ETV Bharat / bharat

IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

author img

By

Published : Jul 13, 2021, 12:46 PM IST

IMA (Indian Medical Association) એ સોમવારે સરકાર અને લોકોની શિથિલતા તથા કોરાના પ્રોટોકોલનું (Covid-19 Protocol) નું પાલન કર્યા વિના લોકોના વિશાળ મેળાવડા પર ચિંતા વ્યક્ત કરી હતી. IMA ના જણાવ્યા મુજબ, લોકોને રસી લીધા પહેલા ભીડમાં જોડાવું એ કોવિડની ત્રીજી લહેર (third wave of Pandemic) ને આમંત્રણ આપવા સમાન છે.

IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ
IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

  • કોરોનાની ત્રીજી લહેરને લઈ IMA દ્વારા ચેતવણી
  • કોરોના રસી લીધા વિના ભીડમાં જવું કોરોનાને આમંત્રણ
  • લોકોની ભીડ અટકાવવા માટે IMAની તમામ રાજ્યોને અપીલ

નવી દિલ્હી: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) એ સોમવારે સરકાર અને લોકોની શિથિલતા તથા કોરાના પ્રોટોકોલનું (Covid-19 Protocol) નું પાલન કર્યા વિના લોકોના વિશાળ મેળાવડા પર ચિંતા વ્યક્ત કરી હતી. IMA ના જણાવ્યા મુજબ, લોકોને રસી લીધા પહેલા ભીડમાં જોડાવું એ કોવિડની ત્રીજી લહેર (third wave of Pandemic) ને આમંત્રણ આપવા સમાન છે.

IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ
IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

કોરોનાની ત્રીજી લહેર નિકટવર્તી

IMA એ એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવાસીઓનું આગમન યાત્રાધામો, ધાર્મિક ઉત્સાહનું જરૂરી છે, પરંતુ તેની થોડા વધુ મહિનાઓ સુધી રાહ જોઈ શકાય છે. ડોકટરોના સંગઠને કહ્યું કે વૈશ્વિક પુરાવા અને કોઈપણ મહામારીનો ઇતિહાસ સૂચવે છે કે ત્રીજી લહેર અનિવાર્ય અને નિકટવર્તી (inevitable and imminent) છે.

દેશના ઘણા ભાગોમાં સરકાર અને લોકોની બેદરકારી

જો કે, નિવદેનમાં એવું કહેવામાં આવ્યુ છે કે, આ વિચારવું દુ:ખદ છે કે આ સમયમાં જ્યારે દરેક લોકોને કોરોનાની ત્રીજી લહેર અટકાવવાની કામગીરી કરવી જોઈએ ત્યારે દેશના ઘણા ભાગોમાં સરકાર અને લોકોની બેદરકારી જોવા મળી રહી છે. લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વિના મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. પર્યટકનું આગમન, તીર્થસ્થાનો અને ધાર્મિક ઉત્સાહ, આ બધા જરૂરી છે પરંતુ થોડા મહિના રાહ જોઈ શકે છે.

IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ
IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

લોકોની ભીડ અટકાવવા માટે IMAની તમામ રાજ્યોને અપીલ

IMAએ કહ્યું કે, લોકોને રસી આપ્યા વિના આ ભીડમાં જોડાવાની મંજૂરી આપવી, કોવિડની ત્રીજી લહેરમાં મોટો ફાળો આપી શકે છે. ઓડિશાના પુરીમાં વાર્ષિક રથયાત્રા શરૂ થવાના દિવસે અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને ઉત્તરાખંડ (Uttarakhand) માં કાંવડ યાત્રા માટે પરવાનગી આપવાની વાટાઘાટો વચ્ચે આ નિવેદન આવ્યું છે. લોકોની ભીડ અટકાવવા માટે IMAએ તમામ રાજ્યોને અપીલ કરી છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે, 1600 બાળકોમાં જોવા મળ્યું રિસ્ક ફેક્ટર

અમેરિકામાં ભારત કરતા વધુ કોરોના કેસ

ચાલો તમને જણાવી દઈએ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં અમેરિકામાં જ, લગભગ ત્રણ મિલિયન (30 લાખ)ના તફાવતથી ભારત કરતાં વધુ કેસ નોંધાયા છે. હાલમાં ભારતમાં નોંધાયેલા કેસોની સંખ્યા પ્રમાણે જો આ ગતિમાં કોસમાં વધારો ચાલુ રહેશે તો, ભારત કોરોના કેસોના સંદર્ભમાં આગામી 19 અઠવાડિયામાં અમેરિકાને પાછળ છોડી દેશે. કોરોનાના નવા કેસોમાં ભારે વધારો થયા પછી, ભારતમાં છેલ્લા બે મહિનામાં કેસોમાં વધારાની ગતિ ધીમી પડી છે, જ્યારે અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોના સંકર્મણ વધ્યુ છે. ભારતમાં પણ આવું ન થાય તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.