ETV Bharat / bharat

બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય

author img

By

Published : Oct 13, 2021, 6:20 PM IST

બ્રિટનની નરમાઈ પછી ભારતે તાજેતરમાં કડક કરાયેલા નિયમો પણ પાછા ખેંચી લીધા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, 17 ફેબ્રુઆરી, 2021 પહેલાની માર્ગદર્શિકા યુકેથી ભારતમાં આવતા લોકો માટે લાગુ પડશે.

બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય
બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય

  • બ્રિટનના આ નિર્ણય બાદ ભારતે નાગરિકો માટે નરમ વલણ અપનાવ્યું
  • આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી
  • વડા પ્રધાન મોદી અને બ્રિટિશ સમકક્ષ બોરિસ જૉનસન વિવિધ મુદ્દાઓ પર વાત

નવી દિલ્હી: યુકેએ છ દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ભારતીય પ્રવાસીઓ કે જેમણે કોવિશિલ્ડ અથવા તેના દ્વારા મંજૂર કરાયેલ અન્ય કોઈ રસીના બંને ડોઝ મેળવ્યા છે. તેમને 11 ઓક્ટોબરથી આગમન પર 10 દિવસના ક્વોરન્ટીન માંથી પસાર થવું પડશે નહીં.

ભારતે પણ ત્યાંના નાગરિકો માટે નરમ વલણ અપનાવ્યું

બ્રિટનના આ નિર્ણય બાદ ભારતે પણ ત્યાંના નાગરિકો માટે નરમ વલણ અપનાવ્યું છે. 1 ઓક્ટોબર 2021 ના ​​રોજ યુકેથી ભારતમાં આવતા નાગરિકો માટે જારી કરાયેલી માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય આગમન અંગેની માર્ગદર્શિકા

આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 17 ફેબ્રુઆરી, 2021 પહેલા આંતરરાષ્ટ્રીય આગમન અંગેની માર્ગદર્શિકા યુકેથી ભારતમાં આવતા લોકો માટે લાગુ પડશે.

નરેન્દ્ર મોદી અને બોરિસ જૉનસન વિવિધ મુદ્દાઓ પર વાત

બ્રિટને ભારતીય નાગરિકો માટે નિયમો કડક કર્યા હતા, જેના જવાબમાં ભારતે ત્યાંથી આવતા નાગરિકો માટે સુધારેલી માર્ગદર્શિકા પણ જારી કરી હતી. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ સમકક્ષ બોરિસ જૉનસન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

આ પણ વાંચોઃ PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

આ પણ વાંચોઃ રશિયામાં દૈનિક કોવિડ મૃત્યુ નવા નવા રેકોર્ડ બનતા જાય છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.