ETV Bharat / bharat

WORLD BLOOD DONOR DAY 2021 - 14 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ રક્તદાતા દિવસ

author img

By

Published : Jun 14, 2021, 12:02 AM IST

કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમુહ પ્રણાલીના (ABO blood group system) શોધક છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (World Health Organisation-WHO) પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વર્ષ 2007 થી એમના જન્મ દિવસે (14 જૂન) વિશ્વ રક્તદાતા દિવસ ( WORLD BLOOD DONOR DAY 2021 ) તરીકે મનાવવાની શરૂઆત કરી.

WORLD BLOOD DONOR DAY 2021
WORLD BLOOD DONOR DAY 2021

  • વિશ્વ રક્તદાતા દિવસનો ઇતિહાસ
  • વિશ્વ રક્તદાતા દિવસ અંગેના મહત્વના તથ્યો
  • ભારતમાં રક્તદાન અંગેની પરિસ્થિતિઓ

ન્યૂઝ ડેસ્ક : વિશ્વ રક્તદાતા દિવસ ( WORLD BLOOD DONOR DAY 2021 ) દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. તથા વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (Blood Transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળે છે

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. જે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે, આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે.

બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે

આપણું રક્તદાતા એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દર વર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કૅન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો જાય છે.જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે. કારણ કે, લોહી સુરક્ષિત છે કે, નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈસ જેવી બિમારીના ટેસ્ટ સામેલ છે, જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે, એ વ્યક્તિ કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહીં. જેનાથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. એટલું જ નહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે, રક્તદાન પછી રક્ત-દાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે, એટલા માટે રક્તદાતાના શરીરની શારીરીક તપાસ પણ કરવામાં આવે છે. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.

જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે

સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે, એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે, સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે. પણ જાગૃતતાના અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.

આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે

આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે, પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે

દુનિયાની મહાસત્તા અમેરિકા પણ હાલમાં લોહીની અછતનો સામનો કરી રહી છે. ઓરલેન્ડો, ફ્લોરિડામાં એક વ્યક્તિ દ્વારા અંધાધૂધ કરેલા ફાયરિંગમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલ થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલોને મોટી સંખ્યામાં લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. તેને ધ્યાને લઈ સ્થાનિક પ્રશાસને લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરી હતી. રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે, અથવા બ્લડ બૅન્કમાં જઈને રક્તદાન કરાતું હોય છે. આ સંજોગોમાં રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમ કે, કેટલીક વખત રક્તદાતા બિનસલામત સોય કે તેવા કોઈ કારણથી ચેપી રોગનો ભોગ બની શકે છે. જોકે, હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે.

સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ

સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.હવે, આ વિશે વિચારવાનો સમય થઈ ગયો છે. રક્ત-દાન ભલે આપણે બીજાની મદદ માટે કરતાં હોય પણ એ ફક્ત અન્ય કોઈ બીજી વ્યક્તિને મદદરૂપ છે એવું નથી, પણ ક્યારેક એ આપણને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માતે કે બીમારીને કારણે દવાખાને દાખલ થાય તો જરૂર પડે કોઈકનું દાન કરેલું રક્ત જ કામમાં આવે.

વિશ્વ રક્તદાતા દિવસનો ઇતિહાસ

  • વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે કાર્લ લેન્ડ સ્ટીનર નોન ના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે જેઓનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો.
  • વિશ્વ રક્તદાતા દિવસ, તમામ દાતાઓ માટે , કાર્લ લેન્ડસ્ટીનર (એબીઓ બ્લડ ગ્રુપ પદ્વતિની શોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક)ની જન્મદિવસ ઉજવણી અને તેમની યાદ માટેની અમૂલ્ય તક લાવે છે.

વિશ્વ રક્તદાતા દિવસ 2020

  • 14 જૂન, 2020ના રોજ ડબ્લ્યુએચઓ અને બધા દેશો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી હતી
  • 2005માં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા રક્તદાતાઓનો આભાર માનવા અને વધુ લોકોને મુક્તપણે રક્ત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂનના રોજ ઉજવાય છે.
  • રક્તદાતાઓનો આભાર માનવા સાથે, સલામત રક્તની વૈશ્વિક આવશ્યકતા અને દરેક કેવી રીતે યોગદાન આપી શકે છે, તે વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ રક્તદાતા દિવસ અંગેના મહત્વના તથ્યો

  • વૈશ્વિક સ્તરે એકત્રિત થયેલ 11.85 કરોડ રક્તદાનમાંથી, થી 40 ટકા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં એકત્રિત કરવામાં આવે છે, જે વિશ્વની 16 ટકા વસ્તી ધરાવે છે.
  • ઓછી આવક ધરાવતા દેશોમાં, 54 ટકા સુધીનું લોહી 5 વર્ષથી ઓછી વયના બાળકોને આપવામાં આવે છે; જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, મોટાભાગે દર્દી જૂથની ઉંમર 60 વર્ષથી વધુ હોય છે, જે તમામનો 75 ટકા હિસ્સો ધરાવે છે.
  • 1000 લોકોનાં નમૂનાઓના આધારે જોઇએ તો, રક્તદાન નો દર ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 31.5 છે , ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 15.9 છે જ્યારે નીચા-મધ્યમ આવકવાળા દેશોમાં 6.8 છે અને ઓછી આવક ધરાવતા દેશોમાં 5.0 છે.
  • 2013 થી 2018 દરમિયાન સ્વૈચ્છિક નિશુલ્ક દાતાઓનો દ્રારા આપવામાં આવેલ રકતદાન માં 78 લાખ નો વધારો નોંધવામાં આવ્યો છે. કુલ, 79 દેશોએ સ્વૈચ્છિક નિશુલ્ક રક્ત દાતાઓ પાસેથી તેમના 90 ટકા મેળવે છે; જ્યારે કે, 56 દેશો તેમની જરરૂત નું 50 ટકાથી વધુ રકત, કુટુંબ કે બદલી અથવા ચૂકવેલ દાતાઓ પાસેથી એકત્રિત કરે છે.
  • માહિતી આપતા 171 દેશોમાંથી ફક્ત 55 જ પ્લાઝ્મા આતારિત ઓષધીય ઉત્પાદનો (પી.ડી.એમ.પી) એકત્રિત પ્લાઝ્માના અપૂર્ણાંક દ્વારા ઉત્પન્ન કરે છે. કુલ 90 દેશોએ અહેવાલ આપ્યો છે કે તમામ પી.ડી.એમ.પી આયાત કરવામાં આવે છે, 16 દેશોએ અહેવાલ આપ્યો છે કે એહવાલના સમયગાળા દરમિયાન કોઈ પી.ડી.એમ.પીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને 10 દેશોએ આ પ્રશ્નના જવાબ આપ્યા નથી.

આદર્શ પરિસ્થિતિ

  • ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે કે કોઈ પણ દેશમાં દર 1, ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે , 1000 લોકો માટે, પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવા માટે 10-20 દાતાઓનું લક્ષ્ય જરૂરી છે.
  • સરકારી માહિતી મુજબ, અંદાજીત ક્લિનિકલ માંગને પહોંચી વળવા માટે 1000 લાયક લોકો દીઠ 34 વ્યક્તિએ વર્ષમાં એકવાર રક્તદાન કરવું જ જોઇએ.
  • ડબ્લ્યુએચઓ નો અંદાજ છે કે 1% વસ્તી દ્વારા રક્તદાન એ દેશની લોહીની સૌથી મૂળભૂત જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછું હોય છે.
  • પુનરાવર્તિત સ્વૈચ્છિક બિન-મહેનતાણા વાળા રક્તદાનના પ્રોત્સાહનની સ્થિતિમાં આ પ્રમાણ ઘટાડી શકાય છે.
  • દેશને વસ્તીની જરૂરિયાત પૂરી કરવા માટે, પલંગ દીઠ આખા લોહીના 20.3 યુનિટ અને વાર્ષિક ક્લિનિકલ માંગને પહોંચી વળવા, પલંગ દીઠ આખા લોહીના 11.17 યુનિટ્સ એકત્રિત કરવાની જરૂર છે.

રક્તદાનની આવશ્યકતા

  • સામાન્ય અને કટોકટીની બંને પરિસ્થિતિઓમાં, વ્યક્તિઓ અને સમુદાયોને, સલામત અને ગુણવત્તાની ખાતરીવાળા રક્ત અને રક્ત ઉત્પાદનો મળી શકે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વભરમાં રક્તદાનની જરૂર છે. અભિયાન દ્વારા, અમે સમગ્ર વિશ્વમાં વધુ લોકોને નિયમિત રૂપે સ્વચ્છા એ રક્તદાન કરવા જીવનરક્ષક બનવા હાકલ કરીએ છીએ.
  • દિવસ અને વિષય એ, સ્વૈચ્છિક, બિન-મહેનતાણા વાળા રક્ત દાતાઓ પાસેથી લોહીના સંગ્રહમાં વધારો કરવા માટે, દાતાની ગુણવત્તાવાળી સંભાળ પૂરી પાડવા માટે; લોહીના યોગ્ય ક્લિનિકલ ઉપયોગને પ્રોત્સાહન અને અમલ કરવા; અને લોહી ચઢાવવાની આખી સાંકળ પર નિરીક્ષણ અને દેખરેખ માટે, પદ્વતિઓ સ્થાપિત કરવા પૂરતા સંસાધનો પૂરા પાડવા અને સ્થળોની પદ્વતિ અને માળખાં ગોઠવવા માટે સરકારો, રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓ અને રાષ્ટ્રિય રક્ત સંક્રમણ સેવાઓ માટે ક્રિયા કરવા માટેનું આહવાન છે

ભારતમાં રક્તદાન

  • ભારતમાં વિશ્વની સૌથી વધારે રક્તની અછત છે, જેમાં તમામ રાજ્યો મળીને 4.1 કરોડ યુનિટની વિશાળ તંગીનો સામનો કરે છે અને પુરવઠા કરતા 400 ટકાથી વધુ માંગ છે, એમ ધ લેનસેટ જર્નલમાં પ્રકાશિત કરાયેલ તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ કહે છે. અને તારણો બતાવે છે કે માંગ વધી રહી છે,
  • એમ દરેક દેશમાં દર વર્ષે આશરે 60 મિલિયન આઘાત પ્રેરિત સર્જરી કરવામાં આવે છે. જે દરરોજ 1,1200 થી વધુ રોડ અકસ્માત થવાને ને લઇને છે.
  • 23 કરોડ મોટા ઓપરેશન્સ, કેમોથેરેપી જેવી 33.1 કરોડ કેન્સર સંબંધિત પ્રક્રિયાઓ અને એક કરોડ ગર્ભાવસ્થાની જટીલતાઓમાં લોહી ચઢાવવું જરૂરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.