ETV Bharat / bharat

Corona Update:ભારતમાં 44,658 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 496 મૃત્યુ

author img

By

Published : Aug 27, 2021, 12:17 PM IST

સંક્રમણના કારણે વધુ 496 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,36,861 થયો છે. હાલમાં, દેશમાં 3,44,899 લોકો કોરોના વાઇરસ ચેપ માટે સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 1.03 ટકા છે. દર્દીઓની રિકવરીનો રાષ્ટ્રીય દર 97.63 ટકા છે.

ભારતમાં 44,658 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 496 મૃત્યુ
ભારતમાં 44,658 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 496 મૃત્યુ

  • છેલ્લા 24 કલાકમાં 44,658 નવા કેસ નોંધાય
  • છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક વધીને 4,36,861 થયો
  • દર્દીઓનો રિકવરી દર 97.63 ટકા

નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19 ના 44,658 નવા કેસ નોંધાયા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,26,03,188 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,44,899 થઈ ગઈ છે.

દર્દીઓની રિકવરી દર 97.63 ટકા

શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, સંક્રમણના કારણે વધુ 496 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,36,861 થયો છે. હાલમાં, દેશમાં 3,44,899 લોકો કોરોના સંક્રમણના કારણે સારવાર હેઠળ છે, જે કુલ કેસના 1.03 ટકા છે. દર્દીઓની રિકવરી દર 97.63 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

26 ઓગસ્ટ સુધીમાં કુલ પરિક્ષણની સંખ્યા

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 26 ઓગસ્ટ સુધી પરીક્ષણ કરાયેલા નમૂનાઓની કુલ સંખ્યા 51,49,54,309 છે, જેમાંથી ગઇકાલે 18,24,931 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા

દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં, 19 ડિસેમ્બરે, આ કેસો એક કરોડ, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને આ કેસો ત્રણ કરોડને વટાવી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.