ETV Bharat / bharat

Ramlala statue: અયોધ્યા રામ મંદિર થી સામે આવી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસ્વીર, કરો દર્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 9:56 AM IST

અયોધ્યા રામ મંદિર થી સામે આવી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસ્વીર
અયોધ્યા રામ મંદિર થી સામે આવી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસ્વીર

આખરે અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. અમે આપને ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલ્લાની આ ભવ્ય મૂર્તિના દર્શન કરાવી રહ્યાં છીએ.

અયોધ્યાઃ આખરે અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન રામની ભવ્ય મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. રામલલાની પ્રતિમા શ્યામ રંગની છે. ગઈકાલે એટલે કે ગુરુવારે રામલલાની મૂર્તિને વિધિ-વિધાન સાથે ગર્ભમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ રામલલાની પ્રતિમાની આ પહેલી તસવીર સામે આવી છે. 22 જાન્યુઆરીએ પીએમ મોદી રામ લલ્લાની આ પ્રતિમાની પૂજા-અર્ચના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરશે.

અયોધ્યા રામ મંદિર થી સામે આવી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસ્વીર
અયોધ્યા રામ મંદિર થી સામે આવી રામલલ્લાની મૂર્તિની પ્રથમ તસ્વીર

ઈટીવી ભારતનો દાવો પડ્યો સાચો: 16 જાન્યુઆરીના રોજ, ETV ભારતે આ સમાચાર પ્રસિદ્ધ કરતી વખતે, વિશ્વસનીય સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવી રહેલા પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ પત્ર પર જે તસવીર પ્રકાશિત કરવામાં આવી છે. વાસ્તવમાં, જ ભગવાન શ્રી રામની પ્રતિમા છે, જેને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવશે અને 22 જાન્યુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રતિમાની આરતી કરશે અને તેના દર્શન કરશે. દરમિયાન ગુરુવારે મોડી રાત્રે રામલલાની પ્રતિમાની તસ્વીર સામે આવી ત્યારે ઈટીવી ભારતનો દાવો 100% સાચો સાબિત થયો છે.

મહત્વપૂર્ણ છે કે, મૈસુરના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની વાતો થોડા દિવસો પહેલા સામે આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પ્રતિમા શ્યામ રંગની હશે અને તેમના હાથમાં ધનુષ અને તીર હશે. આ સાથે રામલલામાં બાળક જેવી કોમળતા અને ભગવાન વિષ્ણુની માયા જોવા મળશે. જોકે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામલલાનો કોઈ ફોટો જાહેર કરવામાં આવ્યો ન હતો. ત્યાર બાદ ANI એ VHP નેતા શરદ શર્માને ટાંકીને સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક ફોટો જાહેર કર્યો. જેમાં રામલલાની મૂર્તિને ગર્ભમાં સ્થાપિત કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી આ પ્રતિમા સામે આવી હતી.

Ram Mandir in Ayodhya: કેન્દ્રીય કર્મચારીઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે અડધા દિવસની રજા મળશે

Postage stamps on Ram Mandir : પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ડાક ટિકિટ બહાર પાડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.