- ઉત્તરાખંડમાં સતત ભૂસ્ખલનના કારણે જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ (Chamoli Joshimath-Niti Border Road) ત્રણ દિવસથી બંધ
- માર્ગ બંધ થઈ જતા સ્થાનિક લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે
- ભૂસ્ખલન થવાના કારણે વાહનવ્યવહાર ત્રણ દિવસથી બંધ, લોકો સુધી નથી પહોંચી રહ્યું રાશન
ચમોલીઃ રાજ્યમાં ભારે આપત્તિ તૂટી પડી છે. ત્યારે ચમોલીના જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ પર તમક (મરખુડા) ગામની પાસે ભૂસ્ખલન તવાના કારણે વાહનવ્યવહાર ત્રણ દિવસથી બંધ છે. આના કારણે અનેક ગામના સંપર્ક તૂટી ગયા છે. ગ્રામીણો સુધી દૈનિક સામગ્રી અને રાશન નથી પહોંચી રહ્યું. તેવામાં ગ્રામ્યજનોએ સરકારને અહીં હેલી સેવાની માગ કરી છે.
આ પણ વાંચો- લાહૌલ સ્પીતિમાં ભૂસ્ખલન, ચંદ્રભાગા નદીનો રોકાયો પ્રવાહ, ગામ ખાલી કરવાનો આદેશ
BRO માર્ગ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે
જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ જોશીમઠથી 37 કિલોમીટર નીતિની તરફ તમક (મરખુડા) ગામની પાસે બંધ છે. અહીં પર લેન્ડસ્લાઈડ ઝોન બની ગયો છે, જેના કારણે રસ્તાઓ અવારનવાર બંધ થઈ જાય છે. તો બીઆરઓ (BRO) દ્વારા માર્ગ ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સતત થઈ રહેલા ભૂસ્ખલન અને પહાડથી પડતા બોલ્ડરોના કારણે રસ્તા ખોલવામાં તકલીફ થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં રસ્તો બંધ છે.
આ પણ વાંચો- હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનના કારણે 16 લોકોના મોત, આજે વધુ 2 મૃતદેહ મળ્યા
સ્થાનિક વાહનો પણ માર્ગ પર ફસાયેલા છે
રસ્તો બંધ થવાના કારણે ગ્રામ્યજનોએ ઘાટીમાં રસ્તો ખૂલવા સુધી સરકારને મૂળભૂત જરૂરિયાતો પહોંચાડવા માટે હેલી સેવા (Haley service) શરૂ કરવાની માગ કરી છે. બોર્ડર રસ્તો બંધ થવાના કારણે સેનાને સામગ્રી પહોંચાડનારા વાહનો અને સ્થાનિક લોકો વાહન અને સ્થાનિક લોકોના વાહન પણ માર્ગ પર ફસાયેલા છે. તો ઘાટીની તમક, જુમા, કાગા, ગરપક, રવિંગ, દ્રોણાગિરી, જેલમ, ભપકુંડ, કોષા, મલારી, કૈલાસપુર, મેહરગાવ, કુરગતિ, ફરક્યા ગામ, બામ્પા, ગમશાલી અને નીતિ ગામોમાં રસ્તાની સાથે સાથે દૂરસંચાર, વીજળી ન હોવાથી લોકો પરેશાન છે. જોકે, ભૂસ્ખલનની ઝપેટમાં આવીને વીજળીના થાંભલા ઉખડી ગયા છે.