ETV Bharat / bharat

Kerala Train Attack: કોઝિકોડ ટ્રેનમાં આગચંપી મામલે આરોપી શાહરૂખ સૈફી 14 દિવસના રિમાન્ડ પર

author img

By

Published : Apr 7, 2023, 4:42 PM IST

કેરળમાં અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસ ટ્રેનમાં 2 એપ્રિલની ઘટનાના આરોપી શાહરૂખ સૈફીને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે. શાહરૂખ સૈફીને હોસ્પિટલમાં આજે રજા મળ્યા બાદ જેલમાં ખસેડવામાં આવશે.

Kerala Train Attack
Kerala Train Attack

કોઝિકોડ (કેરળ): ટ્રેનમાં આગચંપી કેસના આરોપી શાહરૂખ સૈફીને 20 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોઝિકોડ મેડિકલ કોલેજમાં ગયા અને કાર્યવાહી પૂર્ણ કરી હતી. આરોપી શાહરૂખ સૈફીને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. કેરળ પોલીસ દ્વારા આરોપીને મહારાષ્ટ્રના રત્નાગિરીથી કેરળ લાવવામાં આવ્યો હતો.

આરોપીને હોસ્પિટલમાંથી રજા: શાહરૂખ સૈફીનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો કે તેની તબિયત સંતોષજનક છે. લીવર ફંક્શન ટેસ્ટ સામાન્ય હતા. એલએફટી રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય સંબંધી કોઈ ગંભીર સમસ્યા નથી. મેડિકલ બોર્ડે રિમાન્ડ પર લેવામાં આવેલા આરોપીને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લીધો છે. શાહરૂખ સૈફીને આજે જેલમાં ખસેડવામાં આવશે. તપાસ ટીમ આજે કોર્ટમાં કસ્ટડી અરજી દાખલ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: Kerala Train Fire: કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં આગ, ટ્રેક પરથી 3 મૃતદેહ મળ્યા

ઈજાના નિશાન ચાર દિવસ: જૂનાફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીના શરીર પરના ઈજાના નિશાન ચાર દિવસ જૂના છે. તપાસ ટીમે એવું પણ તારણ કાઢ્યું હતું કે આ ઈજા ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી થઈ હશે. આ વાતને સમર્થન આપતાં પોલીસે ગઈકાલે નિવેદન નોંધ્યું હતું. આરોપી અજમેર જવાનો પ્રયાસ કરતી વખતે રત્નાગીરી પહેલા ખેડા ખાતે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો.

આ પણ વાંચો: રત્નાગિરીથી કોઝિકોડ ટ્રેનમાં આગ લગાડનાર આરોપીની મહારાષ્ટ્રથી કરાઈ ધરપકડ

ટ્રેન આગચંપીમાં 8 મુસાફરો દાઝ્યા: ઈજાના રિપોર્ટ સાથે વધુ પૂછપરછમાં તેની સાથે સહ-ગુનેગારો છે કે નહીં તે જાણી શકાશે. મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દાઝી ગયેલી ઈજા ખૂબ જ નાની છે અને એક ટકાથી ઓછી છે. ઉલ્લેખનીય છે કે અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસ ટ્રેનમાં 2 એપ્રિલની ઘટના બાદ શંકાસ્પદ આરોપી ફરાર થઈ ગયો હતો. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર કથિત દલીલ બાદ વ્યક્તિએ એક મુસાફરને આગ ચાંપી દીધી હતી. આ આગમાં ઓછામાં ઓછા આઠ મુસાફરો દાઝી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.