ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,625 કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Aug 4, 2021, 11:13 AM IST

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,625 નવા કેસો સામે આવ્યા છે અને 562 લોકોના સંક્રમણના કારણે મૃત્યું થયા છે. હાલમાં સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા4,10,353 છે. મંગળવારે કોરોના વાયરસના 30,549 નવા કેસ જોવા મળ્યા હતા અને 422 મૃત્યું થયા હતા.

corona
છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,625 કોરોના કેસ નોંધાયા

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,625 કોરોના કેસ
  • 562 લોકોના કોરોનાને કારણે મૃત્યું
  • 62,53,741 લોકોને કરોના રસી આપવામાં આવી

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,625 નવા કેસો સામે આવ્યા છે અને 562 લોકોના સંક્રમણના કારણે મૃત્યું થયા છે. હાલમાં સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા4,10,353 છે. મંગળવારે કોરોના વાયરસના 30,549 નવા કેસ જોવા મળ્યા હતા અને 422 મૃત્યું થયા હતા. મંગળવાર કરતા બુધવારે 12,000 નવા કેસો સામે આવ્યા હતા.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

36,668 લોકો સાજા થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર પાછલા 24 કલાકમાં 36,668 દર્દીઓ સાજા થયા છે અને હાલમાં 4,10,353 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસ વધીને 3,17,69,132 થઈ ગયા છે અને કુલ 4,25,757 લોકોના મૃત્યું થયા છે. મંત્રાલય અનુસાર દેશમા પાછલા 24 કલાકમાં કોરોના વાયરસની 62,53,741 રસી લગાવવામાં આવી હતી જે બાદ રસીકરણનો આંકડો 48,52,86,570 પહોંચી ગયો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.