ETV Bharat / bharat

કારગિલ વિજય દિવસ માટે રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુની મુલાકાતે...

author img

By

Published : Jul 24, 2022, 11:17 AM IST

કારગિલ વિજય દિવસ માટે રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુની મુલાકાતે...
કારગિલ વિજય દિવસ માટે રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુની મુલાકાતે...

કારગિલ વિજય દિવસ નિમિત્તે જમ્મુમાં યોજાનારી ઉજવણીમાં ભાગ લેવા માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Union Defense Minister Rajnath Singh) આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. રાજનાથ સિંહ આજે RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબલે સાથે પહોંચવાના છે.

નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Union Defense Minister Rajnath Singh) આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે જમ્મુમાં યોજાનારી ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. રાજનાથ સિંહ આજે RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબલે સાથે પહોંચવાના છે, તેઓ જમ્મુ યુનિવર્સિટી પાસે ગુલશન મેદાનમાં એક સભાને સંબોધશે. જમ્મુની મુલાકાત પહેલાં રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 24 જુલાઈએ તેઓ 'કારગિલ વિજય દિવસ'ના (Kargil Vijay Diwas) અવસર પર એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જમ્મુ જઈશ આ માટે હું ઉત્સાહિત છું. 1999 માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.

  • Tomorrow, 24th July, I shall be visiting Jammu to attend a programme commemorating ‘Kargil Vijay Diwas’. Looking forward to it.

    — Rajnath Singh (@rajnathsingh) July 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રને કરશે સંબોધિત

મોટરસાઇકલ રેલીને ફ્લેગ ઓફ કરી: દરમિયાન કારગિલ વોર (kargil war story) મેમોરિયલ ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ વિસ્તારમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના મહાનુભાવો તેમજ વીરતા પુરસ્કારો અને તેમના પરિવારજનો હાજરી આપશે. અગાઉ શુક્રવારે, કારગિલ વિજય દિવસની મોટરસાઇકલ રેલી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી ફ્લેગ ઓફ કરીને શ્રીનગર પહોંચી હતી, જેમાં સવારોએ સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બદામી બાગ છાવણી ખાતે ચિનાર યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાના વીર સૈનિકોની બહાદુરી અને બલિદાનની ગાથાને યાદ કરવા રેલીને 18 જુલાઈના રોજ નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી 18 જુલાઈના રોજ આર્મી સ્ટાફના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ BS રાજુ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. શ્રીનગર સ્થિત PRO ડિફેન્સ કર્નલ એમરોન મુસાવીના જણાવ્યા અનુસાર, રેલી બે ધરી સાથે મુસાફરી કરી રહી છે - દિલ્હી-શ્રીનગર-ઝોજિલા-કારગિલ-દ્રાસ અને દિલ્હી-ચંદીગઢ-રોહતાંગ-લેહ-દ્રાસ.

પાકિસ્તાનની છેતરપિંડી ભારતીય સૈન્ય સમજી ગઈ: 8 મે, 1999 એ દિવસ હતો, જ્યારે પાકિસ્તાની સૈનિકો (pakistan army) પ્રથમ વખત કારગિલ વિસ્તારમાં (kargil war story) ભારતીય ભરવાડોને દેખાયા હતા. ભરવાડોએ આ વાત ભારતીય સેનાને જણાવી હતી. સેનાના જવાનોએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે પાકિસ્તાનીઓ ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા છે. પરિસ્થિતિને જાણ્યા બાદ ભારતીય સેનાએ (Indian army) જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી નથી. ખરેખર, પાકની યુક્તિ કંઈક બીજી જ હતી.

આ પણ વાંચો: નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર

ટાઈગર હિલ પર કબજો કરવાનું લક્ષ્ય: પાકિસ્તાની સેનાના તત્કાલિન જનરલ પરવેઝ મુશર્રફે પોતે પહેલાથી જ માની લીધું હતું કે, તે સમયે ભારતીય સેના ત્યાં પેટ્રોલિંગ માટે રોજ જતી ન હતી. ઉપરાંત, આ વિસ્તાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1-Dની ખૂબ નજીક છે અને આ માર્ગ કારગીલથી લદ્દાખને શ્રીનગર અને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. આ માર્ગ સેના માટે મહત્વનો સપ્લાય માર્ગ છે. આ વિસ્તાર પર દુશ્મનોના કબજામાં જવાનો અર્થ એ થયો કે સેના માટેના પુરવઠા પર ખરાબ અસર પડી. આ નિર્જન વિસ્તાર અને હવામાનનો ફાયદો ઉઠાવીને પાક સેનાએ અહીં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી, ત્યારબાદ તેનું પહેલું લક્ષ્ય ટાઈગર હિલ પર કબજો કરવાનો હતો. તે જ સમયે, ભારતીય સેનાએ એક ડગલું આગળ વધીને નિર્ણય લીધો હતો કે, કોઈ પણ સંજોગોમાં, ટાઈગર હિલ પર કબજો કરવો જ છે. આ સૌથી મુશ્કેલ કામ હોવાથી પાકિસ્તાની સેનાએ વિચાર્યું પણ નહોતું કે, ભારત આવું પગલું ભરશે. ભારતીય સેનાએ લગભગ 18,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત ટાઈગર હિલ જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.