ETV Bharat / bharat

ભારતીય સેનાએ 40,000 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છેઃ સરકાર

author img

By

Published : Dec 10, 2022, 7:14 AM IST

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ/અન્ય રેન્ક માટે 1,18,485 જગ્યાઓ ખાલી છે. (INDIAN ARMY HAS ADVERTISED FOR 40000 VACANCIES )તેમણે કહ્યું કે સેનામાં JCO/OR માટે 40 હજાર ખાલી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે.

ભારતીય સેનાએ 40,000 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છેઃ સરકાર
ભારતીય સેનાએ 40,000 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છેઃ સરકાર

નવી દિલ્હી: સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં JCO અને અન્ય રેન્ક માટે 1,18,485 જગ્યાઓ ખાલી છે અને 40,000 ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.(INDIAN ARMY HAS ADVERTISED FOR 40000 VACANCIES ) રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં દીપક બૈજના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે, 1 જુલાઈ, 2022 સુધીમાં ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ/અન્ય રેન્ક માટે 1,18,485 જગ્યાઓ ખાલી હતી. તેમણે કહ્યું કે સેનામાં JCO/OR માટે 40 હજાર ખાલી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે.

11,587 જગ્યાઓ ખાલી: ભટ્ટે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય નૌકાદળમાં ખલાસીઓની 11,587 જગ્યાઓ ખાલી હતી અને વર્ષ 2022માં નૌકાદળમાં અગ્નિવીર માટે ત્રણ હજાર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે એ જ રીતે ભારતીય વાયુસેનામાં 1 નવેમ્બર સુધી એરમેન અને નોન-કોમ્બેટન્ટ સ્તરે 5,819 જગ્યાઓ ખાલી હતી. તેમણે કહ્યું કે 2022માં અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે 300 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.