અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ગુજરાત શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ભાજપ પર કર્યા પ્રહારો
Updated on: Apr 10, 2022, 7:23 PM IST

અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ગુજરાત શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ભાજપ પર કર્યા પ્રહારો
Updated on: Apr 10, 2022, 7:23 PM IST
અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર પ્રહારો (kejriwal attack on bjp) કર્યા છે. આ વખતે તેમણે ગુજરાતમાં ભાજપ સરકારમાં અપાતા શિક્ષણ પર સવાલ (kejriwal attack on bjp in gujrat on name of education ) ઉઠાવ્યા છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું છે કે, AAP સરકાર ગુજરાતમાં સારું શિક્ષણ લાવશે.
ન્યુઝ ડેસ્ક : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને તમામ પક્ષોને સાથે લઈને આપ સરકાર દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે. ગુજરાતમાં 27 વર્ષમાં પણ ભાજપ સારું શિક્ષણ આપી શકી નથી. ભાજપના લોકો પણ ગુજરાતના કથળતા શિક્ષણ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પક્ષપાતથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સરકારી શાળાઓનું નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો - કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર
કેજરીવાલે ટ્વિટ કરી ભડાશ કાઢી - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે એક ટ્વીટ કરીને ગુજરાતની સરકારી શાળાઓની નબળી વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે,“ભાજપના લોકો પણ ગુજરાતના કથળતા શિક્ષણ પર સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠવા લાગ્યો છે. ભાજપ 27 વર્ષમાં સારું શિક્ષણ આપી શકી નથી. ગુજરાતની જનતા અને તમામ પક્ષોને સાથે લઈને "આપ" સરકાર ગુજરાતમાં તેમજ દિલ્હીમાં સારું શિક્ષણ આપશે.
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પર સવાલો - આ પહેલા 2 એપ્રિલે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શિક્ષણ અને આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક જરૂરિયાતો માટે ગુજરાતની જનતા સાથે કામ કરવાની ખાતરી આપી હતી. તે દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિત અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવેલા જનહિતના કાર્યો વિશે જણાવતા કહ્યું હતું કે, અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો ફ્રી કરી છે. દિલ્હીમાં ભ્રષ્ટાચારનો અંત આવ્યો. વીજળી ફ્રી કરી, 24 કલાક વીજળી આપી.
આ પણ વાંચો - CM Arvind Kejriwal visit to Ahmedabad : દિલ્લી-પંજાબના CM હુમલાને ધ્યાને રાખી ગાંધી આશ્રમે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત
મનીશ સિસોદીયા આવશે ગુજરાત - દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર જનહિતના કામોમાં રાત-દિવસ કામ કરી રહી છે. પંજાબમાં 'આપ'ની સરકાર બનીને થોડા જ દિવસો થયા છે અને 'આપ' સરકારે પંજાબમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. AAP સરકારે જાહેરાત કરી છે કે પંજાબમાં કોઈપણ ખાનગી શાળા તેની ફીમાં વધારો કરશે નહીં. 27 વર્ષ સુધી શાસન કર્યા બાદ ભાજપમાં ઘમંડ આવી ગયો છે. લોકોનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું છે. ગુજરાતને એવી સરકારની જરૂર છે જે લોકોનો અવાજ સાંભળે. અમારો હેતુ ભાજપ કે કોંગ્રેસને હરાવવાનો નથી પરંતુ અમારો ધ્યેય દેશને જીતવાનો છે.
ભગવંત માનની પ્રતિક્રિયા - AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે ગયેલા પંજાબના સીએમ ભગવંત માનને પણ AAP સરકાર દ્વારા પંજાબમાં શિક્ષણને લઈને લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પંજાબમાં અમે ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે કે કોઈ પણ ફી વધારશે નહીં. શાળાનો માણસો તેની પસંદગીની દુકાનોને અહીંથી પુસ્તકો ખરીદવાનું કહેશે નહીં. હવે લોકો કોઈપણ દુકાનમાંથી પુસ્તકો ખરીદી શકશે. શિક્ષણ વેચાશે તો દેશ કેવી રીતે આગળ વધશે?.
