ એવન્યુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે જ સમયે સીબીઆઈના ત્રણ દિવસના રિમાન્ડની માંગ પર કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા. જેનો મનીષ સિસોદિયાના વકીલે વિરોધ કર્યો. આ પછી તેને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે હાલમાં EDની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: ASAD AHMED : આગ્રામાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદની શોધમાં SITના દરોડા

શું છે લિકર સ્કેમ મામલોઃ અગાઉ દિલ્હીમાં સરકારી દુકાનોમાં દારૂ વેચાતો હતો. જે અમુક જગ્યાએ નિશ્ચિત દરે જ વેચાતો હતો. વર્ષો પહેલા આ નીતિ બનાવવામાં આવી હતી. કેજરીવાલ સરકારે નવેમ્બર 2021 માં દારૂ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત દારૂના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓ અને દુકાનદારોને આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે તેનાથી સ્પર્ધા વધશે અને ઓછી કિંમતે દારૂ ઉપલબ્ધ થશે. દેશી-વિદેશી સહિત તમામ બ્રાન્ડનો દારૂ દુકાન પર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. તે જ સમયે આમાં ગેરરીતિની ફરિયાદ લેફ્ટનન્ટ ગવર્નર સુધી પહોંચી અને તેમણે સીબીઆઈ તપાસની ભલામણ કરી.

(ANI)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.