ETV Bharat / bharat

યુવાનોમાં કેન્સરના કેસોમાં વધારો થવાના કારણો

author img

By

Published : Mar 8, 2021, 5:27 PM IST

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ છેલ્લાં કેટલાંક સમયથી વૈશ્વિક રીતે યુવાનોમાં કેન્સર થવાના કેસમાં સતત વધારો જોવા મળ્ચો છે.તબીબો અને નિષ્ણાતો આ પરિસ્થિતિને યુવાનોમાં જોવા મળતા અનિચ્છનીય જીવનશૈલી, વધુ પડતુ વજન અને મેદસ્વી હોવાની સમસ્યાઓ અને યુવાનોમાં ધૂમ્રપાન અથવા ડ્રગના વપરાશમાં વધારાના કારણને પણ જવાબદાર ગણાવે છે. પરંતુ અન્ય ઘણા કારણો છે જે યુવાનોમાં કેન્સરની વધતી જતા કારણો માટે જવાબદાર છે.આ જ સંદર્ભમાં, યુવાનીમાં કેન્સરના વધતા જતા કેસોના કારણો વિશે માહિતી આપવાની સાથે, સિનિયર કેન્સર સર્જન, ઇન્દોર કેન્સર ફાઉન્ડેશનના નિષ્ણાત અને સ્થાપક ડો.દિગપાલ ધારકર, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને કેન્સરના સંભવિત કારણોને ઓળખવાની સાથે તેની સારવાર માટે ભાર મૂકે છે. .

કેન્સર
કેન્સર

ડો. ડો.દિગપાલ ધારકર કહે છે કે યુવાનોમાં કેન્સરની વધતી જતી ઘટનાઓનાં ઘણાં કારણો છે, જેમાંથી લગભગ દરેકની બેઠાડુ જીવનશૈલી, મેદસ્વીતા અને આનુવંશિક પરિબળો જવાબદાર છે., પરંતુ અન્ય કેટલાક કારણો પણ છે, જેના વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી.તેથી, ચોક્કસ કારણોને સમજવા માટે વધુ માહિતી મેળવવા માટે, યુવાનોમાં ડ્રગ્સ / આલ્કોહોલના વપરાશના સ્તરને જાણવા માટે સંશોધન કરવું મહત્વપૂર્ણ છે, તો અન્ય કારણસર યુવાનો અથવા પુખ્ત વયની સ્ત્રીઓ હોર્મોન થેરેપી લઈ રહી છે. અન્ય કારણોમાં, પુરુષો અને સ્ત્રીઓની ટકાવારી સ્થૂળતા વગેરેનો ભોગ બને છે, આ સિવાય, ઘણા અન્ય કારણો પણ છે, જેના માટે સંશોધન ખૂબ જરૂરી છે.

આનુવસિંક કારણો

ડો. ધારકર કહે છે કે કેન્સરના કુલ કેસોમાં લગભગ 10 ટકા આનુવંશિક છે. એક જ પરિવારની જુદી જુદી પેઢીઓમાં અથવા એક જ પરિવારના બે કે તેથી વધુ સભ્યોમાં કેન્સર પાછળનું કારણ મોટે ભાગે આનુવંશિકતા હોવાનું બહાર આવ્યુ છે. તેથી, જે લોકોના પરિવારમાં હાલ કેન્સર છે તો તેઓએ તેમના સ્વાસ્થ્ય વિશે અગાઉ કરતા વધારે સાવધાની રાખવી જોઈએ.ડો. ધારકર આ અંગે સમજાવે છે કે કેન્સરના આનુવંશિક કારણો વિશે ભૂતકાળમાં ઘણું સંશોધન થયું છે, જેના પરિણામો સૂચવે છે કે આનુવંશિકતા કેટલાક પ્રકારના કેન્સરનું કારણ હોઈ શકે છે જેમાં સ્તન, ગર્ભાશય અથવા અંડાશય તેમજ મોટા આંતરડા અથવા આંતરડાના કેન્સરનો સમાવેશ થાય છે. .

સરેરાશ ઉંમરમાં વધારો

ડો.ધરકર સમજાવે છે કે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું એક કારણ એ પણ છે કે વ્યક્તિની સરેરાશ ઉંમરમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં, સામાન્ય માણસની સરેરાશ ઉંમર આશરે 65-70 વર્ષ છે, જેનો અર્થ છે કે આજકાલ લોકો પહેલા કરતાં વધુ જીવે છે. પરંતુ, આની પાછળનું કારણ જીવનની ગુણવત્તા નથી, દવા અને તકનીકીના ક્ષેત્રમાં આવેલી જબરદસ્ત પ્રગતિ છે, જેના કારણે ઘણી ગંભીર રોગોની સારવાર શક્ય છે. પરંતુ તે પ્રદૂષણ, જીવનશૈલી હોય કે નબળા આરોગ્યની સાથે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘણું વધી ગયું છે. જો વ્યક્તિ વૃદ્ધ છે, તો પણ ઘણી ગંભીર રોગોનું જોખમ પહેલા કરતા વધારે થતુ હોય છે.

બિન આરોગ્યપ્રદ જીવનશૈલી: સૌથી મોટું કારણ

હાલમાં, બેઠાડુ જીવન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જ મોટા ભાગે જવાબદાર છે કેન્સર માત્ર યુવાનોમા જ નહી પણ સ્ત્રીઓ અને તમામ વયના પુરુષોમાં પણ જોવા મળે છે.આંતરરાષ્ટ્રીય યુનિયન અગેઇન્સ્ટ કેન્સર (યુઆઈસીસી) મુજબ લગભગ ત્રણમાંથી એક વ્યક્તિને જીવનશૈલી હોવાને કારણે કેન્સર થાય છે. આજના યુગમાં, મોટાભાગના લોકો જીવનશૈલીમાં શિસ્તનો અભાવ છે અને સૂવાનો તેમજ જાગવાનો કોઈ નિશ્ચિત સમય નથી, તંદુરસ્ત ભોજન ખાવાની ટેવનું પાલન થતું નથી અને મોટાભાગના લોકો કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ અથવા કસરતથી જોજન દુર હોય છે. આ સિવાય સૌથી ચિંતાજનક બાબત એ છે કે આજકાલ ધૂમ્રપાન, દારુ પીવા અને ડ્રગનો નશો યુવાનોમાં એક ફેશન સમાન બની ગયું છે. તો કેટલાંક લોકો અન્ય લોકોના જુથમાં જવાના દબાણને કારણે પણ વ્યસનને અપનાવે છે. આ બધા કારણો પૈકી શરીરમાં કોઈપણ પ્રકારના કેન્સર ફેલાવવાનું એક કારણ હોઇ શકે છે સાથે સાથે અન્ય ગંભીર પરિસ્થિતિઓને પણ ચિંતા ઉપજાવે છે અને તેનાથી નુકશાન વધારે થાય છે.

નબળી પ્રકારના ભોજનની ટેવ

જીવનશૈલી સિવાય આપણી ખાણી-પીણીની આદતો પણ કેન્સરનું કારણ બની શકે તેમ છે. આપણે શુ ખાઇ છીએ અને કેવી રીતે તે ખોરાકને રાંધવામાં આવે તે પણ કેન્સરના થવા પાછળનું જવાબદાર છે. ઉદાહરણ તરીકે પકવવાની નાની ભઠ્ઠીમાં ઉંચા તાપમાન પર ડુક્કરના માંસનો ખોરાક ગરમ કર્યા બાદ પણ સતત ફરીથી ફરીથી ગરમ કરાવામાં આવે તો તે ખાનાર વ્યક્તિમાં કેન્સરની સંભાવના વધી જાય છે.ડો. સમજાવે છે કે વર્તમાન સમયમાં ફક્ત બાળકો જ નહીં, પરંતુ પુખ્તવયના લોકો પણ પનીર જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક અથવા ખાંડ અને ચરબીવાળા કાર્બોનેટેડ પીણાં અને અન્ય જંક ફુડ જેવા ફુડ વધારે જમે છે. આ આદત માત્ર કેન્સર જ નહીં, પરંતુ તેઓ ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, વગેરે જેવી કોમર્બિડિટીઝનું જોખમ પણ વધી જાય છે. જેના કારણે કેન્સરની સારવારમાં સમસ્યા વઘી શકે છે. આ સિવાય તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર ન લેવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે, જેનાથી કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

આ પણ વાંચો: અંડાશયમાં રહેલા ઇંડાની ઓછી સંખ્યાને કારણે ગર્ભ ધારણ કરવામાં આવતા પડકારો

ડો. ધારકર કહે છે કે યુવાનોમાં કેન્સરના વધતા વલણને રોકવા માટે હવે તેનું ખૂબ મહત્વનું બની ગયું છે. કોઈ વ્યક્તિએ તેની બિનઆરોગ્યપ્રદ આદતને લીધે કેન્સર થવાની સંભાવના વિશે જાગૃત અને સાવધ રહેવું જોઈએ. આ સાથે, વસ્તી વિષયક અભ્યાસ એટલે કે વસ્તી, વય, સમુદાય અને ભૌગોલિક સ્થાનના આધારે રાષ્ટ્રીય સ્તરે સંશોધન થવું આવશ્યક છે, જેથી કેન્સરના કારણો પણ જાણી શકાય અને તેમની સારવાર પણ શક્ય બની શકે. નિષ્ણાત વધુમાં જણાવે છે કે યુવાનોમાં કેન્સરના વધતા જતા કેસોના તમામ કારણો જાણવા માટે તેમની કસરત, આહાર અને જીવનશૈલીની ટેવ વિશે એક સર્વે કરાવવો જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.