ETV Bharat / bharat

Sciatica જેવા મહા પીડાકારી રોગને Physiotherapy દ્વારા કાબૂમાં લઈ લો

author img

By

Published : Jun 30, 2021, 7:21 PM IST

જ્યારે સાયટિકા (Sciatica) જેવી સમસ્યા હોય ત્યારે લોકો સામાન્ય રીતે પરંપરાગત તબીબી સહાય ઉપરાંત વૈકલ્પિક દવાઓની (Physiotherapy ) પદ્ધતિઓની મદદ લે છે. પરંતુ શું વૈકલ્પિક પદ્ધતિઓ ખરેખર મદદરૂપ છે?

Sciatica જેવા મહા પીડાકારી રોગને Physiotherapy દ્વારા કાબૂમાં લઈ લો
Sciatica જેવા મહા પીડાકારી રોગને Physiotherapy દ્વારા કાબૂમાં લઈ લો

  • Physiotherapyથી સાયેટિકામાં રાહત મળી શકે છે
  • Sciaticaની પીડામાં રાહત આપી શકે છે ફિઝિયોથેરાપી
  • સાયટિકા કરે છે ઉભા રહેવામાં, બેસવામાં અને સૂવામાં પણ તકલીફ

સાયટિકા (Sciatica) એક એવી સમસ્યા છે જે ફક્ત વૃદ્ધોમાં જ નહીં પરંતુ આધેડ વયના લોકો અને યુવાનોમાં પણ સામાન્ય બની રહી છે. આ માટે ફક્ત આરોગ્યની સમસ્યાઓ જ નહીં, આપણી જીવનશૈલી અને કાર્ય કરવાની રીત પણ જવાબદાર માનવામાં આવે છે. ફિઝીયોથેરાપીના (Physiotherapy) ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે આ તબીબી પદ્ધતિ દ્વારા સાયટિકાની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે. આ હકીકતની પુષ્ટિ કરવા માટે ETV Bharat Sukhubhavએ વૈકલ્પિક તબીબ ફિઝિયોથેરાપિસ્ટ અને યોગ પ્રશિક્ષક ડૉ.જહાન્વી કથરાની સાથે વાત કરી.

શું હોય છે સાયટિકા

ડૉ. જહાન્વી જણાવે છે કે ફિઝિયોથેરાપી (Physiotherapy) દ્વારા સાયટિકા (Sciatica) સારવાર વિશે જાણતાં પહેલાં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સાયટિકા શું છે અને તે પીડિતને કેવી અસર કરે છે.

Sciatica Nerve

સાયટિકા (Sciatica) એ એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે આપણી કમરના નીચેના ભાગનાં ચેતામાં સમસ્યા અને દબાણ હોય છે. સાયટિકાની સમસ્યા મુખ્યત્વે સાયટિકા ચેતાની અસરને કારણે થાય છે જે આપણી કમરના નીચલા ભાગથી શરૂ થાય છે અને જાંઘ અને ઘૂંટણની સાંધાના આંતરિક ભાગોમાંથી પગની નીચેના ભાગમાં જાય છે.

Sciatica ચેતા એ ખૂબ મોટી નર્વ છે જે આશરે અંગૂઠાના કદની છે અને શરીરના ઘણા સ્નાયુઓ અને હાડકાંમાંથી પસાર થાય છે. સાયટિકા ચેતાની આજુબાજુના સ્નાયુઓમાં કોઈપણ પ્રકારની તાણ આ ચેતા પર દબાણ લાવી શકે છે. જેના કારણે કરોડરજ્જુથી નીચે જતાં ચેતામાં વિચિત્ર પીડા અનુભવાય છે, જે ક્યારેક અસહ્ય બની જાય છે.

Sciaticaના દુખાવાના કિસ્સામાં ક્યારેક સુન્નતા, સતત કળતર અને ક્યારેક પગમાં મધ્યમ અથવા તીવ્ર પીડા અનુભવાઈ શકે છે. જો સમસ્યા વધુ તીવ્ર હોય તો વ્યક્તિને ઉભા રહેવામાં, બેસવામાં અને સૂવામાં પણ તકલીફ થઈ શકે છે.

કેટલાક કિસ્સાઓમાં દર્દીને પીઠ પર સીધા પથારી પર સૂવામાં ઘણી સમસ્યા અને પીડા સહન કરવી પડે છે. ખરેખર સીધા સૂવામાં પીઠના સ્નાયુઓ અને અસરગ્રસ્ત ચેતા પર દબાણ આવે છે જે ખૂબ પીડા આપે છે.

આ પણ વાંચોઃ કોવિડ દર્દીઓ ફિઝિયોથેરાપીથી શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી કઈ રીતે બનાવી શકે?

Sciaticaની સમસ્યામાં ફિઝિયોથેરાપીથી કઇ રીતે ઉપચાર શક્ય છે

ડૉ. જહાન્વી જણાવે છે કે ફિઝિયોથેરાપી (Physiotherapy) સામાન્ય રીતે સાયટિકામાં (Sciatica) ખૂબ અસરકારક હોય છે. પરંતુ જો આ સમસ્યા હદ કરતા વધારે ગંભીર બને તો સર્જરીની મદદ લેવી પડે છે. પરંતુ શસ્ત્રક્રિયા પછી પણ ડોકટરો ખાસ કરીને સર્જનો આરોગ્યની યોગ્ય ઉપચાર અને વ્યવસ્થાપન માટે ફિઝિયોથેરાપીની ભલામણ કરે છે. ફિઝિયોથેરાપી દર્દીને નીચેની રીતોમાં મદદ કરી શકે છે.

મજબૂતીઃ ફિઝિયોથેરાપિસ્ટના (Physiotherapy) માર્ગદર્શન હેઠળ કસરતોની નિયમિત પ્રેક્ટિસ સ્નાયુઓને વધારે મજબૂત કરે છે. નીચલી પીઠના સ્નાયુઓને ખાસ કરીને નીચલા અંગની રચનાને મજબૂત બનાવે છે. જેના કારણે કોઈપણ પ્રકારના રોગો અને ચેતાને લગતી સમસ્યાઓ ખાસ કરીને સાયટિકાની (Sciatica) સમસ્યામાં ઘણી રાહત મળે છે.

નર્વ ટિશ્યૂ મોબિલાઈઝેશનઃ આ ટેકનીક હેઠળ ફિઝિયોથેરાપિસ્ટ્સ (Physiotherapy) કમરના નીચેના ભાગમાં પેશીઓનું સંચાલન કરવાનો પ્રયાસ કરે છે. જેથી ચેતા પરના કારણે થતા દબાણને ઘટાડી શકાય અથવા સંપૂર્ણપણે દૂર કરી શકાય. આ પ્રક્રિયા અંતર્ગત સમસ્યાને મૂળથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

માંસપેશીયોને આરામ આપવાની ટેકનિકઃ આ એક ટેકનીક છે જે કરવા હંમેશાં ફિઝિયોથેરાપિસ્ટની (Physiotherapy) સહાયની જરૂર હોતી નથી. એકવાર ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી શીખ્યા પછી દર્દી પોતે પ્રેક્ટિસ કરી શકે છે. આ ટેકનીકની મદદથી, સાયટિક ચેતા સાથે જોડાયેલ કોઈપણ સ્નાયુમાં કડકપણું, સોજો અને તણાવ ઓછો થાય છે. આ ટેકનીકમાં સામાન્ય રીતે ટેનિસ બોલ, ટુવાલ અથવા એવા કોઈ ઓબ્જેક્ટની સહાયથી જે આપણી આસપાસ ખૂબ જ સરળતાથી મળી રહે તેનાથી પ્રેકટિસ કરી શકાય છે.

જીવનશૈલીનું પ્રબંધનઃ સામાન્ય રીતે જોવા મળે છે કે ઘર અને કાર્યક્ષેત્રની રૂટિન અને આપણા શરીરની પોસ્ચરલ ટેવો શરીરના નીચલા ભાગ પર દબાણ અને સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં ફિઝિયોથેરાપિસ્ટની (Physiotherapy) સહાયથી સમસ્યાનું કારણ જાણીને તેના નિરાકરણ માટે પ્રયત્નો કરી શકાય છે.

આ પણ વાંચોઃ આંતરડાનો રોગ છે 'ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ'

ટ્રિગર પોઇન્ટ- ટ્રિગર બેન્ડ રીલિઝઃ આ પદ્ધતિ સ્નાયુઓ અને ચેતાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં અને વિવિધ કારણોસર તેમના પર થતાં દબાણને દૂર કરવામાં ઘણી મદદરુપ સાબિત થાય છે.

હાથ દ્વારા પ્રબંધન- મેન્યુઅલ મોબિલાઈઝેશનઃ કેટલીકવાર પ્રશિક્ષિત નિષ્ણાતો દ્વારા ચેતા અને સાંધા પરના દબાણને દૂર કરવામાં આ ટેકનીક ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ટેકનીકની મદદથી માંસપેશીઓમાં અને ટેંડન્સમાં પણ મોટી રાહત મળે છે.

ડૉ. જહાન્વી કહે છે કે અમુક પ્રકારના વિટામિન જેવા કે બી12 અને અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વો શરીરની ચેતાના આરોગ્યને અસર કરે છે. આવા કિસ્સાઓમાં જો ચેતામાં નબળાઇ અથવા કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આ સપ્લિમેન્ટનો ઉપયોગ તબીબી સલાહ પર થઈ શકે છે.

આ સંદર્ભે વધુ જાણકારી માટે ડૉ. જહાન્વી કથરાની સાથે jk.swasthya108@gmail.कॉम પર સંપર્ક કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.